દ્વારકા સ્થિત વ્રજ હોસ્પિટલ દ્વારા પુત્ર શ્રેષ્ઠના છઠ્ઠા જન્મદિનના પાવન અવસર નિમિત્તે સમાજહિતમાં એક સરાહનીય સેવા પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મફત માઈનર ઓપરેશન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં માઈનર ઓપરેશન તેમજ ઓપરેશન સંબંધિત જરૂરી રિપોર્ટ્સ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. સાથે સાથે દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
કેમ્પનું આયોજન ખંભાળિયાના જાણીતા જનરલ સર્જન ડૉ. પ્રકાશ ધારવિયા તથા દ્વારકાના સેવાભાવી ડૉ. સાગર કાનાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જન્મદિનની ઉજવણીને સેવા સાથે જોડવાની આ પહેલ સમાજમાં વિશેષ પ્રશંસનીય બની છે.
કેમ્પ દરમિયાન તલ, મસા, કપાળી, સ્પોડો, કાનની બટ તેમજ વિંધી કે સાંધવી જેવા માઈનર ઓપરેશન મફત કરવામાં આવશે.
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ઊંચી માંડલ ગામ પાસે કારખાનામાં લિફ્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન લિફ્ટમાં ફસાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.
આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સિરોઇ ગામે રહેતો અજયભાઈ દેવકણભાઈ પાટડીયા નામનો યુવાન તળાવિયા સનાળા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ સેલઝોન બાથવેર નામના કારખાનામાં લિફ્ટનું કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે લિફ્ટમાં ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે.
વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી છે. ફરી હિંદુઓને નિશાન બનાવીને હુમલા શરૂૂ થયા છે અને 10 દિવસના ગાળામાં જ બીજા હિંદુ યુવકની હત્યા કરી દેવાઈ. આઘાતજનક વાત એ છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓનું નિકંદન કઢાઈ રહ્યું રહ્યું છે અને આપણી હિંદુવાદી સરકાર બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવીને ઠપકો ઠપકો રમી રહી છે.
આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો
હિંદુઓના હામી હોવાનો દાવો કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર-હુમલા અંગે ચિંતા વ્યક્ત કરીને સંતોષ માની રહ્યા છે અને આ સંગઠનોના કાર્યકરો દિલ્હીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનની ઓફિસ સામે દેખાવો કરીને રાજી થઈ રહ્યા છે.
એક્શનની જરૂૂર બાંગ્લાદેશમાં છે ત્યારે દિલ્હીમાં ભવાડા કરાઈ રહ્યા છે. બાંગ્લાદેશી હિંદુઓને બચાવવા માટે આક્રમક બનવાના બદલે ઠાલી ચીમકીઓ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. ગયા વરસે જુલાઈમાં શેખ હસીનાને ઉથલાવી દેવાયાં ત્યારથી હિંદુઓ પર સતત હુમલા અને અત્યાચારો થઈ રહ્યા છે પણ દોઢ વર્ષમાં કેન્દ્ર સરકાર અને કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ થૂંક ઉડાડવા સિવાય કશું કર્યું નથી.
હવે ફરી હિંસા ભડકી છે ત્યારે ફરી એ જ નિષ્ક્રિયતાનાં દર્શન થઈ રહ્યાં છે.શરમજનક વાત એ છે કે, દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકની હત્યા પછી ભારતે બાંગ્લાદેશના દિલ્હી ખાતેના હાઈ કમિશનર એમ. હમિદુલાહ રિયાઝને બોલાવીને હિંદુઓ પરના અત્યાચાર રોકવા કહેલું એ છતાં હુમલા ચાલુ રહેતાં બે દિવસ પહેલાં રિયાઝને ફરી બોલાવીને હુમલા રોકવા ચીમકી અપાયેલી. આ ચીમકીની કોઈ અસર થઈ નથી, બલકે બીજા હિંદુ યુવકને મોતને ઘાટ ઉતારીને કટ્ટરવાદી મુસ્લિમોએ ભારતને સીધો પડકાર જ ફેંકી દીધો છે કે, અમે હિંદુઓને શોધી શોધીને મારીશું, ભારતથી થાય એ તોડી લે.
બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ દેશ છોડીને ભાગી જાય નહિંતર અમે તેમને આ રીતે કૂતરાનાં મોતે જ મારીશું.બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા પણ અત્યંત ક્રૂરતાથી કરાઈ રહી છે કે જેથી હિંદુઓમાં ડર પેદા થાય. હુમલાની આ ઘટનાઓમાં મૂક સાક્ષી બનીને બાંગ્લાદેશી પોલીસ પૂરો સાથ આપી રહી છે.
