HomeAllઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે

વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.

આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.

લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!