HomeAllમોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી કેમ્પમાં 368 દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી કેમ્પમાં 368 દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો 368 દર્દીઓએ લાભ લીધો હતી. અને અત્યાર સુધીના 52 કેમ્પમાં કુલ 14771 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,  જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જલારામ ધામ ખાતે આ વખતનો કેમ્પ યોજાયો હતો તેનો 368 દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત 174 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્ર્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!