મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી પડતાં મહિલાનું મૃત્યુ

Written by

in

મોરબીમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સ નામના એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી મહિલા અકસ્માતે નીચે પડી ગઈ હતી જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતા મહિલાનું મોત નીપજયું હતું.

મોરબીમાં દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના ભાગમાં કેનાલ રોડ ઉપર આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સના પાંચમા માળે રહેતા ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી (36) નામના મહિલા એપાર્ટમેન્ટના સાતમા માળે અગાસી ઉપર હતા ત્યારે ત્યાંથી કોઈ કારણસર અકસ્માતે તેઓ નીચે પડી ગયા હતા

જેથી મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે રાત્રિના સમયે મહિલાના પતિ અને તેનો દીકરો પણ ત્યાં અગાસી ઉપર હાજર હતા દરમિયાન તેનો દીકરો નીચે કામ સબબ ગયો હતો ત્યારે એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં અવાજ આવવાના કારણે ઉર્વશીબેન નીચે જોવા માટે અગાશીની પાળી પાસે ગયા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડી ગયા હતા અને તેઓને માથા તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું. તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version