HomeAllમોરબી: સ્વ.કચરાભાઈ અવચરભાઈ અંબાણીના બેસણામાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી: સ્વ.કચરાભાઈ અવચરભાઈ અંબાણીના બેસણામાં રક્તદાન કેમ્પનું આયોજન

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા, મોરબી)  દિવંગત સ્વ. કચરાભાઈ અવચરભાઈ અંબાણી (થોરાળાવાળા)નું તા. ૧૫-૦૧-૨૦૨૬, ગુરુવારના રોજ અવસાન થયું હતું. તેઓના નિધનથી અંબાણી પરિવાર તથા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દિવંગત આત્માને શાંતિ અર્પણ કરવા તથા શ્રદ્ધાંજલિ આપવા માટે તા. ૧૭-૦૧-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે બેસણું રાખેલ છે.

બેસણાંના સ્થળે શ્રદ્ધાંજલિ સાથે માનવસેવા રૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં  હાજરીથી “મહાદાન – રક્તદાન” દ્વારા એક રક્તદાતા ત્રણ વ્યક્તિને નવું જીવન આપે છે.

આ બેસણાં તથા રક્તદાન કેમ્પનું આયોજન સ્વ. સ્વ. કચરાભાઈ અવચરભાઈ અંબાણીના પુત્રો બાલુભાઈ, વલભજીભાઈ, મહાદેવભાઈ અંબાણી તેમજ સમગ્ર અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકિક પ્રથા પણ બંધ રાખવામાં આવી છે.

તો આ સમાજને નવો રાહ ચીંધતા આ કાર્યમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રક્તદાન કરે તેવી પરિવારજનોએ હાર્દિક અપીલ કરી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!