
મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇની મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. મોરબીના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ મળીને 6 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવેલ છે.

જેમાં વાંકાનેર તાલુકામાં બી.વી. પટેલ, મોરબી સિટી બી ડિવિઝનમાં વી.એન.પરમાર, માળીયા મીયાણામાં કે.કે. દરબાર, સાયબર ક્રાઇમમાં એન.એ. વસાવાને મૂકવામાં આવ્યા છે જયારે પીઆઇ આર.સી. ગોહિલ અને ડી.વી. ખરાડીને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે.



























