
મોરબી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીના શનાળા ગામ પાસે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ સમાજોના આગેવાનો, મંદિર ટ્રસ્ટીઓ અને અગ્રણી નાગરિકો સાથે અર્થપૂર્ણ સંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે સમાજસેવા, રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણના સંકલ્પોને વધુ ગતિ આપવા અંગે વિચારવિમર્શ કરવામાં આવેલ હતો અને પ્રધાનમંત્રીના સેવા અને સમર્પણના જીવનમૂલ્યોને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે સહુએ એકજૂટ થઈ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મેયર ઉતમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વાસદડિયા અને તપનભાઈ દવે તેમજ મોરબી જિલ્લા બાર એસો.

ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઇ જોશી, ડો. બી. કે. લહેરું, હિતેશભાઇ ભાવસાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.























