HomeAllમોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતી ની  શોભાયાત્રા સંદર્ભે...

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતી ની  શોભાયાત્રા સંદર્ભે ૧૪ મી તારીખે  મોરબી લોહાણા સમાજ માટે મીટીંગ યોજાશે

મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ને લઇ ને મોરબી ના રઘુવંશી પરિવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ત્યારે આ આયોજન ને નિખારવા માટે જ્ઞાતિબંધુઓ ની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજ ની મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.

  ત્યારે આ મિટિંગ તારીખ 14મી ઓક્ટોબર ને મંગળવાર ના રાત્રે 9-30 કલાકે મોરબી ના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગ માં લોહાણા સમાજ ની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ  એ આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!