HomeAllબેંક ખાતું રાખનારા લોકો માટે આવ્યા ગુડ ન્યૂઝ, હવે તમારું એકાઉન્ટ ફ્રીઝ...

બેંક ખાતું રાખનારા લોકો માટે આવ્યા ગુડ ન્યૂઝ, હવે તમારું એકાઉન્ટ ફ્રીઝ નહીં કરી શકે બેંક?

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો તપાસ એજન્સીઓ કે પોલીસે કોઈ ખાતામાં માત્ર એક નક્કી રકમને ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે, તો બેંક આખા ખાતાને બ્લોક ન કરી શકે. અદાલતે કહ્યું છે કે, બેંકને માત્ર તેટલી જ રકમ રોકવી જોઈએ, જેટલી રકમ આદેશમાં જણાવવામાં આવી હોય.

સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓની વચ્ચે ખાતાને ફ્રીઝ કરવાની ફરિયાદો પણ વધી છે. ઘણીવાર તપાસ એજન્સીઓના નિર્દેશ પર બેંક ખાતા પર પ્રતિબંધ લગાવી દે છે, જેનાથી ખાતાધારકોને પોતાના જ રૂપિયાનો ઉપયોગ કરવામાં પરેશાની થાય છે. હવે કર્ણાટક હાઈકોર્ટના એક મહત્વના નિર્ણયે આવા કિસ્સાઓમાં ગ્રાહકોની મોટી રાહત આપી છે.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો તપાસ એજન્સીઓ કે પોલીસે કોઈ ખાતામાં માત્ર એક નક્કી રકમને ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે, તો બેંક આખા ખાતાને બ્લોક ન કરી શકે. અદાલતે કહ્યું છે કે, બેંકને માત્ર તેટલી જ રકમ રોકવી જોઈએ, જેટલી રકમ આદેશમાં જણાવવામાં આવી હોય. ખાતાધારક બાકીની રકમનો ઉપયોગ સામાન્ય રૂપથી કરી શકે છે.

હાઈકોર્ટે શું કહ્યું?- વાસ્તવમાં આ મામલો બેંગલૂરુ નિવાસી મધુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંબંધિત હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોઈ ખાતામાં રહેલી પૂરી રકમ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી, જો આદેશ માત્ર એક નક્કી રકમ સુધી મર્યાદિત હોય. કોર્ટના પ્રમાણે, આખા ખાતાને ફ્રીઝ કરવાથી વ્યક્તિના ડેલી ખર્ચ, વેપારી કામગીરી અને અન્ય નાણાકીય જવાબદારીઓ પ્રભાવિત થઈ શકે છે. અદાલતે એ પણ કહ્યું કે, બેંકોને માત્ર માન્ય અને સ્પષ્ટ નિર્દેશોનું પાલન કરવું જોઈએ. કોઈ શક્ય કે ભવિષ્યના આદેશની આશંકાના આધાર પર વધારાની કામગીરી ન કરી શકાય.

શું હતો પૂરો કિસ્સો?- મધુ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમના બેંક ખાતા સંબંધમાં 2 અલગ-અલગ પોલીસ એકમોએ કાર્યવાહી કરી હતી. એક આદેશ ગુજરાતના મહેસાણા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનથી આવ્યો હતો, જેમાં 15,000 રૂપિયા રોકવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે, પશ્ચિમ બંગાળના બેરકપુર પોલીસ સ્ટેશનથી 10,000 રૂપિયા ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો હો. કૂલ 25,000 રૂપિયાની રકમ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ હતો. જો કે, બેંકે ખાતાને જ ફ્રીઝ કરી દીધું. બેંકનો આ તર્ક હતો કે ભવિષ્યમાં વધારે નિર્દેશ પણ મલી શકે છે. ત્યારબાદ ખાતાધારકે આ નિર્ણયને અદાલતમાં પડકાર આપ્યો હતો.

હાઈકોર્ટે બેંકની દલીલને સ્વીકાર નથી કરી અને કહ્યું કે, માત્ર ભવિષ્યની શક્યતાઓના આધાર પર આખા ખાતાને ફ્રીઝ ન કરી શકાય. અદાલતે આદેશ આપ્યો છે કે, બેંક માત્ર 25,000 રૂપિયા સુધી જ રોક લગાવે અને બાકી રકમ પર લાગેલો પ્રતિબંધ હટાવે. એક્સપર્ટ્સનું માનવું છે કે, આ નિર્ણય બેંકિંગ વ્યવસ્થામાં વધારે પારદર્શિતા લાવશે. સાથે જ સાયબર ફ્રોડ તપાસ દરમિયાન સામાન્ય લોકોને થનારી અનાવશ્યક મુશ્કેલી પણ ઓછી થશે. આ આદેશ ખાતાધારકોના અધિકારીનો મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યો છે.

ગ્રાહકોને શું ફાયદો થશે?- કર્ણાટક હાઈકોર્ટના આ ચુકાદાથી બેંક ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી શકે છે. તેનો અર્થ એ છે કે, જો કોઈ ખાતામાં નાની રકમને લઈને તપાસ ચાલી રહી હોય, તો બેંક હવે આખું ખાતું ફ્રીઝ કરી શકશે નહીં. જેનાથી ખાતાધારકો તેમની બાકીની રકમનો ઉપયોગ દૈનિક ખર્ચ, EMI, બિલ ચૂકવણી, વ્યવસાયિક વ્યવહારો અને અન્ય આવશ્યક નાણાકીય જરૂરિયાતો માટે કરી શકશે. વધુમાં, આ બેંકિંગ કામગીરીમાં પારદર્શિતા વધારશે અને લોકોને બિનજરૂરી અસુવિધાથી બચાવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments