Author: admin

  • મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનારયોજાયો

    મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનારયોજાયો

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા સતવારા સમાજની વાડી, વાઘપરા, મોરબી ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.

    આ સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદા નિષ્ણાંત નસીમબેન ખોખર દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ વિષે વિસ્તૃત સમજ આપતા જો કોઈ મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને તો તેમને શું પગલાં લેવા તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી   જે.બી. ત્રિવેદી દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  • મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

    મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

    પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક હેઠળ મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે

    તા. ૨૮/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રી દરમ્યાન મોરબી મહાનગરપાલિકા યુ.સી.ડી. શાખાની આગેવાની હેઠળ સંચાલક સંસ્થા સ્ટાફ અને મોરબી પોલીસ સ્ટાફ સહીત સ્થાનિક વિસ્તારોના ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલિંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના જુદા- જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રી દરમ્યાન સુતેલા લોકોને સમજાવટ દ્વારા

    આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સંસ્થા સ્ટાફ દ્વારા આ પ્રકારની નિયમિત નાઈટ ડ્રાઈવ દ્વારા લાભાર્થીઓને આશ્રયગૃહ ખાતે લાવવામાં આવે છે ત્યારે હજુ પણ અમુક લોકો રાત્રી દરમ્યાન ફૂટપાથ પર સુતેલા જોવા મળે છે અને અનેક જોખમોનો ભોગ બને છે આવા સંજોગોમાં આ પ્રકારની નાઈટ ડ્રાઈવ દ્વારા ઘરવિહોણા લોકો આશ્રયગૃહનો લાભ લઈને વધુ હકારાત્મક વલણ અપનાવી આશ્રય મેળવે ઉપરોક્ત નાઈટ ડ્રાઈવ દ્વારા ૨૨ ઘરવિહોણા લોકો અને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. સરનામું- મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ, રેલવેસ્ટેશન રોડ, મોરબી, સંચલક સંપર્ક નંબર – ૯૭૨૬૫૦૧૮૧૦

  • PM પોષણ શક્તિ યોજના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

    PM પોષણ શક્તિ યોજના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

    પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ રાજ્યભરમાં કાર્યરત હજારો સેવકોના મુદ્દાઓને લઈ આજે ભારતીય મજદૂર સંઘ – ગુજરાત પ્રદેશ સંલગ્ન કર્મચારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવાયું.

    આ રજૂઆતમાં પોષણ શક્તિ યોજના હેઠળ કાર્યરત રસોઈયાઓ અને સંચાલકોની તાત્કાલિક અને જરૂરી માંગણીઓ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સંગઠનનું કહેવું છે કે રાજ્યની ૩૨,૦૦૦ શાળાઓમાં કાર્યરત કર્મીઓ છેલ્લા ઘણા સમયથી અન્યાયનો ભોગ બની રહ્યા છે અને તેમની નિષ્ઠાપૂર્વકની સેવાને સરકાર દ્વારા યોગ્ય માન્યતા મળતી નથી.

    મુખ્ય માંગણીઓમાં સામેલ છે:

