

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવા વાર્ષિક ટોલ પાસને કાર ચાલકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સરકારે 15 ઓગસ્ટ 2025થી તેનો અમલ શરૂ કર્યો છે. એક મહિનાથી ઓછા સમયમાં તેને કાર ચાલકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

આ પછી હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર ચાલતી સરકારી અને પ્રાઈવેટ બસો માટે પણ નવી ટોલ સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમનો ફાયદો બસ ઓપરેટરોને મળશે અને મુસાફરી પણ પહેલા કરતા સસ્તી થશે.ગડકરીએ બસ અને કાર ઓપરેટર્સ ક્નફેડરેશન ઓફ ઇન્ડિયાના ભારત પ્રવાસ એવોર્ડ સમારોહમાં કહ્યું કે, અમે બસ ઓપરેટરો માટે ટોલ પોલિસી બનાવી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટ પહેલા પ્રાઈવેટ કાર, જીપ અને વાન માટે 3,000 રૂપિયાનો ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો છે. આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ સુધી વેલિડ છે. હવે બસ ઓપરેટરોને પણ સરકાર દ્વારા આવી જ રાહત આપવાનું વિચાર કરવામાં આવી રહ્યો છે.

ગડકરીએ જણાવ્યું કે, પોલ્યુશનનું લેવલ ઘટાડવા માટે 10 હાઇવે પસંદ કરવામાં આવ્યા છે. આ હાઇવે પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક ચલાવવામાં આવશે. આ હાઇવે પર ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ પેટ્રોલિયમ હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશન બનાવશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને વોલ્વોએ હાઇડ્રોજન ટ્રક બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ કોરિડોરમાં ગ્રેટર નોઇડા-દિલ્હી-આગ્રા, ભુવનેશ્વર-પુરી-કોણાર્ક, અમદાવાદ-વડોદરા-સુરત, સાહિબાબાદ-ફરીદાબાદ-દિલ્હી, જમશેદપુર-કલિંગનગર, તિરુવનંતપુરમ-કોચી અને જામનગર-અમદાવાદ રૂટનો સમાવેશ થશે.

નેશનલ હાઇવે ઓથોરિટી 750 સ્થળોએ પ્રાઈવેટ જમીન પર રેસ્ટ હાઉસ બનાવી રહી છે. આમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સુવિધાઓ હશે. આ પગલાં પરિવહન અને પર્યાવરણ માટે ફાયદાકારક છે.

જૂના વાહનને ભંગારમાં આપનાર ગ્રાહકને નવી ગાડીની ખરીદીમાં છુટ આપોનવી દિલ્હી તા.12કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે વાહન ઉદ્યોગ જગતને કહ્યું છે કે તેઓએ ગ્રાહકોને વધારાની છુટ દેવા પર વિચાર કરે જે નવી ગાડી ખરીદતી વખતે પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં બદલવાનું પ્રમાણપત્ર જમા કરાવે છે.

ગડકરીએ કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનને એ પણ અનુરોધ કર્યો છે કે જે લોકો પોતાના જૂના વાહનને ભંગારમાં બદલીને નવી ગાડી ખરીદે છે તેમને જીએસટીમાં રાહત આપવામાં આવે.









