
વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ કલબ (દેવદયા) વાંકાનેર ડિસ્ટ્રીક 3232-જે દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું છે. જે આવતીકાલે તા.18/1ને રવિવારના રોજ યોજાશે જેમાં સવારે 10થી 1 દરમિયાન કેસ રૂબરૂ કાઢવામાં આવશે. ત્યારબાદ કેસ કાઢવામાં આવશે નહીં.

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર સ્વર્ગવાસી ડોકટર રમણીકભાઈ મોતીચંદ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ખાસ આ નિદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કાન- નાક- ગળાના નિષ્ણાંત, સાંભળવાની તકલીફ માટેના ઓડિયો રિપોર્ટના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાત, હાડકા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, મગજ-માનસિક રોગો-વ્યસન મુકિતના નિષ્ણાંત, ડાયાબિટીસના નિષ્ણાંત, તથા મગજ અને કરોડરજજુના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવાઓનો લાભ આપશે.














