

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું છે આજે તા.7 ના રોજ રાત્રે 9:00 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

મહેન્દ્રનગર ગામે આવેલ શિવ મંદિરથી રામધન આશ્રમ સુધી પહેલા રાત્રે 8:00 કલાકે શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. આ સંમેલનનો મુખ્ય સંદેશ હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહે રહેશે. આ તકે મુખ્ય વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ-સૌરાષ્ટ્ર પ્રાંત, ) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ભાણદેવજી મહારાજ, ભાવેશ્વરી માતાજી, દેવાનંદગિરી બાપુ, પૂર્ણપ્રકાશ સ્વામી, સરદમુનિ ઉદાસીન, જય દેવઆનંદ ગીરનારી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરાયું છે અને કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન-મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગરની ટિમ જહેમત ઉઠાવી રહી છે.












