HomeAllભારતના નવા કાયદાથી એપલ ડર્યું! રૂ. 3 લાખ, 20 હજાર કરોડની પેનલ્ટીનો...

ભારતના નવા કાયદાથી એપલ ડર્યું! રૂ. 3 લાખ, 20 હજાર કરોડની પેનલ્ટીનો ખતરો, જાણો ચોંકાવનારો મામલો

અમેરિકન ટેક કંપની Appleની મુશ્કેલીઓ ભારતમાં વધી શકે છે. એજ કારણ છે કે કંપની નવા નિયમોનો વિરોધ કરી રહી છે અને તેને ચેલેન્જ કરવા માટે કોર્ટ સુધી ચાલી ગઈ છે. જોકે, એપલ પર ભારતમાં અત્યાર સુધી કોઈ નક્કી દંડ લગાવવામાં આવ્યો નથી. પરંતુ એન્ટી કમ્પટીશન ઍક્ટમાં ફેરફારના કારણે તેના પર 38 અરબ ડૉલર્સની પેનલ્ટીનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેને ભારતીય રૂપિયામાં બદલીએ તો લગભગ 3 લાખ 20 હજાર કરોડ રૂપિયા થાય છે.

પહેલા ભારતમાં દંડ માત્ર તેને બિઝનેસ પર લાગતો હતો, જે અહીં ચાલી રહ્યો છે. એટલે એપલના મામલે માત્ર એપ સ્ટોર ઇન્ડિયાની કમાણી પર. આ રકમ ખૂબ નાની હોત. પરંતુ કાયદામાં ફેરફાર આવતાં CCI(Competition Commission of India)ને અધિકાર મળી ગયો છે કે તેઓ કોઈ પણ કંપનીની સંપૂર્ણ દુનિયાની કમાણીને પેનલ્ટીનો આધાર બનાવી શકે છે.

આ નવા નિયમોથી આ ખતરો આટલી મોટી રકમ સુધી પહોંચી ગયો. જેના કારણે એપલ ડરી ગયું અને હવે દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યું છે. આવો જાણીએ આ મામલે શરુ કેવી રીતે થયો અને તેની પાછળની કહાની શું છે…

મામલાની શરુઆત ક્યાંથી થઈ?

આ વિવાદ એપ સ્ટોરની પોલિસીને લઈને શરુ થયો હતો. ઇન્ડિયન ડેવલપર્સે ફરિયાદ કરી કે આઇફોન યુઝર્સ માત્ર એપલના જ એપ સ્ટોરથી એપ ડાઉનલોડ કરી શકે છે. પેમેન્ટ સિસ્ટમ પણ એપલની હોય છે અને કમિશન પણ તેના નિયમો પર ચાલે છે. જેના કારણે ઇન્ડિયન ડેવલપર્સને નુકસાન પણ થાય છે.

ડેવલપર્સને લાગે છે કે આ બજાર પર કારણ વગરનો કંટ્રોલ છે. CCIએ આ ફરિયાદોને સાંભળીને તપાસ શરુ કરી. આ તપાસમાં અનેક સવાલ ઉઠ્યા કે શું એપલ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. આ તપાસનો કેસને પેનલ્ટીના દાયરામાં લાવી દીધો.

કાયદો બદલાયો તો પેનલ્ટીની રકમ પણ બદલાઈ ગઈ

તપાસ શરુ થઈ હતી ત્યારે એપલને ખબર હતી કે દંડ જો લાગશે તો માત્ર ઇન્ડિયાવાળા બિઝનેસ પર લાગશે. પરંતુ 2023માં કોમ્પીટીશન ઍક્ટ બદલાયો. સરકારે CCIને નવી સત્તા આપી કે તેઓ કોઈ પણ કંપનીના ગ્લોબલ ટર્નઓવર પર 10 ટકા સુધી પેનલ્ટી લગાવી શકે છે.

એપલ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એક છે. તેની ગ્લોબલ કમાણી ટ્રિલિયન ડૉલર્સમાં છે. એટલા માટે 10 ટકાનો મતલબ સીધો 38 અરબ ડૉલર સુધી પહોંચી ગયો. તપાસ ભારતમાં છે, પરંતુ સંકટ આખી દુનિયાની કમાણી સાથે જોડાઈ ગયું. આખી ગેમ અહીં પલટાઈ ગઈ.

એપલનું કહેવું છે કે આ નિયમ ખોટો છે

એપલનો તર્ક છે કે જો તપાસ એપ સ્ટોર ઇન્ડિયાની નીતિઓ પર છે તો પેનલ્ટી પણ એ જ ભાગની કમાણી પર લાગવી જોઈએ. કંપની કહે છે કે ભારતનો નવો નિયમ તેના વિરુદ્ધ સજા જેવો છે. એપલ એ પણ કહી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પહેલાં જ કહી ચૂકી છે કે પેનલ્ટી રિલેવન્ટ ટર્નઓવર પર લાગવી જોઈએ. એટલે જે બિઝનેસમાં સમસ્યા આવે, માત્ર તેની જ કમાણી પર. એપલનું કહેવું છે કે ભારતની નવી વ્યવસ્થા આ સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલા માટે તેને રોકવો જોઈએ.

ભારત શું કહી રહ્યું છે?

CCIનું વલણ બિલકુલ અલગ છે. તેમનું કહેવું છે કે, મોટી ટેક કંપનીઓ પર નાની પેનલ્ટીની કોઈ અસર નથી થતી. તેનો બિઝનેસ એટલો મોટો છે કે લોકલ રેવન્યુ પર દંડ લગાવીને કોઈ પરિણામ નથી આવતું. એટલા માટે નવો નિયમ લવાયો જેથી મોટી કંપનીઓ પણ ભારતીય કાયદાને ગંભીરતાથી લે. ભારતનું કહેવું છે કે જો કંપનીઓ ગ્લોબલ સ્તરે કામ કરે છે તો કાયદાની અસર પણ તે પ્રમાણ પર થવી જોઈએ.

આ લડાઈની અસર કેટલે દૂર જશે?

હવે આ મામલો કોર્ટમાં છે. જો કોર્ટે એપલની વાત માની લીધી તો ખતરો લગભગ ખતમ થઈ જશે. પેનલ્ટી ફરીથી માત્ર ઇન્ડિયાવાળા બિઝનેસ સુધી મર્યાદિત રહેશે. પરંતુ કોર્ટે ભારતના નવા નિયમોને યોગ્ય ગણ્યા તો CCIને દુનિયાની સૌથી મજબૂત પેનલ્ટીનો પાવર મળી જશે. તેની અસર માત્ર એપલ સુધી સીમિત નહીં રહે. પરંતુ ગુગલ, મેટા, એમેઝોન જેવી અન્ય ટેક કંપનીઓને પણ અસર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!