HomeAllવાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થી સન્માન માટે શાહી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થી સન્માન માટે શાહી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર શ્રી સેન યુવા સંગઠન દ્વારા આજ રોજ વાણંદ સમાજના વિદ્યાર્થીસ્નેહી ઉદ્દેશ્ય હેઠળ શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની ધમાકેદાર એન્ટ્રી અને બાળાઓ દ્વારા રજુ થયેલ સ્વાગત ગીત સાથે થઇ હતી, જેના કારણે સમગ્ર માહોલ યશસ્વી ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો.

આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાણંદ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તેમના અભ્યાસિક યોગદાનની કદર કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓ પણ વિતરણ કરવામાં આવી હતી, જે સમાજની શૈક્ષણિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમારોહમાં વાંકાનેર વાણંદ સમાજ દ્વારા પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓને ગાયત્રી મંત્રના નાદ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સેન યુવા સંગઠનના તમામ સભ્યોએ સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરી, જેને કારણે કાર્યક્રમ સફળ અને સ્મરણિય રહ્યો. (અહેવાલ : અજય કાંજીયા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!