
મોરબી: ખાખરાળા ગામના વ્યાસ પરિવાર દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા માટે ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વ્યાસ વિક્રમભાઈ હરિભાઈ વ્યાસ (સ્વ. હરિભાઈ વ્યાસના પુત્ર) દ્વારા સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓના સહકારથી કરવામાં આવ્યું છે.

આ ભવ્ય કાર્યક્રમ તા. 11 એપ્રિલ 2026, શનિવારના રોજ રાત્રે 9:00 વાગ્યે યોજાનાર છે. કાર્યક્રમનું સ્થળ પ્રમુખ સોસાયટી, 60 ફૂટ રોડ, કૃષ્ણા સ્કૂલ વાળી શેરી, પ્રમુખ ચોક, મૂન એપાર્ટમેન્ટ પાસે, રવાપર ધૂનડા રોડ, મોરબી રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે સમસ્ત ભવાઈ પ્રેમી તેમજ ધાર્મિક ભાવના ધરાવતા જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.
















