HomeAllસિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે

સિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે

મોરબીમાં હવે જે સિરામિક એકમોમાં નાણાં ફસાયેલા છે.તેની સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવો નિર્ણય સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં… મોરબીમાં હવે જે સિરામિક એકમોમાં નાણાં ફસાયેલા છે.

તેની સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવો નિર્ણય સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.આ નિર્ણયને એસોસિએશનના તમામ વેપારીઓએ વધાવ્યો છે.

મોરબી સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે બેઠક મળી હતી. જેમાં અંદાજે સિરામિક એકમોને રો-મટિરિયલ્સ સપ્લાય કરતા અંદાજે 350 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતિષભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

જેમાં રો-મટિરિયલ્સના વેપારીના પૈસા જે સિરામિક એકમમાં ફસાયા છે.તેની સામે કેસ કરવામાં આવશે. આ ઉપરાંત જે એકમોનું પેમેન્ટ આવતું નથી અને ચેક રિટર્ન થયા છે તેને માલની સપ્લાય બંધ કરવામાં આવશે. સાથે હવેથી સિરામિક એકમો સાથે પેમેન્ટ ટર્મ ફિક્સ કરીને જ માલ આપવાનો રહેશે. આ ત્રણ નિર્ણયોમાં તમામ વેપારીઓએ સહમતી દર્શાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!