
મોરબી જીલ્લામાં નેશનલ હાઈવેની દુર્દશા મામલે અગાઉ સિરામિક એસોસિએશને કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ સાંસદોએ પણ હવે કેન્દ્રીય મંત્રીને રૂૂબરૂૂ મુલાકાત વેળાએ આ અંગે…

મોરબી જીલ્લામાં નેશનલ હાઈવેની દુર્દશા મામલે અગાઉ સિરામિક એસોસિએશને કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ સાંસદોએ પણ હવે કેન્દ્રીય મંત્રીને રૂૂબરૂૂ મુલાકાત વેળાએ આ અંગે રજુઆત કરી છે.

દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા,પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ

અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરી હતી. નીતિન ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવેના પ્રશ્નનોના નિરાકરણ વહેલી તકે આપવા જણાવાયુ હતું.


















