Author: admin

  • લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું

    લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું

    ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડ, કોલંબો ડોકયાર્ડ PLC (CDPLC) માં નિયંત્રણ હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ સોદો US 52.96 મિલિયન (લગભગ રૂૂ. 452 કરોડ)ની કિંમતનો છે.

    ભારતમાં સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંપાદન હશે અને તેના દ્વારા ભારતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક હાજરી મળશે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે શ્રીલંકા સહિત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની લશ્કરી અને આર્થિક ઘૂસણખોરી ભારત માટે ચિંતાનો વિષય છે.

    માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતની સૌથી મોટી સંરક્ષણ શિપયાર્ડ કંપની છે. તેણે કોલંબો ડોકયાર્ડમાં ઓછામાં ઓછો 51% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંપાદન પ્રાથમિક મૂડી રોકાણ અને ગૌણ શેર ખરીદીના સંયોજન દ્વારા કરવામાં આવશે,

    જેમાં જાપાનની ઓનોમિચી ડોકયાર્ડ કંપની લિમિટેડ પાસેથી શેરની ખરીદીનો સમાવેશ થાય છે, જે હાલમાં CDPLC ની બહુમતી શેરધારક છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓ અને અન્ય સામાન્ય શરતોને આધીન છે, અને ચાર થી છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

    સોદો પૂર્ણ થયા પછી, કોલંબો ડોકયાર્ડ ભારતની MDLની પેટાકંપની બનશે. CDPLCમાં નિયંત્રણાત્મક હિસ્સાનું પ્રસ્તાવિત સંપાદન આપણા શિપયાર્ડને પ્રાદેશિક દરિયાઈ શક્તિ અને લાંબા ગાળે વૈશ્વિક શિપબિલ્ડિંગ કંપનીમાં રૂૂપાંતરિત કરવા માટેનો પપ્રવેશદ્વારથ છે,

    ખઉકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહને એક અખબારને જણાવ્યું હતું. કોલંબો બંદર પર ઈઉઙકઈ નું વ્યૂહાત્મક સ્થાન, તેની સાબિત ક્ષમતાઓ અને પ્રાદેશિક હાજરી MDLને દક્ષિણ એશિયામાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરશે.

  • વીરનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવાયો

    વીરનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવાયો

    મોરબી જિલ્લાની વીરનગર પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે દાતાઓના સહયોગથી નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

    આંગણવાડીના બાળકોને ધોરણ-1માં વાંજતે ગાજતે પ્રવેશ અપાઈ શિક્ષણના પ્રથમ પગથિયે આગવું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    શાળાના સો ટકા હાજર વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, NMMS અને જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

    દાતાઓનું આભાર સ્વરૂપે તેમને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.

  • ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

    ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

    ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઘરે ઘેર જઈને મતદાર યાદીની ચકાસણી કરવાની પહેલ શરૂ કર્યા બાદ અન્ય પાંચ રાજ્યોમાં પણ આવુ અભિયાન ચલાવશે. આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંચે બિહારની જેમ અન્ય પાંચ રાજ્યોમાં ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.

    આવતા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાશે ચૂંટણી

    બિહાર બાદ આવતા વર્ષે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને કેરાલામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે પાંચેય રાજ્યોની ચૂંટણીને ધ્યાને રાખી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદારોએ ચકાસણી દરમિયાન જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધિત દસ્તાવેજો સાથે ઘોષણાપત્ર પણ રજુ કરવાના રહેશે.

    ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં મતદાર યાદી ચકાસણી ઝુંબેશ ચલાવશે

    ચૂંટણી પંચે ઘરે ઘરે જઈને મતદાર યાદીના નામોની ચકાસણી કરવા માટેની ઝુંબેશ બિહારથી શરૂ કરી દીધી છે. અગાઉ અનેક વખત મતદાર યાદીમાં ગડબડી અને ખામી હોવાના આક્ષેપ થયા હતા, તેને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ ઝૂંબેશ શરૂ કરી દીધી છે.

    ઝુંબેશ હેઠળ બનાવટી મતદારોની પણ ઓળખ થઈ શકશે

    ચૂંટણી પંચ ઝુંબેશ હેઠળ, તેવા લોકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે, જેઓ બંગાળથી ઘૂસણખોરી કરી દેશમાં આવ્યા છે અને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાઈ ચૂક્યા છે. ચૂંટણી પંચનું માનીએ તો હવે આવા મતદારો પાસેથી જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધીત દસ્તાવેજો મંગાશે. સાથે જ તેમના માતા-પિતાની અને તેઓ જે સ્થળે રહે છે, તેની પણ માહિતી એકઠી કરાશે. મતદારો પાસેથી મેળવેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ઓનલાઈન અપલોડ કરાશે.

  • મસ્કનો નવો અખતરોઃ X પર હવે હૅશટૅગ્સના ઉપયોગ પર પ્રતિબંધ

    મસ્કનો નવો અખતરોઃ X પર હવે હૅશટૅગ્સના ઉપયોગ પર પ્રતિબંધ

    ઇલોન મસ્ક દ્વારા તેના સોશિયલ મીડિયા X પર હવે હૅશટૅગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ હૅશટૅગ્સ હાલમાં જાહેરાતોમાં ઉપયોગ માટે પ્રતિબંધિત થયા છે. સોશિયલ મીડિયા પર જે પણ જાહેરાતો આપવામાં આવશે, તેમાં હવે હૅશટૅગ્સનો ઉપયોગ શક્ય નહીં રહેશે. મસ્કે થોડા મહિના પહેલાં કહ્યું હતું કે હૅશટૅગ્સ ખૂબ જ ગંદા દેખાય છે અને એથી હવે એના પર પ્રતિબંધ મૂક્યો છે.

