HomeAllએક વર્ષમાં મોરબીમાં 550 કરોડના વિકાસ કાર્યોથી જનસુખાકારીમાં વધારો : સ્વપ્નિલ ખરે

એક વર્ષમાં મોરબીમાં 550 કરોડના વિકાસ કાર્યોથી જનસુખાકારીમાં વધારો : સ્વપ્નિલ ખરે

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ અવસરે આજે મોરબીમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ગયા એક વર્ષ દરમિયાન પાલિકાના વિવિધ વિભાગો દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને કરાયેલા વિકાસ કાર્યોની વિગત જાહેર કરવામાં આવી હતી.

કમિશનરે જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિભાગોના મળીને કુલ 550 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પૂર્ણ, પ્રગતિ હેઠળ અથવા ટેન્ડર તબક્કે છે. પત્રકાર પરિષદ મોરબી ઇસ્ટ ઝોન ઓફિસ ખાતે યોજાઈ હતી. જેમાં ફાયર અને ઈમરજન્સી વિભાગે શહેરની સુરક્ષા માટે હાથ ધરાયેલા પગલાં રજૂ કર્યા.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સ્વચ્છતા, ડોર-ટુ-ડોર કચરા સંકલન અને વેસ્ટ પ્રોસેસિંગ અંગેની સ્થિતિ જણાવી. સિવિલ અને ટાઉન પ્લાનિંગ વિભાગે રોડ, બ્રિજ તથા શહેરી વિકાસથી જોડાયેલા ongoing અને નવીન કાર્યો પર પ્રકાશ પાડ્યો. તે ઉપરાંત વોટર અને ડ્રેનેજ વિભાગે શહેરમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સની માહિતી આપી.

ઇલેક્ટ્રિક વિભાગે લાઇટિંગ તથા શહેરના સૌંદર્યીકરણ સંબંધિત સુશોભન કાર્યો રજૂ કર્યા, જ્યારે ગાર્ડન અને સીટી બ્યુટીફીકેશન વિભાગે હરિયાળી અને ઉદ્યાનોના વિકાસની વિગતો આપી. રમતગમત, સાંસ્કૃતિક, લાઇબ્રેરી અને હેલ્થ વિભાગ દ્વારા નાગરિક કલ્યાણને પ્રોત્સાહન આપવા કરાયેલ કામગીરી પણ રજૂ કરવામાં આવી.

આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા દ્વારા “સિટીઝન્સ બજેટ” અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી. આગામી બજેટ તૈયાર કરતા પહેલાં મોરબીના નાગરિકો પાસેથી તેમના સૂચનો, જરૂરિયાતો અને అభિપ્રાય મેળવવા માટે સિટીઝન્સ બજેટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ નાગરિકોની સીધી ભાગીદારી વધારવાનો અને વધુ નાગરિક-કેન્દ્રિત બજેટ તૈયાર કરવાનો છે. મોરબીના લોકોને શહેરના વિકાસ માટે પોતાના વિચારો અને સૂચનો વહેંચવાની તક આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!