    1. યોજનાનું ખાનગીકરણ તાકીદે રોકવામાં આવે : કેન્દ્રિય રસોડાના ટેન્ડરથી સ્થાનિક શાળાઓમાં તાજું અને પોષણયુક્ત ભોજન પૂરું પાડતી પદ્ધતિ પર વિપરીત અસર પડે છે. આ ટેન્ડર રદ કરવાની માંગણી છે.
    2. જથ્થા અને સામગ્રી સમયસર ઉપલબ્ધ થાય: રાજ્ય સરકારની અયોગ્ય પરમીટ અને વિલંબથી તાત્કાલિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેલ અને કઠોળ જેવી કાચી સામગ્રી અન્ય રાજ્યોની જેમ સીધી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ.
    3. સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપવામાં આવે:
    4. શાળાઓમાં મેનેજર તરીકે કાર્યરત સંચાલકોને શાળા સહાયક તરીકે માન્યતા આપવા જણાવાયું.
    5. માનદ વેતનમાં સમાનતા:
    6. ગ્રામ્ય વિસ્તારમાં ૮ કલાકનું સતત શ્રમ આપતા રસોઈયાઓને શહેરી વિસ્તારોની ખાનગી સંસ્થાઓના ઓછી કામગીરી કરતા કર્મીઓની સરખામણીએ એકસરખું વેતન મળતું હોવાથી આ અસમાનતા દૂર કરવાની માંગ.
    7. અકસ્માત વખતે વળતર અને ઈલાજની યોગ્ય વ્યવસ્થા: રસોઈયાઓ અગ્નિસભર વાતાવરણમાં કાર્ય કરતા હોવાને કારણે દુર્ઘટનાની સંભાવના હોય છે. આવા સમયે તાત્કાલિક વળતર અને સરકારી ખર્ચે ઈલાજ માટે ખાસ જોગવાઇ કરવાની માંગણી.
    8. શ્રમ અને રોજગાર વિભાગના લાભો લાગુ કરવામાં આવે: ૮ કલાક કામ કરતા હોવા છતાં રસોઈયાઓને શ્રમિક હક્કો મળતા નથી. તેમને પણ તમામ શ્રમ અધિકારો પ્રાપ્ત થાય એ માટે માગણી ઉઠાવવામાં આવી.

    આ તમામ માંગણીઓ અંતે એ હેતુ સાથે રજૂ કરવામાં આવી છે કે – “રાષ્ટ્ર હિત પહેલા, યોજના હિત બીજું અને શ્રમિક હિત ત્રીજું” – તેવી ભાવનાથી આ માનદ સેવકો રાજ્યના ભવિષ્યરત બાળકોના પોષણ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સહિતની આગેવાનીમાં કર્મચારીઓ એકત્રિત થઈ આ આવેદનપત્ર સત્તાવાર રીતે સોંપાયું.

  • મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ

    મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ

    મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતીસવારે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

    તે ઉપરાંત રામદેવપીરના પાટનું આયોજન કર્યું હતું તથા નામી અનામી કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. આ ધાર્મિક કાર્યક્રમનો મહેન્દ્રનગરના લોકો સહિતના અનેક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી

  • મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને ઓનલાઈન 100 કુર્તી મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી

    મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને ઓનલાઈન 100 કુર્તી મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી

    યુ.પી.ના આઇડી ધારક સહિતના સામે ફરિયાદ: સ્કેનર પરથી મોકલાવેલા નાણા ગુમાવ્યા

    મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કુર્તી ખરીદવા માટે થઈને સર્ચ કર્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો.

    અને તેમાં વાતચીત થયા બાદ 100 કુર્તીનો ઓર્ડર આપ્યો હતો જેથી આરોપીએ સ્કેનર મોકલાવ્યું હતું જેમાં યુવાને 15,000 રૂપિયા ઓનલાઈન મોકલાવ્યા હતા જોકે તેને કુર્તી  મોકલવામાં આવેલ નથી જેથી તેની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોય આ બાબતે તેને મોરબી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

    જાણવા મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (31) નામના યુવાને મોબાઈલ નંબર 70414 59596 તથા યુપી આઇડીના ધારક તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.

    જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદવા માટે સર્ચ કર્યું હતું ને ત્યારે આ કામના આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી વ્હોટ્સએપ મેસેજ કરીને અગ TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તિ ખરીદવા બાબતે વાતચીત કરી હતી અને એક કુર્તિનો ભાવ 150 રૂપિયા નક્કી કર્યો હતો જેથી કરીને ફરિયાદીએ 100 કુર્તિનો ઓર્ડર આપ્યો હતો.

    અને આરોપીએ ફરિયાદીના મોબાઇલ ઉપર સ્કેનર મોકલાવ્યું હતું જેથી ફરિયાદી યુવાને 15,000 રૂપિયા મોકલાવી આપ્યા હતા જોકે આરોપીએ કુર્તિ મોકલાવી ન હતી અને પાર્સલમાં એક જૂનું ફોર્મલ પેન્ટ મોકલાવીને ફરિયાદીની સાથે 15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

  • ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપી પકડાયા

    ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપી પકડાયા

    કચ્છથી આવતી ગાડીનો પીછો કરતા બઘડાટી બોલી ગઇ હતી: અન્યોની શોધખોળ

    મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર રવિવારે બપોરના સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાટકીવાસમાં પાસે હોબાળો પણ કર્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બંને ગુનાના બંને પક્ષના પાંચ પાંચ શખ્સોને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

    કચ્છ જિલ્લામાંથી ગૌવંશોને મોરબીના કતલખાને લઈને આવે છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી બોલેરો ગાડીનો પીછો કરીને ગૌરક્ષકો મોરબીના ખાટકીવાસમાં ગયા હતા ત્યાં તેઓની ઉપર હુમલો કર્યો હતો.

    જેથી ગૌરક્ષકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવામાં આવ્યો હતો. માટે અનય ગૌરક્ષકો ત્યાં આવ્યા હતા ત્યારે થયેલ મારા મારીના બનાવમાં કૌશિકભાઈ જગદીશભાઈ નિમાવત, સાગર કાંતિભાઈ પલાણ, મહેબુબભાઇ સુમરા અને દિનેશભાઈ લોરીયાને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાર બાદ લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત (34)એ મોરબી બે મહિલ સહિત કુલ મળીને 25 થી વધુ લોકોની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

    આ ગુનામાં ઝાકીર હુસેન અન્સારી, ઈસુ મુસા કટારીયા, સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ અને સિકંદર રજાકભાઈ કટારીયાની ધરપકડ કરેલ છે જયારે સમાપક્ષેથી સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (28) વાળાએ પાંચ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્રભાઈ પલાણ, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત અને દિનેશભાઈ રામજીભાઈ લોરીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

    ઉલ્લેખનીય છેકે, કચ્છથી આવેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 8346 માં ગૌમાંસ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી મોરબીના ખાટકીવાસ ગૌરક્ષકો બોલેરો ગાડીની પાછળ ગયા હતા અને ગાડી ચેક કરવા માટે કહ્યું હતું જેથી કરીને ગઇકાલે બપોરે મામલો બીચક્યો હતો.

  • કચ્છ સાંસદ આયોજીત ડે નાઇટ ક્રિકેટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

    કચ્છ સાંસદ આયોજીત ડે નાઇટ ક્રિકેટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

    108 દિવસની ટુર્નામેન્ટમાં 600 ટીમ-8820 ખેલાડીએ ભાગ લીધો હતો

    કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજીત ઓપન કચ્છ ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -3 ને વર્લ્ડ ઈન્ડીયામાં સ્થાન  મળ્યું છે.તે બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાને મિલનભાઇ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા રેકોર્ડ સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું.

    કચ્છ લોક સભા તથા સમાજ નવનિર્માણ ભુજ દ્વારા આયોજિત ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 જે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તામ6-3 થી 22-6 ટોટલ 108 દિવસ રમાયેલ મેચોમાં ટોટલ 600+ ટીમોમાં 8820 જેટલા ખેલાડીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.

    વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયાના પ્રતિનિધિ મિલનભાઈ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા નિરીક્ષણ કરી વિગતો મેળવી પ્રમાણીત કરી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો, સ્વયં સેવકો સૌનો સાંસદ  વિનોદભાઇ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ વર્લ્ડ રેકોર્ડસ બનતા આનંદ વ્યક્ત કર્યો હતો.

  • વોટ્સએપ પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે

    વોટ્સએપ પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે

    વોટ્સએપ તેનાં યુઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. મેટાની લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંચાલિત સુવિધા રજૂ કરી છે.

    આ યુઝર્સને ઘણાં સંદેશાઓનો સારાંશ આપશે. આનો અર્થ એ છે કે હવે વપરાશકર્તાઓએ દરેક મેસેજને વાંચવાની જરૂર નથી. તેઓ સારાંશ દ્વારા ઘણાં મેસેજ મુદ્દાને સમજી શકે છે.

    આ ફીચરનુું નામ મેસેજ સમ્મરી છે. તે મેટા એઆઈનો ઉપયોગ વપરાશકર્તાઓને તેનો સારાંશ આપીને ન વાંચેલા સંદેશને સમજવામાં સહાય માટે કરે છે. મેટાના જણાવ્યાં અનુસાર, આ ફિચરમાં પ્રાઇવેટ પ્રોસેસિંગ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુઝર્સ ફક્ત પસંદ કરેલાં લખાણોને હાઈલાઈટ કરવા માટે અદ્યતન ચેટપ્રાઈવસી ઉપયોગ કરી શકે છે.

    વોટ્સએપનું નવું ફીચર છે દમદાર

    વોટ્સએપે તેનાં બ્લોગ પોસ્ટ દ્વારા આ નવા ફીચરના રોલઆઉટ વિશે માહિતી આપી છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે દરેક વ્યક્તિ ક્યારેક મીટિંગની વચ્ચે હોય છે, વાઇ-ફાઇ વગર ફ્લાઇટ પછી ચેટિંગ કરે છે અથવા માત્ર ઘણી ચેટિંગ કરે છે.

    આવી સ્થિતિમાં, કેટલીકવાર લોકોએ ફક્ત સંદેશને ઝડપથી વાંચવો પડે છે. આ કારણે કંપની મેસેજ સમરી ફીચર માટે ઉત્સાહિત છે. આ એક નવો વિકલ્પ છે, જે ચેટમાં ન વાંચેલા સંદેશાઓને ખાનગી અને ઝડપથી સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે મેટા એઆઇનો ઉપયોગ કરે છે, જેથી યુઝર્સને તેમનાં ન વાંચેલા સંદેશાઓને સંપૂર્ણપણે વાંચ્યાં વિના શું ચાલી રહ્યું છે તેની ખબર પડી જશે.

    કેવી રીતે કામ કરે છે આ નવું ફિચર ?

    નવી સુવિધામાં ખાનગી પ્રોસેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મેટા એઆઈને તમારા સંદેશ અથવા સારાંશને જોયા વિના મેટા અથવા વોટ્સએપ પર પ્રતિસાદ બનાવવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે તમારા સંદેશાઓ વોટ્સએપ અથવા મેટા દ્વારા વાંચી શકાતાં નથી.

    ચેટમાં બીજં  કોઈ જોઈ શકતું નથી કે તમે મેસેજને વાંચ્યાં વગર જ તેનો સારાંશ આપ્યો છે. આનો અર્થ એ છે કે પ્રાઈવેશીની દ્રષ્ટિએ તે એકદમ સલામત છે. આ નવું ફીચર વોટ્સએપમાં ડિફોલ્ટથી ઉમેરવામાં આવ્યું નથી.

    આ એક વૈકલ્પિક સુવિધા છે. વપરાશકર્તાઓ તેમની જરૂરિયાત મુજબ તેને ચાલું અથવા બંધ કરી શકે છે. અમેરિકામાં લોકો માટે આ ફીચર અંગ્રેજી ભાષામાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

  • 500 રૂપિયાની નોટ ચાલુ રહેશે કે બંધ, સરકારનું આવ્યું નિવેદન

    500 રૂપિયાની નોટ ચાલુ રહેશે કે બંધ, સરકારનું આવ્યું નિવેદન

    આ આખે આખા મામલાની શરૂઆત રિઝર્વ બેંકે આપેલા એક દિશા નિર્દેશ બાદ થઈ. રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક દિશા નિર્દેશ જાહેર કર્યું હતું, કે એટીએમમા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવે. આ વાતે વધારે તૂત ત્યારે પકડયું જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને સલાહ આપી કે સરકારે 500 રૂપિયા અને તેનાથી વધારે કિંમતની ચલણી નોટો બંધ કરી દેવી જોઈએ.

