HomeAllસાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે, 25 ડિસેમ્બરે વિશેષ કાર્યક્રમોનું આયોજન

સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે, 25 ડિસેમ્બરે વિશેષ કાર્યક્રમોનું આયોજન

મોરબી, 25 ડિસેમ્બર: સાર્થક વિદ્યામંદિર, મોરબી-2 ખાતે આગામી 25 ડિસેમ્બરે દસમો તુલસી દિવસ ઉત્સાહભેર ઉજવાશે. છેલ્લા નવ વર્ષથી યોજાતો આ કાર્યક્રમ સમાજમાં ઉત્તમ પ્રતિસાદ મેળવી રહ્યો છે.

આ વર્ષે તુલસી દિવસ અંતર્ગત તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહાયજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન, ઓર્ગેનિક–આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, માહિતીપ્રદ પ્રદર્શની, વિદ્યાર્થીઓની 5 તથા શિક્ષકોની 3 કૃતિઓનું રજૂઆત અને તુલસીના વૈજ્ઞાનિક મહત્વ અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

કાર્યક્રમ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી સાર્થક વિદ્યામંદિર–મોરબીમાં યોજાશે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને જનતા સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સૂચના: શાળાની તરફ આવતા રસ્તે કામ ચાલી રહ્યું હોવાથી મુલાકાતીઓએ પોસ્ટ ઓફિસ ફાટક તરફથી ડીમાર્ટ માર્ગેથી આવવાનું રહેશે. વાહન પાર્કિંગ માટે એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવાની વિનંતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!