

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડો. દેવેનભાઈ રબારીની દીકરી મનસ્વીના જન્મદિવસ અને પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિતે “આપવાનો આનંદ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના વંચિત બાળકો સાથે ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી.

ત્યારે ડૉ. દેવેન રબારીએ જણાવ્યુ હતું કે, ભપકાદાર ખર્ચાઓ કરવાને બદલે સમાજના છેવાડાના શ્રમિક અને ગરીબ પરિવારોના બાળકોને ભોજન કરાવીને તેઓના આશીર્વાદ લીધા હતા. અને બાળકોને ભોજન કરાવવાના કામમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો અને સેવાભાવી મિત્રો જોડાયા હતા.


