    શું હતી આખી બાબત:રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક દિશા નિર્દેશ જાહેર કર્યું હતું, કે એટીએમમા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવે, અને આ દિશા નિર્દેશ બાદ દેશના નાણાકીય બાબતોના જાણકાર લોકો પોત પોતાની રીતે આ દિશા નિર્દેશને જોવા લાગ્યા. એક જાણકારે તો ત્યાં સુધી કહી દીધું કે એટીએમમાં પહેલા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવશે, અને ત્યાર બાદ ધીરેથી બજારમાંથી 500ની નોટ દૂર કરવામાં આવશે.

    જાણો શું છે સત્ય: 500ની નોટ બંધ થવાની વાતોએ બજારમાં જ્યારે જોર પકડી લીધું, ત્યારે સરકારની ફેક્ટ ચેક યુનિટ પીઆઇબીને એક ટ્વિટ કરવાની ફરજ પડી. પીઆઇબીની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એક યુટ્યુબ ચેનલ જેનું નામ કેપિટલ ટીવી છે, તેમને 500ની નોટ બંધ થવાના જે સમાચાર જાહેર કર્યા છે, એ સમાચારમાં કોઈ સત્યતા નથી. સરકારની ફેક્ટ ચેક યુનિટ પીઆઇબીએ આ સમાચારને ફેક ન્યૂજ કહ્યા છે. પીઆઇબીનું કહેવું છે કે રિઝર્વ બેંક તરફથી આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. 500 ની નોટ કાર્યરત રહેશે.

  • તો પાકિસ્તાનનું નામોનિશાન ભૂંસી નાખ્યું હોત : કેપ્ટન કુમાર

    તો પાકિસ્તાનનું નામોનિશાન ભૂંસી નાખ્યું હોત : કેપ્ટન કુમાર

    ઈન્ડોનેશીયામાં વિવાદીત વિધાનો કરનાર ડીફેન્સ એટેચીએ કહ્યું ઓપરેશન પુરી રીતે ભારતના કંટ્રોલમાં હતું

    ઓપરેશન સિંદૂર સમયે ભારતે અત્યંત સંયમથી કામ લીધુ હતું અને જે રીતે પહેલા ત્રાસવાદી મથકોને જ ટાર્ગેટ બનાવાયા અને ત્યાર બાદ જ પાકિસ્તાને વળતો હુમલો કરવાની કોશીષ કરતા ભારતીય સેનાને વધુ આક્રમક કાર્ય કરવાની ફરજ પડી હતી.

    તે અંગે ભારતીય હવાઈદળના અધિકારી અને ડીફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે ઈન્ડોનેશીયાના એફોર્સને ભારતની પરિસ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે અમોએ પાડોશી દેશને સ્પષ્ટ રીતે ચેતવણી આપી હતી. તેઓ ઈન્ડોનેશીયા એરફોર્સ યુનિ.ના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

    કહ્યું કે જો પાકિસ્તાને અણુ હુમલો કરવાની કોશીષ કરી હતો તો પાકિસ્તાનનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું હાતે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અણુ હુમલોની ધમકી આપતું હતું પરંતુ ભારત તે ધમકીને તાબે થયું ન હતું અને સ્વીકારતું નથી.

    તેમણે ઉમેર્યુ કે, ભારતે અત્યંત ચપળતા સાથે પાકિસ્તાનના અણુ મથકો પર હુમલો કર્યો હતો અને આ એક સંયમીત પ્રતિભાવ હતો યુધ્ધ પૂરી રીતે ભારતના કંટ્રોલમાં હતો. પાકિસ્તાનના વિમાનો તેના એરબેઝ ઉપરથી ઉડી પણ શકયા નહીં તે દર્શાવે છે કે ભારત એ કેટલી તૈયારી સાથે આ ઓપરેશન કર્યુ હતું.