ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર (માર્ગ અને મકાન પંચાયત) દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વત: કરાયો

Written by

in

મોરબીમાં ચાલી રહેલા રોડ રસ્તા સમારકામ અન્વયે ત્રજાપર ચોકડીથી ઘુંટુ રોડ પર માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને પગલે નુકશાન પામેલા માર્ગોનું સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ સમારકામ કરવામાં આવી રહ્યું છે. મોરબી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર મેટલ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *