Category: Featured

Featured posts

  • Fastag એનુઅલ પાસનું પ્રી-બુકિંગ શરૂ, માત્ર 2 મિનિટમાં આ રીતે કરો પ્રોસેસ

    Fastag એનુઅલ પાસનું પ્રી-બુકિંગ શરૂ, માત્ર 2 મિનિટમાં આ રીતે કરો પ્રોસેસ

    15 ઓગસ્ટથી દેશભરમાં ટોલ ટેક્સ ચુકવવા માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ થઈ જશે. જેનાથી હાઈવે અને એક્સપ્રેસ વે પર સફર કરતા વાહનચાલકોને ટોલની ચુકવણી કરવામાં સરળતા રહેશે.

    હવે વારંવાર રિચાર્જ કે બેલેન્સની ચિંતા કર્યા વગર તમે આસાનીથી સફર કરી શકો છો. એનુઅલ ફાસ્ટેગ પાસના ઉપયોગ બાદ ટોલ પસાર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની જશે.

    તેના ઉપયોગથી સમયની બચત થશે અને ટ્રાફિક જામ ઓછો થશે. તેની વેલિડિટી એક વર્ષ છે. તે માટે 3000 રૂપિયા ચુકવવા પડશે. તમને જણાવી દઈએ કે એનુઅલ ફાસ્ટેગ પાસનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે રાજમાર્ગ યાત્રા એપથી 2 મિનિટમાં તેનું પ્રી બુકિંગ કરી શકો છો. જાણો શું છે તેની પ્રોસેસ

    આ રીતે કરો એનુઅલ ફાસ્ટેગ પાસનું પ્રી-બુકિંગ?15 ઓગસ્ટથી શરૂ થનાર એનુઅલ ફાસ્ટેગ પાસ માટે તમે આજથી પ્રી-બુકિંગ કરી શકો છો. તે માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં રાજમાર્ગ યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તેને ઓપન કરો.

    એપમાં લોગિન કર્યાં બાદ Annual FASTag Pass ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. ત્યારબાદ વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર અને જરૂરી જાણકારી ભરવી પડશે. ત્યારબાદ પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ કર્યા બાદ તમને કન્ફોર્મેશન ડિટેલ અને પાસની વિગત એપમાં મળી જશે.

    જેનો તમે 15 ઓગસ્ટથી ઉપયોગ કરી શકશો. તમને જણાવી દઈએ કે રાજમાર્ગ એપ સિવાય તમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ખરીદી શકો છો.

    3000 ચુકવી થશે બચતએનુઅલ ફાસ્ટેગ પાસની કિંમત સરકાર તરફથી 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફાસ્ટેગમાં તમને 200 વખત ટોલ પ્લાઝા પાર કરવાની તક મળશે.

    એટલે કે તમે 3000 રૂપિયા ચુકવી 200 ટોલ પ્લાઝા પર સફર કરી શકો છો.જો તમે સામાન્ય એવરેજ ખર્ચ જુઓ તો આટલા ટોલ પ્લાઝા માટે તમારે 10,000 રૂપિયા ચુકવવા પડે છે. પરંતુ એનુઅલ ફાસ્ટેગ પાસ દ્વારા માત્ર 300 રૂપિયામાં આ સુવિધા મળી જશે.

  • જન્માષ્ટમીના તહેવારે જ વરસાદી સિસ્ટમ સક્રિય થતા લોક મેળાની મોજ બગડી

    જન્માષ્ટમીના તહેવારે જ વરસાદી સિસ્ટમ સક્રિય થતા લોક મેળાની મોજ બગડી

    આજે જન્માષ્ટમીના તહેવારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાત ભરમાં ત્રણ લેયરનો વરસાદ પડ્યો હતો.

    મોરબી સહિત ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા તો મેળામાં પણ પાણી ભરાઈ જતા લોકોની મેળાન મોજમાં ઓછપ આવી હતી.

  • ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર

    ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર

    આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.દ્વારકામાં ભક્તિનો મહાસાગરદ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હતી. ભક્તિમય માહોલમાં ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    ડાકોરમાં ઠાકોરજીને જન્મ સમયે મોગલ સામ્રાજ્યનો કરોડોનો હીરાજડિત મુગટ પહેરાવવામાં આવશે. આ ઉપરાંત, ભગવાન શ્રી રણછોડરાયજી માટે વડોદરાથી મંગાવેલા તાજા કેવડાના ફૂલનો ખાસ મુગટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ભાવવિભોર બની ‘જય રણછોડ’ના જયઘોષ કરી રહ્યા છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે.

  • હવે ચાર દિવસ ‘મોજ’; મેળાથી માંડીને ફરવાના સ્થળોએ મહેરામણ ઉમટશે

    હવે ચાર દિવસ ‘મોજ’; મેળાથી માંડીને ફરવાના સ્થળોએ મહેરામણ ઉમટશે

    જન્માષ્ટમીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી અને જન્માષ્ટમી માટે આજે બહેનો અવનવી વાનગીઓ બનાવશે. આજ થી ચાર દિવસ લોકો હવે જન્માષ્ટમીનો પર્વ ઉજવાશે.

    આજથી મોરબી, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મેળાઓ જમશેઝ રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો શરૂ થઈ ગયો છે. જેમાં હજારો લોકો મુલાકાત લેશે અને મેળાની મોજ માણશે. તહેવાર શરૂ થતા જ બજારમાં પણ જન્માષ્ટમી તહેવારની રોનક જોવા મળી રહી છે.

    આજથી ઉદ્યોગો પણ બંધ રહેશે આજથી ઉદ્યોગ અને માર્કેટ યાર્ડમાં પાંચ દિવસની રજા પડશે. જન્માષ્ટમીમાં એક સાથે પાંચ દિવસની રજા મળતી હોવાથી લોકો વિવિધ પર્યટન સ્થળોએ ફરવા નીકળી પડે છે.

    આજથી લોકો હરવા ફરવા નીકળી પડશે. જેને કારણે મોટા ભાગના સ્થળોએ લોકોની ભીડ જોવા મળશે. રાજકોટના લોકો આ વખતે ધાર્મિક સ્થળો દ્વારકા, ડાકોર, સોમનાથ, સાસણ ગીર, હિલ સ્ટેશન માં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઉદયપુર કુંબલગઢ જેવો અનેક સ્થળોએ લોકો ઉમટી પડશે.

    જન્માષ્ટમીમાં ફેમિલી ટુર માટે દ્વારકા, ડાકોર, સોમનાથ, સાસણ ગીર, હિલ સ્ટેશનમાં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નાથદ્વારા, ઉદયપુર કુંબલગઢ, મહાબળેશ્વર જશે. તેમજ આંતરરાષ્ટ્રીય ટુર માટે બાલી, વિયેતનામ, સિંગાપોર મલેશિયા લોકોનું ફેવરિટ સ્થળ બન્યું છે.

    આજે રાંધણ છઠ થી તા. 18 સુધી રાજકોટમાં લોક મેળો યોજાશે. પાંચ દિવસ લોકો મેળાની ભરપૂર મજા લેશે. અંદાજે 1700 પોલીસ સુરક્ષા વચ્ચે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ વર્ષે લોકોને ખાણી પાણી સાથે રાઈટની મજા પણ મળશે. કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવામાં આવ્યા છે. આજ થી રાજકોટ જન્માષ્ટમી તહેવારની ઉજવણી શરૂ થશે જેને પગલે અનેક સ્થળોએ પંડાલ લગાવવા આવ્યા છે.જેમાં કૃષ્ણની મૂર્તિ સાથે અનેક આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે.

    આજે સાતમની ઉજવણી કરવામાં આવશે. જેમાં શીતળા માતાજીની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ શનિવારે ભાગવત શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણાં કરવામાં આવશે.

