
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે બપોરના સમયે વાંકાનેર રેલવે સ્ટેશન પહેલા કિ.મી. ૭૦૧/૨૯ પાસે આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર રાજકોટથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવતા ટ્રેનની ઠોકરે યુવાનને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત થયું હતુ આ બનાવની જાણ થતાં જ વાંકાનેર રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી લાશને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરી છે માટે જો કોઈ વ્યક્તિને મૃતક અંગે મળે તો વાંકાનેર રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મોબાઈલ નંબર ૬૩૫૨૬ ૩૫૫૨૫ પર સંપર્ક કરવા જણાવાયું છે (અહેવાલ : અજય કાંજીયા, વાંકાનેર)



















