
મોરબી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોરબી વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે વાલ્મિકી સમાજનો 11 માં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નમાં 10 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિએ જોડાશે. આ સમૂહ લગ્નોત્સવ તા. 31/5 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આ સેવાકીય કામમાં સમૂહ લગ્નના ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે અ.સૌ. રંજનબેન અને પી.ડી. કાંજીયા તેમજ કૃષ્ણકુમાર પી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી) સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કિચન સેટના દાતા તરીકે ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ – મોરબીના પ્રમુખ રમેશભાઈ રૂપાલા તથા ટ્રસ્ટી રશ્મિકાબેન રમેશભાઈ રૂપાલા તેમજ સાસા એનર્જી એલએલપી (Sasa Energy Llp) અને સતિષભાઈ તરફથી પણ ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે.

આ આયોજનને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સેવા સમિતિના પ્રમુખ બાબુભાઈ પુરાણીયા અને ઉપપ્રમુખ ગુલાબભાઈ પુરાણીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ સમૂહ લગ્નમાં નવદંપતીને દાતાઓ અને સંસ્થાઓના સહયોગથી ચાંદીના સાંકળા, ડબલ બેડ પલંગ, કબાટ સહિત આશરે 85 જેટલી નાની-મોટી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

























