મોરબીની સંકલન સમિતિની બેઠક 17 નવેમ્બરે યોજાશે

મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા. 17/11 ના રોજ બપોરના 03:00 કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ મોરબી ખાતે યોજાશે.

આ બેઠકમાં મહાપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્ર્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!