HomeAllમોરબીના જલારામ મંદિરે યોજાયેલ કેમ્પનો 305 દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ કેમ્પનો 305 દર્દીઓએ લાભ લીધો

મોરબી તા 5 મોરબી જલારામ ધામ ખાતે દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીત ભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 305 દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધી ના 51 કેમ્પ માં કુલ 14403 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 4 તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાયો હતો.

જે અંતર્ગત ગુરુવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.જેમા 305 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 143 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી.

આ કેમ્પ દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીતભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિત તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!