    અનેક મંદિરોમાં રાત્રે 12 કલાકે મટકી ફોડના આયોજનો કરવામાં આવ્યા છે. હજારો ભક્તો મંદિરોમાં ઉમટી પડશે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરશે.

    જન્માષ્ટમી નિમિત્તે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ ફ્લોટમાં ભાગવતના દર્શન થશે. આજે મેળો શરૂ થતાં રાતે લોકો ઉમટી પડશે.

    આજથી શાળાઓ કોલેજો અને ઓફિસોમાં રજા પડી જતી હોવાથી લોકો આજથી જ ફરવા નીકળી પડશે. આજે સવારે થી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે.

  • મોરબીમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભવ્ય મસાલ (બાઈક) રેલીનું આયોજન

    મોરબીમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભવ્ય મસાલ (બાઈક) રેલીનું આયોજન

    મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત બેનર હેઠળ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી અંતર્ગત આજે મોરબી શહેરમાં ભવ્ય મસાલ (બાઈક) રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપરાંત હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    રેલીનો પ્રારંભ મહારાણા પ્રતાપજીની પ્રતિમા પાસેેથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી “વંદે માતરમ”, “ભારત અખંડ હો” તથા “ભારત હિન્દુ રાષ્ટ્ર હો” જેવા દેશભક્તિના ગુંજતા નારાઓ સાથે બાઈક રેલી આગળ વધારી હતી.

    સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે યોજાયેલી આ રેલી દરમિયાન પ્રસ્થાન સ્થળે તથા પૂર્ણ સ્થળે ભાઈઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું

    આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશભક્તિનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

  • મોરબીની અંબિકા સોસાયટીના બાળકોએ વેશભૂષા ધારણ કરી રેલી કાઢી સ્વતંત્ર દિવસની ઉજવણી કરી

    મોરબીની અંબિકા સોસાયટીના બાળકોએ વેશભૂષા ધારણ કરી રેલી કાઢી સ્વતંત્ર દિવસની ઉજવણી કરી

    મોરબીની સામા કાંઠે આવેલી અંબિકા સોસાયટીના બાળકોએ તિરંગા હાથમાં લઈ વેશભૂષા ધારણ કરીને ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર શેરીઓમાં રેલી કાઢીને ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરી હતી

  • ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હળવદ ખાતે ઉજવાયો

    ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હળવદ ખાતે ઉજવાયો

    મોરબી : દેશના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ હળવદ તાલુકા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.

    કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, તાલુકા સ્તરના અધિકારીઓ, લોક પ્રતિનિધિઓ, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

    કાર્યક્રમની શરૂઆત દેશભક્તિગીતોથી કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

    ત્યારબાદ રાષ્ટ્રીય ગીત તથા રાષ્ટ્રગાન સાથે દેશ માટે સમર્પણનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરનાર વ્યક્તિઓને પ્રશંસા પત્ર વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા.

    આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના જુસ્સા અને એકતાના ભાવની ઝાંખી જોવા મળી હતી.

  • મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ

    મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ

    મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ ઈન્ડીંકેટરની સમિક્ષા કરવામાં આવી હતી.

    નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત દરેક હેલ્થ ફેસેલીટી ખાતે રજીસ્ટર્ડ થયેલ તમામ સગર્ભાનું NVHCP અંતર્ગત હિપેટાઈટીસનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવા તથા જેમાં રિએક્ટિવ જે હાઇરીસ ANC હોય તેની તમામની ડીલેવરી હાયર સેન્ટર પર થાય તે માટે સુનિશ્ચિત કરવા માટે સુચના આપવામાં આવી હતી.

    તમામ હિપેટાઈટીસ રિએક્ટીવ સગર્ભાથી જન્મ થયેલ બાળકને ૨૪ કલાકમાં HBIG વેકસીન નિ:શુલ્ક મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત જો પ્રાઇવેટમાં ડીલવરી થાય તો પણ સરકારશ્રી દ્વારા HBgAs + ANC ને અંદાજીત રૂ. ૪૦૦૦/- થી ૫૦૦૦/- નું HBIG ઇન્જેક્શન ફ્રી આપવામાં આવે છે જેની માટે કોઈ પણ દર્દી આ ઇન્જેક્શન માટે બાકી ન રહી જાય તે બાબતે તકેદારી રાખવા તાકિદ કરવામાં આવી હતી.

    તમામ બ્લડ બેન્કમાં જે બ્લડ ક્લેક્ટ કરવામાં આવેલ છે તે દરેકના હિપેટાઈટીસ ટેસ્ટ કરવામાં આવે તેમાંથી જે ક્લાઈન્ટ હિપેટાઈટીસ પોઝીટીવ આવે તે દરેક ક્લાઈન્ટને ART સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે, દરેક ડોનરના વાઈરલ લોડ ટેસ્ટીંગ થઈ જાય તે ખાસ તે સુનિશ્ચિત કરવા તેમજ જે ટ્રીટમેન્ટ માટે એલીજીબલ હોય તે દરેક દર્દી ટ્રીટમેન્ટ સેન્ટર સુધી સારવાર માટે પહોંચે અને કાર્યક્રમ અન્વયે આપવામાં આવતી તમામ સેવાઓ મેળવે તે બાબત સુનિશ્ચિત કરવાની કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

    આ તકે જિલ્લા ક્ષય અધિકારી દ્વારા નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત હાલ સુધી થયેલ તમામ કામગીરી વિષે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

    આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સર્જન આર.એમ.ઓ., માઈક્રો બાયોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ અધિકારીશ્રી, જેલ સુપ્રીટેન્ડેન્ટ. દિશા યુનિટ તથા નવજીવન, અનમોલ, સમગ્ર પ્રોજેક્ટ મોરબીના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

  • મોરબીમાં જિલ્લા કક્ષાનો સહકારી સંસ્થાઓનો સેમીનાર યોજાયો; સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

    મોરબીમાં જિલ્લા કક્ષાનો સહકારી સંસ્થાઓનો સેમીનાર યોજાયો; સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

    વર્ષ ૨૦૨૫ની આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ગુજરાત સહકાર રાજયમંત્રી  જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કક્ષાના સહકારી સંસ્થાઓ માટેનો સેમીનાર યોજાયો હતો.

    આ પ્રસંગે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના ગામે ગામે  સહકારી મંડળીઓ થકી ગ્રામ્ય વિસ્તારોનું અર્થતંત્ર મજબૂત બને તે માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી  અમિત શાહના નેતૃત્વ હેઠળ સરકાર પ્રયાસરત છે. દેશમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવી સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું છે અને હવે દરેક સહકારી મંડળીઓ કમ્પ્યુટરાઇઝ બને તે માટેની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. સહકારી મંડળીઓમાં જોડાયેલ ખેડૂતોના માલનું બ્રાન્ડિંગ પણ સરકાર કરી રહી છે. વધુમાં મંત્રી એ સૌને સ્વદેશી પેદાશો વાપરવા અનુરોધ કર્યો હતો.

    ધારાસભ્ય અને સહકારી અગ્રણી  જયેશ રાદડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશ સહકાર થકી સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. સહકારી પ્રવૃતિઓ થકી દેશના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તાર મજબૂત બને તે માટે સરકારના પ્રયાસોથી આજે સહકાર ક્ષેત્ર વટવૃક્ષ બન્યું છે.

    સહકારી બેંક અને વિવિધ સહકારી સંસ્થાઓ તથા સંઘના ચેરમેન ઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લાની સહકારી મંડળીઓના લાભાર્થીઓને અકસ્માત વીમા યોજના તથા મેડિકલ વીમા યોજના હેઠળ ચેક તથા સહકારી મંડળી તરીકે નોંધણીના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ધારાસભ્ય સર્વ  દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદ  મોહનભાઈ કુંડારીયા, સહકાર સચિવ  સંદીપકુમાર IAS, મોરબી જિલ્લા કલેક્ટર  કે.બી. ઝવેરી, સંયુક્ત રજીસ્ટ્રાર સર્વ  નીલમ વ્યાસ, ટી.સી. તીર્થાની તથા ચેતન પરમાર, મોરબી જિલ્લા રજીસ્ટ્રાર  બી.એન.પટેલ, સહકારી આગેવાન  મગનભાઈ વડાવીયા અને ભવાનભાઈ ભાગીયા, અગ્રણી  જેન્તીભાઈ રાજકોટીયા તથા જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ ઓ અને સભ્યો તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ – અમરિકા પર વિશ્વાસ ન કરતા

    અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ – અમરિકા પર વિશ્વાસ ન કરતા

    બ્રિક્સમાં જોડાઇ જાઓ, ટ્રમ્પ તાર્કીક નથી, આવેશમાં નિર્ણયો લે છે : જેફરી સાસ

    યુએસ-ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના અર્થશાસ્ત્રી જેફરી સાસે ભારતને અમેરિકા પરથી નિર્ભરતા ઘટાડવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટનની સાથે સુરક્ષા સમાધાન કારગર સાબિત નહીં થાય.

    તેથી ભારતને બ્રિક્સ સાથે જોડાવા સલાહ છે. આમ કહેવા પાછળનું કારણ આપતાં જેફરીએ કહ્યું કે,  અમેરિકા હવે ભારત પાસેથી એટલી મોટી નિકાસનો સ્વીકાર નહીં કરે, જેટલી તેણે ચીન પાસેથી ખરીદી કરી હતી.

    જેફરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર રશિયન ક્રૂડની આયાત બદલ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના વલણ પર જણાવ્યું કે, ટ્રમ્પ તાર્કિક કે વ્યૂહાત્મક વ્યક્તિ નથી. તે આવેશમાં આવીને કામ કરે છે. તેમણે વિચાર્યુ હતું કે, ભારત તેમની માગ પર તુરંત સહમત થઈ જશે, પરંતુ ભારતે તેમની ધમકીઓ આગળ ઝૂકવાનો ઈનકાર કરી દીધો.

    જેફરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ કોઈ સમજી-વિચારીને હાથ ધરાયેલી રણનીતિ નથી. ટ્રમ્પ જે પણ કરે છે, તે આવેશમાં લીધેલા નિર્ણયો છે. ભારતે તેનાથી સતર્ક રહેવાની જરૂર છે. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે, ભારતે પોતાના મુખ્ય પાર્ટનર તરીકે અમેરિકા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિનું અનુસરણ કરવાની જરૂર છે. અમેરિકાના નિવેદનો અને કાર્યવાહી મુદ્દે સાવચેત રહેવુ જોઈએ.

    અમુક લોકોનું માનવુ હતું કે, ભારત અમેરિકાનો એક ગાઢ આર્થિક ભાગીદાર બનશે. જે ચીનના વેપારનું સ્થાન લેશે. પરંતુ તે અજ્ઞાનતા છે. અમેરિકા ભારત પાસેથી એટલા મોટાપાયે આયાતને મંજૂરી નહીં આપે. ભારત પર ટેરિફ રશિયન ક્રૂડ ખરીદવા બદલ લાદવામાં આવ્યું છે.

    જ્યારે ચીન તો રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ખરીદે છે. તેમ છતાં તેના પર ટેરિફમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે શરૂઆતમાં ચીન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેનો ચીને આકરો જવાબ આપ્યો હતો. રેર અર્થની નિકાસ અટકાવી દીધી હતી. જવાબી ટેરિફ પણ લાદ્યો હતો. જેથી અમેરિકા પાછી પાની કરવા મજબૂર બન્યું હતું.