
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્થ સેન્ટર કાર્યરત રહેશે. જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્થ સેન્ટર શહેરના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે.

કોઈપણ પ્રકારની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતીના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.90814 25108 તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લાના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.78029 28288 નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.



























