HomeAllકાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ નિઃસંતાન દંપતિઓને સંતાન...

કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ નિઃસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ માટે અપાય છે શ્રીફળ

કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામે પુરૂષોત્તમ માસ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી અનોખી ધાર્મિક પરંપરા અંતર્ગત નિઃસંતાન દંપતિઓને વિશેષ શ્રીફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને માનતાધારકો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક માન્યતા અનુસાર પુરૂષોત્તમ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખી અને નિયમોનું પાલન કરીને આ શ્રીફળ ગ્રહણ કરનાર નિઃસંતાન દંપતિઓને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવાની લોકમાન્યતા છે. આ કારણે દર વર્ષે ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી ભક્તો અહીં દર્શન અને પ્રસાદી મેળવવા માટે આવે છે.

આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે આ પરંપરા અનેક વર્ષોથી અવિરતપણે ચાલી રહી છે અને ભક્તોમાં તેના પ્રત્યે વિશેષ આસ્થા જોવા મળે છે. પુરૂષોત્તમ માસ દરમિયાન યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોએ પુરૂષોત્તમ ભગવાનના દર્શન કરી સુખ-શાંતિ અને મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી.

સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ અને ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. (રિપોર્ટ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments