HomeAllમોરબીમાં બાગાયત યોજનાઃ મંજૂર ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં ખરીદીવાવેતરના બીલ બાગાયત કચેરીએ...

મોરબીમાં બાગાયત યોજનાઃ મંજૂર ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં ખરીદી\વાવેતરના બીલ બાગાયત કચેરીએ રજૂ કરવા સૂચના

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે દરખાસ્ત તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨- ૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવાના રહેશે.

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) ઉપર અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો અપલોડ કરીને ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે દરખાસ્ત જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!