HomeAllગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હવે હવામાનમાં ધીમે ધીમે બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. સાથે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે.

આજથી જ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા તેમજ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 22 મેથી 24 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે.

હવામાનમાં આ બદલાવને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. 3. સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને પવનોના બદલાતા પ્રવાહને કારણે ચોમાસાની ગતિ હાલમાં થોડી ધીમી પડી છે. જોકે આ સિસ્ટમ ઓમાન તરફ આગળ વધતા ચોમાસું ફરી સક્રિય બનશે અને કેરળ કાંઠે તેની એન્ટ્રી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. આગાહી મુજબ 26 મેથી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે.

4. વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અંગે પણ મહત્વની વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્ર ઉતરતી વખતે પડતો વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી માનવામાં આવે છે. રાજ્યમાં 1 જૂનથી 5 જૂન દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે.

5. રાજ્યમાં ઉકળાટમાં વધારો આ સાથે જ તેમણે જણાવ્યું કે 27 મે બાદ ફરી રાજ્યમાં ઉકળાટમાં વધારો થઈ શકે છે. જોકે હાલ વરસાદી પવનો અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળશે. બીજી તરફ 23 મે સુધી નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્ર દરમિયાન એટલે કે 23 જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વધુ મજબૂત બનશે. હાલ લોકો ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ આગાહીએ આશાનું નવું કિરણ જગાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments