Author: admin

  • ધોળાવીરાનો પ્રવાસ હવે વધુ સરળ અને સુરક્ષિત: 575 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754Kને અપગ્રેડેશનની મંજૂરી

    ધોળાવીરાનો પ્રવાસ હવે વધુ સરળ અને સુરક્ષિત: 575 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754Kને અપગ્રેડેશનની મંજૂરી

    ધોળાવીરા પ્રવાસ કરવો હવે વધુ સરળ બને તે માટે 575 કરોડના ખર્ચે 106 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kને 2-લેન પેવ્ડ શોલ્ડર સાથે અપગ્રેડ કરવાની મંજૂરી મળી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર મારફતે કરી છે.

    ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાને પ્રવાસનની દ્રષ્ટિએ નવી ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ધોળાવીરાથી સંતાલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kના 106 કિલોમીટર લાંબા રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથેના 2-લેન રોડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે.

    575.07 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ રોડ કચ્છના રણને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) સાથે જોડતો મહત્વનો રણનીતિક લિંક બનાવશે, જેનાથી ધોળાવીરા અને કચ્છના દૂરના વિસ્તારોમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને નોંધપાત્ર બળ મળશે.

    આ રોડ અપગ્રેડેશનથી હડપ્પન સંસ્કૃતિનું એક અગ્રણી પુરાતત્વીય સ્થળ ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. હાલનો રસ્તો ટ્રાફિકની ભીડ અને અવારનવાર થતા અકસ્માતોનો માર સહન કરે છે.

    નવો 2-લેન પેવ્ડ શોલ્ડર રોડ આ સમસ્યાઓ ઘટાડશે, સડક સલામતીમાં વધારો કરશે અને વાહનોની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડીને પ્રવાસીઓને સરળ અને આરામદાયક મુસસામી અનુભવ પ્રદાન કરશે. આ ઉપરાંત, વધુ સારું માઈલેજ પ્રદાન કરશે, જેનાથી પ્રવાસીઓ માટે ધોળાવીરા પહોંચવું વધુ અનુકૂળ બનશે.

    આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસનને જ નહીં, પરંતુ કચ્છના ખનિજ અને મીઠાના ઉદ્યોગો માટે પણ એક મહત્વપૂર્ણ કોરિડોર બનશે. ધોળાવીરાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વતા સાથે જોડાયેલ આ પ્રોજેક્ટ કચ્છના અલગ-થલગ વિસ્તારોને ગુજરાતના બાકીના ભાગો સાથે નજીક લાવશે. સાથે જ આ નવો રસ્તો ધોળાવીરાના પ્રાચીન ઈતિહાસ અને કચ્છના રણની અનોખી સુંદરતાને અનુભવવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એક નવો દ્વાર ખોલશે.

    ઉલ્લેખનિય છે કે, આ પહેલા સરકારે સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાને એક સસ્ટેનેબલ અને રિસ્પોન્સિબલ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ. 135 કરોડનું રોકાણ કર્યું હતું. આ યોજના હેઠળ ટેન્ટ સિટી, એમ્ફિથિયેટર, કલ્ચર વિલેજ, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાઓના વિકાસ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે. ઉપરાંત કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રવાસીઓને પ્રાચીન નગર ધોળાવીરાની સ્ટોરીને વધુ આકર્ષક રીતે જણાવશે.

    ધોળાવીરા એ ગુજરાતનું ગૌરવ અને ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક છે. 120 એકરમાં ફેલાયેલું હડપ્પા સભ્યતાનું શહેર આ શહેર 1967-68માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને મળી આવ્યું હતું . જે બાદઆ સ્થળે 1990થી ઉત્ખનન શરૂ થયું હતું અને કરાકોટા, માટીકામ, સોના-તાંબાના ઘરેણાં, સીલ અને પ્રાણીઓની મૂર્તિઓ મળી આવી હતી. આ સ્થળની નગર રચના અને ગટર વ્યવસ્થા આજે પણ વિશ્વભરના પુરાતત્વવિદો અને પ્રવાસીઓને આકર્ષે છે. માટે આ જગ્યાને સરકારી પહેલ, ફેસ્ટિવલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા વૈશ્વિક પ્રવાસન નકશામાં અગ્રસ્થાને લઈ જવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

  • મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો

    મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો

    મોરબીમાં નવનિયુક્ત ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરાયા

    મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા ખાલી ૩૫ જગ્યાઓની સામે મોરબી જિલ્લાને ૩૪ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી ૩૩ શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી  કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને અધુરાસને મધુરાશમાં ફેરવી વર્ગ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપી હતી. વર્ગ ૨ ના અધિકારી  ભદ્રસિંહ વાઘેલા   નિલેશભાઈ રાણીપા અને   ભરતભાઈ વીડજાએ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર ૧ બનાવવા શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

    નવનિયુક્ત શિક્ષક  દીપ પટેલ અને   હીનાબેન કોડિયાએ આ પ્રસંગે તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એજ્યુકેશન ઇન્સ્પેક્ટર  પ્રવીણભાઈ અંબારિયાએ કર્યું હતું.

  • મોરબીમાં દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ જર્જરીત મકાન તોડી પાડ્યું  

    મોરબીમાં દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ જર્જરીત મકાન તોડી પાડ્યું  

    મોરબી શહેરમાં અનેક જુના મકાનો આવેલ છે જે જોખમી હાલતમાં હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે મોટી માધાણી શેરીમાં પણ આવું વર્ષો જુનું જર્જરિત મકાન તોડી પાડવા લત્તાવાસીઓની માંગણી સ્વીકારી આજે મહાનગરપાલિકાએ મકાન તોડી પાડવાની કામગીરી કરી હતી.

    મોરબીના દરબાર ગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હતું મકાન જર્જરિત થઇ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડે તેવો ભય લત્તાવાસીઓ ને સતાવતો હોવાથી ગત ઓગસ્ટ માસમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી અને એપ્રિલ 2025 માં મહાનગરપાલિકાએ મકાન માલિકને આખરી નોટીસ પાઠવી બિલ્ડીંગ તોડી પાડવા સુચના આપી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમે જર્જરિત મકાન તોડી પાડતા સ્થાનિકોને રાહત મળી છે.

    મોટી માધાણી શેરીનું વર્ષો જુનું જોખમી મકાન તંત્રએ તોડી પાડ્યું છે જે કામગીરી આવકારદાયક છે પરંતુ મોટી માધાણી શેરીના નાકે મુખ્ય રોડ પર જ એક હજુ જોખમી મકાન આવેલ છે જે ભારે વરસાદ કે પવનને કારણે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે તેમ છે જેથી શેરીના નાકે આવેલ મકાન તોડી પાડવાની તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.

  • ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો

    ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો હતો.

    મોરબી જિલ્લામાં હળવદના ચરાડવા ખાતેની એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદા નિષ્ણાંત  રંજનબેન મકવાણા દ્વારા માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    જિલ્લા મહિલા અને બાળ અધિકારી  જલ્પાબેન ત્રિવેદીએ ઉપસ્થિત બહેનોને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપીને મહિલાઓની સુરક્ષા અને સલામતી બાબતે જાગૃતિ સંદેશ આપ્યો હતો.

  • બિઝનેસ યુઝર માટે વોટ્સએપમાં નવા ફીચર લૉન્ચ, AI, એડ્સ અને કોલ્સનો ઉપયોગ પણ કરી શકશે

    બિઝનેસ યુઝર માટે વોટ્સએપમાં નવા ફીચર લૉન્ચ, AI, એડ્સ અને કોલ્સનો ઉપયોગ પણ કરી શકશે

    વોટ્સએપ દ્વારા હવે તેમના બિઝનેસ પ્લેટફોર્મ માટે નવા ફીચર્સની જાહેરાત કરવામાં આવી છે. એમાં બિલ્ટ-ઇન એડ મેનેજમેન્ટની સાથે AI અને નવા વોઇસ અને વીડિયો કોલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની તાજેતરમાં એક ઇવેન્ટમાં વોટ્સએપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર્સની મદદથી બિઝનેસ યુઝર્સ વધુ સરળતાથી માર્કેટિંગની સાથે લોકો સાથે કનેક્ટ થઈ શકશે.

    મેટાના દરેક પ્લેટફોર્મ પર કરી શકાશે કેમ્પેન

    મેટા દ્વારા હવે વોટ્સએપ બિઝનેસમાં ફીચર આપવામાં આવ્યું છે. એના દ્વારા યુઝર પોતાના બિઝનેસની એડ્સને મેટાના દરેક પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર એડ કરી શકશે. આ તમામ એડ્સને એક જ જગ્યાએથી યુઝર મેનેજ કરી શકશે. આ માટે મેટા AIનો પણ ઉપયોગ કરી શકાશે. AI સપોર્ટ આપવામાં આવ્યો હોવાથી હવે કસ્ટમરને દરેક સવાલના જવાબ ઓટોમેટિક મળશે. તેમ જ તેમને પ્રોડક્ટ સજેસ્ટ કરવામાં આવશે અને ખરીદી કરવા માટે મદદ પણ મળી શકશે. આ ફીચર હાલમાં મેક્સિકોમાં શરૂ થઈ ગયું છે અને દુનિયાના તમામ દેશોમાં ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.

    કસ્ટમરને હવે વોટ્સએપ પર કરી શકાશે કોલ

    વોટ્સએપ દ્વારા નવી અપડેટમાં કોલ ફીચર આપવામાં આવ્યું છે. આથી બિઝનેસ હવે સીધા કસ્ટમરને કોલ કરી શકશે. ટેલીહેલ્થ જેવા બિઝનેસ માટે પણ આ ફીચર ઉપયોગી બની શકે છે. જોકે વોટ્સએપ કેટલીક સર્વિસના મેસેજ માટે હવે પૈસા ચાર્જ કરશે અને એ લોકેશન તથા કઈ સર્વિસ છે તેના આધારે નક્કી થશે. જો કે 24 કલાકની અંદર જવાબ આપ્યો હશે તો ફ્રીમાં રિપ્લાય મળી શકશે.

    વોટ્સએપ બિઝનેસ માટે નવા ટૂલ્સ

    વોટ્સએપ બિઝનેસમાં અત્યાર સુધી કેટેલોગ જેવા ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બિલ્ટ-ઇન AIનો પણ સમાવેશ થયો છે. સાથે જ એડ્સ, મેસેજ અને સપોર્ટ દરેક વસ્તુને એક જ જગ્યાએથી મેનેજ કરી શકાશે. અન્ય પ્લેટફોર્મ્સની એડ્સ પણ વોટ્સએપ પરથી મેનેજ કરી શકાશે.

  • ગુજરાતના બિસ્માર રસ્તાઓ મુદ્દે કેન્દ્રીય મંત્રી બાદ CM પણ લાલઘૂમ: તાત્કાલિક રિપેરિંગના આદેશ

    ગુજરાતના બિસ્માર રસ્તાઓ મુદ્દે કેન્દ્રીય મંત્રી બાદ CM પણ લાલઘૂમ: તાત્કાલિક રિપેરિંગના આદેશ

    ગુજરાતમાં ચોમાસાની શરુઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરુઆત કરી દીધી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

    રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંય મોટા ગાબડાં પડી ગયા છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવાના આદેશ આપ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહત બચાવ, જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ હતી. મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા.

    મુખ્યમંત્રીએ મંત્રીઓને પોતાના પ્રભારી વિસ્તારમાં રોડ રસ્તા, અને ખાડાની કામગીરીને પ્રાધાન્ય આપવા સૂચન કર્યું હતું. સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવી છે.

    સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના ખરાબ રસ્તાઓને લઈને કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો, ત્યાર બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં ખાડારાજ અંગે અધિકારીઓને કડક સૂચના આપી છે, અને રસ્તાઓનું તાતત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો છે.

  • મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત

    મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત

    મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી સીરોહિયાએ  રેલવેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરલે છે .

    જેમાં જણાવ્યુ છે કે, મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે, મોરબીને ડેઈલી અમદાવાદ સુધીની ટ્રેન આપવામાં આવે, રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે તેની પીડામાંથી મુક્તિ અપાવવામાં આવે, મોરબી રેલ્વે સ્ટેશનને સ્ટેટના નામ સાથે જોડવામાં આવે તેમજ મહારાજાનું સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે.

  • મોંઘવારીને લાગશે લગામ : GST માં 12%નો સ્લેબ 0 થી 5% થઈ જશે

    મોંઘવારીને લાગશે લગામ : GST માં 12%નો સ્લેબ 0 થી 5% થઈ જશે

    મધ્યમ વર્ગના વપરાશના ટુથપેસ્ટથી લઈ હેરઓઈલ સસ્તુ થશે; GST માં અર્ધા લાખ કરોડની રાહત આપશે

    ચાલુ મહિનામાં જ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય : 12%ના સ્લેબની સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને 0 અથવા 5%માં લઈ જવાશે : ઓછામાં ઓછા 50 જેટલા ઉત્પાદનો સસ્તા થશે

    દેશમાં જીએસટી કલેકશનમાં રેકર્ડબ્રેક થઈ રહેલા વધારા અને આગામી સમયમાં તહેવારોના કારણે લોકોની ખરીદી વધે તે વચ્ચે સરકાર હવે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને જીએસટીમાં એક મોટી રાહત આપવા જઈ રહી છે અને લાંબા સમયથી જે ચર્ચામાં છે તે 12 ટકાના સ્લેબને નાબૂદ કરીને તેમાં સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને ઝીરો અથવા પાંચ ટકામાં લઈ જવાય તેની તૈયારી છે.

    જો કે કેટલીક લકઝરી ગણાતી આઈટેમ જીએસટીના 18 ટકામાં ફેરવાઈ શકે છે અને આ રીતે સરકાર સામાન્ય લોકોને રૂા.40થી50 હજાર કરોડ જેવી જંગી રાહત આપશે. નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ આગામી દિવસોમાં જીએસટી કાઉન્સીલની બેઠક મળનાર છે અને તેમાં આ નિર્ણયને આખરી ઓપ અપાશે.

    હાલમાં જ સીતારામને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકાર ગરીબ અને મધ્યમવર્ગ માટે જીએસટીનો લાભ હવે તેમના બજેટને હળવુ બનાવે તે રીતે આપવા જઈ રહી છે. લાંબા સમયથી સરકાર જીએસટીમાં સ્લેબ ઘટાડાની ચર્ચામાં છે અને 12 ટકાના સ્લેબને પુરી રીતે નાબુદ કરી દેવાશે.

    જેના કારણે જે ચીજવસ્તુઓ 12 ટકાના સ્લેબ હેઠળ છે તેને ઝીરો અથવા પાંચ ટકામાં લઈ જવાશે. આ લાભ સામાન્ય માણસને મળે તે જોવાશે જેમાં હેર ઓઈલ, ટુથ પેસ્ટ, પ્રેસરકુકર, સાયકલ, સેનેટરી નેપકીનનો પણ સમાવેશ થાય છે અને તેને સસ્તુ બનાવીને આ પગલુ અમલમાં મુકાશે.

    શું શુ સસ્તુ થશે?: સેનેટરી નેપકીન ઝીરો ટકામાં જશે. આ ઉપરાંત 5%માં જનાર આઈટમમાં હેરઓઈલ, સસ્તા સાબુ, ટુથપેસ્ટ, છત્રી, સિવણ મશીન, વોટર ફીલ્ટર, પ્રેસરકુકર, કાચ, સ્ટીલ તથા એલ્યુમીનીયમના ચોકકસ કેટેગરીના વાસણો, ઈલેકટ્રીક ઈસ્ત્રી, વોટર હીટર, વેકયુમ કલીનર (નોન કોમર્સીયલ), સાયકલ (સામાન્ય વપરાશ), દિવ્યાંગ માટેના સાધનો, જાહેર ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા વાહનોના સેક્ધડ સેલ,

    રૂા.1000 સુધીના કપડા અને બુટચપલ, મોટાભાગની વેકસીન, એચઆઈવી, કમળો અને ટીબી માટેની નિદાન કીટ, કેટલીક આયુર્વેદીક અને યુનાની દવાઓ, શાળામાં વપરાતી નોટબુક, ભૂમિતિના સાધનો, ડ્રોઈંગના સાધનો અને કલર, નકશા અને સંબંધીત આઈટમ, ગ્લેઝ ટાઈલ્સ (લકઝરી નહી) પ્રી ફેબ્રીકેટેડ બીલ્ડીંગ, કૃષિ સાધનો, થીજાવેલા શાકભાજી તથા વિવિધ પ્રક્રિયા સાથેનું દૂધ અને સોલાર વોટર હીટર.

  • ઓલિમ્પિક 2036 યોજવા માટે રેસમાં ઝુકાવતું ભારત : ગુજરાત યજમાન

    ઓલિમ્પિક 2036 યોજવા માટે રેસમાં ઝુકાવતું ભારત : ગુજરાત યજમાન

    ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને ઈન્ડીયન ઓલિમ્પિક કમીટીના ચેરમેન પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિ મંડળે સતાવાર દસ્તાવેજ સોંપ્યા

    સ્વીટઝરલેન્ડના લુસાવામાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી સમક્ષ બીડ રજુ : આખરી નિર્ણયની ધારણા

    2036માં ભારતમાં ઓલીમ્પિક મહોત્સવ યોજવા માટેની સતાવાર રીતે બીડ ભારત સરકારે રજુ કરી દીધી છે અને યજમાન શહેર તરીકે ગુજરાતના સૌથી મોટા મેટ્રો સીટી અમદાવાદને પસંદ કરવામાં આવ્યું છે.

    હાલ સ્વીટઝરલેન્ડના લુસાનાની મુલાકાતે રહેલા ગુજરાતના ખેલકુદ મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ઈન્ડીયન ઓલીમ્પિક એસો. કમીટીના ચેરમેન પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિ મંડળે ગઈકાલે ઈન્ટરનેશનલ ઓલીમ્પિક કમીટીના સભ્યો સાથે સતાવાર રીતે બેઠક કરી હતી.

    તેમાં 2036ના ઓલીમ્પિક માટે ભારતની બીડ રજુ કરી દીધી છે. હવે તેના પર આગામી સમયમાં કાર્યવાહી થશે. નવી આંતરરાષ્ટ્રીય ઓલીમ્પિક કમીટી કે જે હવે આ પ્રકારની બીડ માટેના નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે તેના દ્વારા ગુજરાતને રેસમાં મુકાશે.

    જો કે હજુ સુધી અન્ય કોઈ દેશોએ ઓલીમ્પિક યોજવા માટે સતાવાર રીતે કોઈ બીડ કરી નથી. પરંતુ આ પ્રક્રિયામાં અન્ય દેશો પણ પ્રવેશી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને ઓલીમ્પિક અને પેરાઓલીમ્પિક ગેમ માટે સાઉદી અરેબીયા, ઈન્ડોનેશીયા, તુર્કી અને ચીલી સાથે સ્પર્ધા કરવી પડે તેવી શકયતા છે.

    આંતરરાષ્ટ્રીય ઓલીમ્પિક કમીટીના નવા ચેરમેન અને પુર્વ ઓલીમ્પિક સ્વીમર ક્રિસ્ટી કોવેન્ટરીએ હાલમાં જ સીલેકશન પ્રક્રિયા સ્થગીત રાખવાની જાહેરાત કરી છે અને તે સમગ્રપણે રીવ્યુ કરાયા બાદ ભારત અને અન્ય દેશોની બીડ પર નિર્ણય લેવાશે.

  • ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાલ આકારની ટનલ: ગુજરાત – રાજસ્થાનના વધુ એક માર્ગે જોડાશે

    ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાલ આકારની ટનલ: ગુજરાત – રાજસ્થાનના વધુ એક માર્ગે જોડાશે

    કુલ રૂ.2789.16 કરોડના બજેટનો પ્રોજેકટ: વર્ષ 2026-27માં પૂરો થઈ જશે

    તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. પહાડો અને જંગલો વચ્ચેથી નીકળતી રેલવે લાઇન 11 ટનલમાંથી પસાર થશે. જે પૈકી સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી 1.860 કિલોમીટર લાંબી ટનલ લાઇનનું કામ ચાલી રહ્યું છે.

    કાટમાળને હટાવી માર્કિંગ પ્રમાણે કામ થઇ રહ્યું છે કે કેમ તે સરવેયરની ટીમ ચકાસણી કરે છે. જરૂર જણાય ત્યાં ખડકોની કટીંગ કરાય છે. આ પ્રક્રિયા નિરંતર સપ્તાહના 7 દિવસ અને 24 કલાક ચાલતી રહે છે. છેલ્લા 2 મહિનામાં 100 મીટર લાંબી ટનલનું કામ થઇ ચૂક્યું છે.

    બીજી તરફ ટનલને વધુ મજબુત બનાવવા લોખંડની અલગ-અલગ આકારની પ્લેટો સાથે ટીસીઆર દ્વારા અલગ પ્રકારના સિમેન્ટના દ્વાવણનું સ્પ્રે કરાય છે. સમયાંતરે ટનલ પર લગાવેલી લોખંડની પ્લેટો તેના સ્થળે જ છે કે ખસી રહી છે તેના પર બારીકાઇથી નજર રખાય છે.

    ઓક્સિજનના સપ્લાય માટે ટનલની શરૂઆતમાં વેલ્ટીનેશન માટે મશીન મુકાયું છે. એક મહીના પછી પહાડની બીજી બાજુથી ટનલનું કામ શરૂ કરાશે. ટનલનું કામ આગામી 3 વર્ષની અંદર પૂર્ણ કરાશે.

    આબુરોડથી અંબાજી સુધીનો હાલનો રોડ માર્ગ 20 કિમી છે. જ્યાં 30 મિનિટ લાગે છે. રેલવે ટ્રેક 32.654 કિમીનો હશે. સમય અંદાજે 30થી 50 મિનિટ લાગશે. આબુરોડથી તારંગા હિલ સુધીનો રોડ માર્ગ 73 કિમી છે. જ્યાં 1.5થી 2 કલાક લાગે છે. ટ્રેનથી અંતર 84 કિમી થશે.

    સમય પણ એટલો જ રહેશે.આબુરોડના નોર્થ વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ચીફ ઈજનેર ચંદ્રભાનસિંહે જણાવ્યું હતું કે, આબુરોડથી અંબાજી વચ્ચે ટનલ, બ્રિજ, ઓવરબ્રિજ અને પુલિયાનું કામ ચાલી રહ્યું છે.

    98 ટકા જમીન રેલવેને મળી ગઈ છે. ટ્રેકથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે નવો વિકલ્પી રેલવે માર્ગ મળશે. આ પ્રોજેકટનું બજેટ રૂ.2798.16 કરોડ છે. હાલ 11 ટકા કામ પૂર્ણ થયું છે.116.65 કિલોમીટરનો ટ્રેક છે.જેમાં 84 કિમી ટ્રેક ગુજરાતમાં, 34 કિમી ટ્રેક રાજસ્થાનમાં છે.કામગીરી વર્ષ 2026-27માં પૂરી થઈ શકે છે.