
ઇઝરાયલ અને અમેરિકાએ શરૂ કરેલા હુમલા વચ્ચે ભારતે ઇઝરાયલમાં તેના દુતાવાસ અને નાગરિકોને સલામત સ્થળે રહેવા માટે જણાવી દીધુ છે. જેરૂસલામમાં ભારતીય દુતાવાસમાં સખત રીતે સુરક્ષા બંદોબસ્ત લાદવામાં આવ્યા છે અને લઘુતમ સ્ટાફથી કામ કરવામાં આવ્યું છે.

અહીં વસતા ભારતીય નાગરિકોને પણ સલામત સ્થળે રહેવા જણાવાયું છે. હાલ ઇઝરાયલ સાથેની તમામ વિમાની સેવાઓ બંધ છે અને તેથી કોઇ નાગરિકોને ખસેડી શકાય તેમ નથી.




















