
કર્ણાટકમાં આવેલું આ બંદર દેશના મહત્વના પોર્ટ્સમાંનું એક છે, જ્યાંથી એલપીજી સહિતના ઈંધણનો પુરવઠો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાય ચેઈનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. અપોલો ઓશન નામનું એલપીજી વહન કરતું જહાજ ન્યૂ મેંગલોર પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ ઘટનાને ઊર્જા સુરક્ષા દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારત માટે રાહતજનક સમાચાર
કર્ણાટકમાં આવેલું આ બંદર દેશના મહત્વના પોર્ટ્સમાંનું એક છે, જ્યાંથી એલપીજી સહિતના ઈંધણનો પુરવઠો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાય ચેઈનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. આવી પરિસ્થિતિમાં ‘અપોલો ઓશન’નું સમયસર આગમન ભારત માટે રાહતજનક માનવામાં આવે છે.

આ ગેસ પુરવઠો મહત્વનો સાબિત થશે
આ જહાજ દ્વારા લાવવામાં આવેલા એલપીજીના જથ્થાને ઘરેલુ તેમજ ઔદ્યોગિક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ગેસની માગને પહોંચી વળવા માટે આ પુરવઠો મહત્વનો સાબિત થશે. પોર્ટ અધિકારીઓએ જહાજના આગમનને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા અને તકેદારીના પગલા લીધા હતા. હાલમાં માલ ઉતારવાની પ્રક્રિયા નિયમિત રીતે ચાલી રહી છે.

વિશ્વભરમાં ઊર્જા સંકટની શક્યતાઓ વચ્ચે ભારત પોતાના પુરવઠાને મજબૂત રાખવા માટે વિવિધ સ્ત્રોતોથી આયાત વધારી રહ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભારત મુશ્કેલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ વચ્ચે પણ ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા સજ્જ છે.












