સમગ્ર વિસ્તારમાં “નો ડ્રોન”UAV (Unarmed Aerial Vehicle) “ફલાઈ ઝોન” જાહેર કરી UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંશાધનો ચલાવવા પર મનાઈ ફરમાવાઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ આગામી તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૧૫:૦૦ કલાકે ” દરિયાલાલ ચેમ્બર્સની સામે, ભક્તિનગર સર્કલ, શકત શનાળા રોડ, મોરબી, તા.જિ.મોરબી ખાતે
“શ્રી કમલમ્”નાં લોકાર્પણ માટે પધારનાર હોય, મહાનુભાવશ્રી “Z+ CRPF WITH ASL PROTECTEE” મુજબની સુરક્ષા કવચ ધરાવે છે.

જેથી મહાનુભાવશ્રીની સલામતીને ધ્યાને લઇ, મહાનુભાવશ્રીના પ્રવાસ રૂટ ઉપર તથા કાર્યક્રમ સ્થળ ખાતે “નો ડ્રોન” તથા અન્ય UAV (Unarmed Aerial Vehicle) “નો ફલાય ઝોન”‘ અંગેનું જાહેરનામું બહાર એસ.જે.ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરI દ્વારા પાડવામાં આવ્યું છે.

તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૧૫/૦૦ કલાકે માન.કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના મોરબી જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રવાસ રૂટ ઉપર તથા હેલીપેડ (શ્રી જોગ અન્નક્ષેત્ર સેવા આશ્રમની સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી, તા.જિ.મોરબી)ની આજુબાજુના ૧૦૦ મીટરના એરીયામાં તેમજ કાર્યક્રમ સ્થળ (“શ્રી કમલમ”, દરિયાલાલ ચેમ્બર્સની સામે, ભક્તિનગર સર્કલ, શકત શનાળા રોડ, મોરબી, તા.જિ.મોરબી)ની આજુબાજુ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧/૧૧/૨૦૨૫ના કલાક ૦૦:૦૦ થી ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે.