તેથી બાંગ્લાદેશમાં હિંદુઓ પોતાના હાલ પર છે. બાંગ્લાદેશના રાજકારણમાં જે કંઈ થઈ રહ્યું છે એ તેની આંતરિક બાબત છે પણ તેના બહાને હિંદુઓને ખતમ કરવાનો એજન્ડા અમલમાં મૂકાય તેની સામે ભારતે ચૂપ ના જ રહેવું જોઈએ. હું ભારત દુનિયામાં હિંદુઓનો સૌથી મોટો દેશ છે ત્યારે બાંગ્લાદેશના હિંદુઓની ભારતે જ ચિંતા કરવી પડે. ઠાલાં રાજદ્વારી પગલાંના બદલે બાંગ્લાદેશને ચમકારો બતાવવો પડે.
વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસના પગે પડતા જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે જે ફરિયાદ થઈ હતી તેને લઈને ગોપાલ ઇટાલિયા કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કાર્યકર્તાઓની સામે છેડતીના આરોપને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ફરિયાદ ખોટી છે.
આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો
સાથે જ તેમણે પોલીસની સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તેઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે જ સમયે આપના કાર્યકર્તાઓ વાજતે ગાજતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. સાથે જ તેમની જોડે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે.
આ સિવાય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવા આક્ષેપ કર્યા કે અનેકવાર મગફળી ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી છે. આપ પ્રમુખને ફરિયાદ મળતા તેઓ પણ ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા. હવે તેમની સામે ખોટી ફરિયાદ કર્યાનો આક્ષેપ થઈ રહ્યા છે. જેથી આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જ્યારે મહિલા પીઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વાતચીત ચાલી રહી હતી. તે સમયે ગોપાલ ઇટાલિયાએ મહિલા પીઆઈના પગે પડીને પૂછ્યું કે કાર્યકર્તાઓએ છેડતી કેવી રીતે કરી હતી તે જણાવો. આ સમયે ત્યાં સ્થળ પર ઉભેલા અન્ય લોકોએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપ્યું હતું.
વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
યુક્રેનના પ્રમુખ અમેરિકાના પ્રમુખ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. ફ્લોરિડાના પામ બીચ પર બંન નેતાઓ વચ્ચે મુલાકાત થશે. આ મુલાકાતમાં રશિયા-યુક્રેન યુદ્ધના સમાધાન અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે આ બેઠક પહેલા જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે.
આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો
પુતિનનું યુક્રેનને અલ્ટિમેટમ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુક્રેન શાંતિ પ્રસ્તાવ નહીં માને તો રશિયાએ બળપ્રયોગ કરવો પડશે અને રશિયા સૈન્યની મદદથી પોતાના ઉદ્દેશ્યો પૂરા કરશે.
નોંધનીય છે કે હાલમાં જ રશિયાએ યુક્રેનના કીવ પર મિસાઈલથી હુમલો પણ કર્યો હતો. પુતિને કહ્યું છે, કે રશિયા શાંતિથી સમાધાન કરવા માંગતુ હોય તેવું નથી લાગતું. એવામાં જો તે શાંતિથી નહીં માને તો રશિયા યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરશે. રશિયાની સરકારી એજન્સી અનુસાર પુતિને એમ પણ કહ્યું છે શાંતિથી સમાધાન અંગે યુક્રેન ગંભીર નથી.
રશિયાએ હાલમાં જ કર્યો હતો કીવ પર હુમલો બીજી તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનો દાવો છે કે શાંતિથી સમાધાનના રસ્તા અમે કોઈ અડચણ ઊભી નથી કરી રહ્યા.
નોંધનીય છે કે ઝેલેન્સ્કીએ અમેરિકા જતાં પહેલા કેનેડા, જર્મની, ફિનલેન્ડ, ડેન્માર્ક સહિતના નાટો દેશના પ્રમુખો સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે હાલમાં જ રશિયાએ યુક્રેનના પાટનગર કીવ પર ભીષણ હુમલો કર્યો હતો. રશિયાએ કીવ પર 500થી વધુ ડ્રોન અને 40 મિસાઈલ છોડી હતી. જેમાં એક વ્યક્તિના મોત અને 27 ઈજાગ્રસ્ત હોવાની આશંકા છે.
વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની બદલાતી જન સાંખ્યિકીને લઈને એક ગંભીર ચેતવણી આપી છે. શનિવારે (27 ડિસેમ્બર) ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, જો રાજ્યમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 50 ટકાનો આંકડો પાર કરી જશે તો આસામને બાંગ્લાદેશનો ભાગ બનાવવાના પ્રયાસ શરૂ થઈ શકે છે.
આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો
તેમણે આ સ્થિતિને આસામની અસ્મિતા અને સંસ્કૃતિ માટે એક મોટો ખતરો ગણાવી.મુખ્યમંત્રી સરમાએ આંકડાનો હવાલો આપતા કહ્યું કે, ‘હાલમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 40 ટકાને પાર કરી ચૂકી છે અને આ સતત વધી રહી છે. આજે આપણે પોતાની આંખોથી આ વાસ્તવિકતાને જોઈ રહ્યા છીએ. જો આ વસ્તી 50 ટકાથી વધુ થઈ જશે, તો આસામના અસ્તિત્વ પર સંકટ આવી જશે.’
બાંગ્લાદેશમાં હાલમાં જ થયેલી દીપુ દાસની મોબ લિંચિંગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ આસામના લોકોને અપીલ કરી. તેમણે કહ્યું કે, ‘જો આજે આવી ઘટનાઓ થઈ રહી છે, તો આસામના લોકો કલ્પના કરી શકે છે કે આગામી 20 વર્ષમાં અહીંની સ્થિતિ શું થશે. પછી જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુદ્ધ થશે તો તેઓ કોનો સાથ આપશે?’
આગામી વિધાનસભા ચૂંટણીને મુખ્યમંત્રીએ એક માત્ર રાજકીય મુકાબલો નહીં પરંતુ ‘સભ્યતાની લડાઈ’ ગણાવી. તેમણે કોંગ્રેસ પર દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે રાજ્યમાં એક નવી સભ્યતા વિકસિત થઈ ગઈ છે. તેની સંખ્યા હવે લગભગ 1.5 કરોડ સુધી પહોંચી ચૂકી છે.
સરમાએ કહ્યું કે, ‘આ લડાઈ ભૂમિ, ઓળખ અને આધારને બચાવવાની છે. પાર્ટી રાજ્યને ઘૂસણખોરોના કારણે પેદા થનારા અંધારામાં જતા બચાવશે.’મુખ્યમંત્રીએ વસતી ગણતરીના જૂના આંકડા અને ભવિષ્યના અંદાજને શેર કરતા જણાવ્યું કે, ‘2011માં મુસ્લિમોની વસ્તી 34 ટકા હતી, જેમાં બાંગ્લાદેશી મૂળના મુસ્લિમ 31 ટકા અને સ્થાનિક મુસ્લિમ માત્ર 3 ટકા હતા. 2027 સુધી આ સંખ્યા વધીને 40 ટકા થવાનો અંદાજ છે.
સ્વદેશી વસતી ઘટીને 60 ટકા થઈ ગઈ અને તેમાં હજુ ઘટાડાની સંભાવના છે.’તેમણે ભાવુક થતા કહ્યું કે, ‘જીવનકાળમાં ઘૂસણખોરોની વસ્તી 21 ટકા થી વધીને 40 ટકા થઈ ગઈ અને તેમના બાળકોના સમય સુધીમાં અસમિયા સમુદાયની વસ્તી ઘટીને માત્ર 30 ટકા રહી શકે છે.
વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
‘સાંસ્કૃતિ ઓળખ પર આકરું વલણમુખ્યમંત્રીએ આસામને શંકર-અઝાન (વૈષ્ણવ સંત શંકર દેવ અને સૂફી સંત અઝાન ફકીર)ની ધરતી ગણાવાતી ધારણાને ફગાવી દીધી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, ‘આસામ માત્ર શંકર-માધવ (શંકરદેવ અને તેમના શિષ્ય માધવ દેવ)ની ભૂમિ છે. આઝાન ફકીર સાથે મહાપુરુષોની સરખામણી કરીને આપણી સાંસ્કૃતિક ઓળખને નબળી કરવાનો પ્રયાસ સહન નહીં કરવામાં આવે.’
પોતાના સંબોધનના અંતમાં તેમણે અહોમ સેનાપતિ લાચિત બોરફુકનનું સ્મરણ કર્યું, જેમણે બીમાર હોવા છતાં મોગલોને હરાવ્યા હતા. મુખ્યમંત્રીએ સંકલ્પ લેતા કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આપણે પોતાની ઓળખ અને સંસ્કૃતિને બચાવવા માટે સતત લડીશું અને જીત હાંસલ કરીશું.’
મોરબીમાં ખેતરમાં મજૂર બની આવેલી એક મહિલાએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 51 લાખથી વધુનો મુદ્દામાલ પડાવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે 5 આરોપી પકડી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી મહિલા સહિત 3 ફરાર છે, પોલીસ તપાસ ચાલું છે.
આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો
મોરબી: શહેરમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી સોનાના બિસ્કીટ-ચેઇન,કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ. 51 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પડાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ સામે આવ્યો છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, હાલના હનિટ્રેપ કેસમાં જે મહિલા આરોપી સંડોવાયેલી છે, તેની અગાઉ પહેલા પણ આવો જ એક હનીટ્રેપ કેસ નોંધાયેલો છે, તેમ છતાં પણ તેણીએ અન્ય સાત જેટલા શખ્સો સાથે મળીને વધુ એક હનિટ્રેપના કેસને અંજામ આપ્યો છે.
ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી 5 લોકોની પકડી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ હનિટ્રેપનો શિકાર બનનાર ખેડૂત પોતાની વાડી માટે મજૂર શોધી રહ્યા હતા, જે જાણ થતાં પાંચાભાઇ માણસુરીયા નામના શખ્શે તેના સાગરિતો સાથે મળીને આ આખું હનિટ્રેપનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાનિંગ મુજબ પાંચાભાઇ માણસુરીયાએ એક મહિલાને મજૂરીના બહાને વાડીએ મોકલી હતી અને બાદ અન્ય આરોપીઓ વાડીએ આવી આ મહિલા સાથે ખેડૂતના વાંધાજનક ફોટા-વિડિયો ઉતારી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આમ કરીને તેઓએ અધધ 1 કરોડ 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેમાંના રૂ.50 લાખના 4 સોનાના બિસ્કીટ, 2.5 તોલાનો સોનાનો ચેઇન તથા રોકડા રૂપિયા સહિત રૂ.53,50,000/-ની માલમત્તા બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. બાદમાં વધુ રૂપિયા કઢાવવા માટે આ લોકોએ ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. જોકે સમય જતાં કોઈને કોઈ રીતે ભોગબનનાર ખેડૂત આ ગઠિયાઓના ચંગૂલમાંથી નીકળી ગયા બાદ તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
હનીટ્રેપનો ભોગ બનેલા ખેડૂતે ગત તા. 25/12/2025ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે 8માંથી 5 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. આ સાથે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ.51 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે.
આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ બોટાદના પાળીયાદ ગામના વતની જીલુભાઇ પરસાડિયા; સુરેન્દ્રનગર સાયલાના સુદામડા ગામના વતની મુકેશભાઇ આલ; મોરબી વાકાનેરના કરણભાઇ વરૂ તથા વાંકાનેરના તીથવા ગામના પાંચાભાઇ માણસુરીયા તેમજ બોટાદના રહેવાસી દેવાંગભાઇ વેલાણી તરીકે થઈ છે. જ્યારે ફરિયાદ અનુસારના ત્રણ આરોપી બોટાદ રતનપરના મનીષભાઇ ગારીયા, બોટાદ નાગલપરના રમેશ ઉર્ફે રામાભાઇ હાડગડા તથા મુખ્ય મહિલા આરોપી ખુશી પટેલ હાલ ફરાર છે, જેઓને પકડવા પોલીસે તપાસની તજવીજ ચાલુ છે.
આ મામલે વધુ માહિતી આપતા મોરબી ડીવાયએસપી વી.બી.દલવાડીએ જણાવ્યું કે, પોલીસે પકડેલ આરોપીઓ પાસેથી મળેલ ત્રણ સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, બે કાર, એક એક્સેસ બાઈક અને 6 મોબાઇલ સહિત કુલ રૂ.51,11,000/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના નિર્ણય બાદ, દેશની સૌથી મોટી બૅન્ક ભારતીય સ્ટેટ બૅન્ક(SBI)એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBIએ વ્યાજ દરોમાં25 બેસિસ પોઇન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ નિર્ણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), ઍક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ(RLLR), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટમાં પણ ઘટાડો કરશે.
