
મોરબી : યુવા શક્તિ ગ્રુપ કે જે મોરબી માં દિવસરાત લોકોની ઇમરજન્સી બ્લડ તથા ઓક્સિજન મશીન ની જરૂરિયાત પૂરી પાડવા માટે થઈને જાણીતું છે તથા લોકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી તથા આરોગ્ય ની સુખાકારી માટે અવારનવાર ફ્રી આર્યુવેદિક તથા હોમ્યોપથિક કેમ્પ નું આયોજન કરી રહ્યું છે

ત્યારે ગ્રુપ ના મહિલા સભ્યો દ્રારા ૧ થી ૧૨ વર્ષના બાળકો ના માનસિક થતા શારીરિક વિકાસને ધ્યાને લઈને આજે પુષ્યનક્ષત્ર નિમિત્તે મોરબી ના અલગ અલગ સ્થળો જેવા કે વાઘપરા સથવારા સમાજની વાડી, ગ્રીન ચોક કુબેરનાથ મંદિર, સનાળા રોડ પંચમુખી હનુમાન મંદિર તથા અન્ય શૈક્ષણિક એકમો ખાતે નિ:શુલ્ક

સુવર્ણપ્રાશન કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમા 900 થી પણ વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.



















