

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ તથા સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતાં અંદાજિત રૂ. ૩.૮૧ કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્ય પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ વધુ સુવિધા, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓનો લાભ પ્રાપ્ત થશે.

સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

