EBLR ઘટીને 7.90% થઈ
SBI દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ, બૅન્કનો ઍક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર(EBLR) 25 બેસિસ પોઇન્ટ્સ ઘટીને 7.90% થઈ જશે. આ નવા દરો 15 ડિસેમ્બર, 2025થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, RBIએ ગ્રોથને ટેકો આપવા માટે ગયા સપ્તાહે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો હતો, જેના પગલે SBIએ આ નિર્ણય લીધો છે.
તમારી EMIમાં કેટલી બચત થશે?
જો તમે EBLR આધારિત ₹30 લાખ સુધીની લોન 20 વર્ષના સમયગાળા માટે લીધી છે અને હાલમાં વ્યાજ 8% છે, તો તમારી EMI ₹25,093 હશે. હવે, 25 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, આ EMI ઘટીને ₹24,628 થઈ જશે.
IOBએ પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો
દેશની અન્ય અગ્રણી બૅન્ક ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે(IOB) પણ 15 ડિસેમ્બરથી તેના લોન દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. IOBએ તેના EBLRને 8.35%થી ઘટાડીને 8.10% કર્યો છે, જે 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, બૅન્કે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની તમામ અવધિ માટે MCLRમાં પણ 5 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો મંજૂર કર્યો છે.
આકાશમાં ઘણી વાર કંઈકને કંઈક થતું હોય છે. કેટલીક ઇવેન્ટ એવી હોય છે જે આપણને નરી આંખે પણ જોઈ શકાય છે. થોડા દિવસ પહેલાં જ ચંદ્ર અને જ્યુપિટર એકમેકની નજીક આવ્યા હતા અને એની પણ લોકોએ મજા માણી હતી. હવે એક નવી ઇવેન્ટ 13 ડિસેમ્બર એટલે કે શનિવારે રાતે થવા જઈ રહી છે. એને ઉલ્કાવર્ષા પણ કહેવાય છે, પરંતુ વિજ્ઞાનની ભાષામાં એને જેમિનિડ મીટિયોર શાવર કહેવાય છે. આ ઇવેન્ટને જોવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય અંધારું થાય ત્યારથી લઈને વહેલી સવાર સુધીનો છે.
શું છે જેમિનિડ મીટિયોર શાવર?
જેમિનિડ મીટિયોર શાવર એક અલગ જ ઇવેન્ટ છે. લઘુગ્રહ 3200 Phaethonમાંથી આ જેમિનિડ મીટિયોર છૂટા પડ્યા છે. આ એક પથ્થરિયાળ લઘુગ્રહ છે નહીં કે બરફનો. આથી એમાંથી ઘણું ડેબ્રિસ છૂટું પડ્યું છે. સરળ ભાષામાં કહીએ તો પથ્થર છૂટા પડ્યા છે. આ પથ્થર એક સાથે અંતરિક્ષમાં રહે છે. આ પથ્થર જ્યારે પૃથ્વીની નજીક આવે છે અને આકાશ સાથે એનું ઘર્ષણ થાય છે ત્યારે તે તૂટે છે અને એને કારણે એક મોટો લિસોટો પડે છે. આ લિસોટા પરથી એવું લાગે છે કે વિજળી પડી હોય અથવા તો તારો તૂટી ગયો હોય. આ લિસોટોના વિવિધ કલર હોઈ શકે છે. એથી એક રીતે જોઈએ તો આકાશમાં કુદરતી આતશબાજી થઈ જોવા મળે છે. આ ઇવેન્ટમાં એક કલાકની અંદર 100થી વધુ મીટિયોર જોવા મળે છે.
જેમિનિડ મીટિયોર જોવા માટેની ટીપ્સ
જેમિનિડ મીટિયોર શાવર દુનિયાના મોટાભાગની જગ્યાએ દેખાઈ છે અને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. એને ખૂબ જ સારી રીતે જોવા માટે અંધારી જગ્યાને પસંદ કરવી. શહેરની લાઇટથી દૂર કોઈ જગ્યા પસંદ કરવી. ખુલ્લું ગ્રાઉન્ડ અથવા તો હિલ સ્ટેશન જોવા માટે ઉત્તમ છે. આકાશમાં સતત નજર રાખવી કારણ કે મીટિયોર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. આથી એક જ જગ્યાએ નજર નહીં રાખવી. ટેલિસ્કોપ અને બાયનોક્યુલરનો ઉપયોગ કરતાં એ નહીં જોઈ શકાય કારણ કે એના કારણે વિઝન નાનું થઈ જાય છે. મીટિયોર શાવર જોવા માટે આકાશનો જેટલો ભાગ જોઈ શકાય એટલો જોવો જોઈએ.
જેમિનિડ મીટિયોર જોવા માટે શું તૈયારી કરશો?
આ ઇવેન્ટને સંપૂર્ણ રીતે જોવા માટે વ્યક્તિએ ઊભા રહી અથવા તો બેસીને જોવા કરતાં રિક્લાઇનર ચેરનો ઉપયોગ કરવો. જો એ ન હોય તો જમીન પર મેટ અથવા તો સાદળી પાથરીને સૂઈ જવું. સૂતા-સૂતા જોવાથી ગરદન દુખશે નહીં અને આકાશનો મોટાભાગનો ભાગ કવર થઈ જશે. આ માટે વ્યક્તિ ખૂબ જ લાંબો સમય બહાર રહેવું પડી શકે છે. આથી ગરમ કપડાં પહેરવા જરૂરી છે. ઠંડીથી પોતાને બચાવી રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલાક મીટિયોર એક ફ્લેશ લાઇટ જેવા હોય છે, પરંતુ જો મોટા પથ્થર હોય તો એક એક ફાયરબોલ જેવા પણ દેખાઈ શકે છે. આ જો કોઈને જોવા મળ્યા તો તેમને લાઇફ-ટાઇમની મેમરી રહી શકે છે.
આ સાથે મહત્વની વાત કે મીટિયોર જોતા પહેલાં 20-30 મિનિટ મોબાઇલ, ટીવી અથવા તો લેપટોપ એટલે કે સ્ક્રીન ધરાવતી કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરવો નહીં. એના કારણે નાઇટ વિઝન પર અસર થાય છે. તેમ જ મીટિયોર જોવા માટે ઇસ્ટથી લઈને નોર્થઇસ્ટ સુધીનું આકાશમાં વધુ જોવાના ચાન્સ રહેલા છે. જો વાદળ અથવા તો ધુમ્મસ રહ્યું તો આ મજા બગડી શકે છે. આથી આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જરૂરી છે.
મોરબી જિલ્લામાં આયુર્વેદિક શાખા દ્વારા ૧૮ અને ૧૯ દરમિયાન સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન વાંકાનેરમાં પટેલ સમાજવાડી, ડો. દેલવાડીયા હોસ્પિટલની સામે સ્ટેશન રોડ ખાતે આયુષ મેળો-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તથા નિયામક આયુષ્યની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આયુષ મેળામાં ગેસ કબજિયાત એસીડીટી જેવી પાચનની તકલીફો, હરસ મસા ભગંદર જેવા મળમાર્ગના રોગો, સોરાયસિસ, ખરજવું અને ખીલ જેવી ચામડીની તકલીફો, કમર અને ગોઠણના દુખાવા સાંધાના ઘસારા, જૂની શરદી, દમ-શ્વાસ, એલર્જી, ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવા જીવન શૈલી જન્ય રોગો, સફેદ પાણી પડવું, માસિકની તકલીફો જેવા સ્ત્રીરોગ તથા વજન વધારવા ઘટાડવા સહિતની સમસ્યાઓનું વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે.
આ આયુષ મેળામાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આયુર્વેદ હોમિયોપેથી સારવાર, વિવિધ બીમારીઓમાં ઉપયોગી યોગાસનો અંગે સમજૂતી અને લાઈવ નિદર્શન, ઘર આંગણાના અને રસોડાના ઔષધો વિશે વિશાળ ચાર્ટ પ્રદર્શન, વિવિધ વનસ્પતિઓની ઓળખાણ અને ઉપયોગીતા માટે લાઈવ વનસ્પતિ પ્રદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, બાળકો માટે સુવર્ણ પ્રાસન ના ટીપા, રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય વિતરણ, જુના વાહ સાંધાના દુખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નિકર્મ સારવાર, પંચકર્મની વિવિધ સારવાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અને લાઈવ નિદર્શન, આયુર્વેદિક જ્ઞાન સાથે ગમ્મત આપતો ગેમઝોન તથા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે સમજૂતી આપતું ચાર્ટ પ્રદર્શન સહિતના આકર્ષણ ઊભા કરવામાં આવનાર છે.
આ આયુષ મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય એચ.એમ. જેતપરિયાની યાદીમાં જણાવાયું છે.