    મસ્કના નિર્ણયને યુઝરે વધાવ્યો

    યુઝરને વધુ સારો એક્સપિરીયન્સ મળે એ માટે હૅશટૅગ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. હૅશટૅગ્સના કારણે ફીડ ખરાબ દેખાતી હોવાથી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને ઘણાં યુઝર્સે આવકાર્યો છે. એક યુઝરે કહ્યું કે હૅશટૅગ્સ હવે ઉપયોગી નથી અને હજી પણ લોકો તેનો ઉપયોગ કેમ કરે છે એ સમજાતું નથી. બીજા યુઝરે કહ્યું કે હવે તેની ટાઈમલાઈન વધુ સારી દેખાશે.

    હૅશટૅગ્સની જગ્યા લેશે AI

    ઇલોન મસ્ક દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે હૅશટૅગ્સની જગ્યા હવે AI ટૂલ લેશે. એમનું કહેવું છે કે X પર જે ડિસ્કવરી અને સર્ચ એલ્ગોરિધમ છે, તે ગ્રોક AIનો ઉપયોગ કરે છે. આ AI, XAI દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ ટૂલ કોઈ પણ વિષયને હૅશટૅગ વિના લોકો સુધી પહોંચાડી શકે છે. મસ્ક હવે અદ્યતન ટેક્નોલોજી દ્વારા યૂઝર્સને વધુ સારો અનુભવ આપવા માગે છે.

    કેટલાક યુઝર્સ થઈ ગયા કંફ્યૂઝ

    કેટલાક યુઝર્સે મસ્કના આ નિર્ણયને સ્વીકાર્યો છે, પરંતુ કેટલાક કંફ્યૂઝ પણ થયા છે. તેઓ માને છે કે હૅશટૅગ્સ સંપૂર્ણ રીતે બેન થયા છે, જ્યારે કંપનીએ હાલ તો માત્ર જાહેરાતોમાં માટે હૅશટૅગ્સનો ઉપયોગ બેન કર્યો છે. સામાન્ય યુઝર્સ હજી પણ હૅશટૅગ્સનો ઉપયોગ કરી શકે છે.

  • ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

    ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

    રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (26 જૂન) રાજ્યના 29 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આવતીકાલે 28 જિલ્લામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

    આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

    હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે ગુરુવારે (26 જૂન) રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

    6 દિવસ ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

    28 જૂનની આગાહી

    28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

    29 જૂનથી 1 જુલાઈની આગાહી

    રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

    2 જુલાઈની આગાહી

    2 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

  • મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું; આગામી ૨૭ સપ્ટેમ્બર સુધી અમલી

    મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું; આગામી ૨૭ સપ્ટેમ્બર સુધી અમલી

    મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને કલેકટર  કે.બી. ઝવેરી દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અનુસાર લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો માટે શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે.

    ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલ થી અવની ચોકડીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે.

    આ જાહેરનામું અગામી ૨૭ સપ્ટેમ્બર સુધી સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

  • મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ

    મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ

    મોરબીમાં  આઈ.ટી.આઈ. ખાતે  જિલ્લા વહીવટી ટીમ, S0G ટીમ , હ્યુમન ટ્રાફિકીંગ સેલ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે ITI – મોરબીના બાળકો સાથે “International day Against Dray Abuse and Illicit Trafficking “ દિવસની  ઉજવણી કરવામા આવી હતી.

    જેમા બાળકોને ડ્રગની અસરો તેનાથી કૌટુબિંક તેમજ સામાજીક અસરો વિશે સમજાવવામા આવ્યા તેમજ આવી પ્રવૃતિથી કઈ રીતે બચવુ તથા બચાવવા વિશે સમજાવવમા આવ્યા હતા. સૌ ઉપસ્થિતોને નશામુક્ત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી તેમજ MANAS Portal વિશે સમજણ આાપવામાં આવી હતી.

    આ કાર્યક્રમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ પી.આઈ. મીસ્ત્રી, આઈ.ટી.આઈ. ના   જયેશભાઈ હળવદિયા, S0G ટીમ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  ડો.વિપુલ શેરશીયા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ આઈ.ટી.આઈ. ના સ્ટાફ તથા જિલ્લા બાળ સુરક્ષાની ટીમ હાજર રહી હતી.

  • જગન્નાથ રથયાત્રા અને વિમાન દુર્ઘટનાના શોકમાં શ્રદ્ધાંજલિ પાઠવતું બ્રિશા કંસારાનું ચિત્ર

    જગન્નાથ રથયાત્રા અને વિમાન દુર્ઘટનાના શોકમાં શ્રદ્ધાંજલિ પાઠવતું બ્રિશા કંસારાનું ચિત્ર

    અમદાવાદ: દેવસ્ય સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બ્રિશા કપિલ કંસારાએ એક ભાવનાત્મક ચિત્ર દોર્યું છે, જેમાં તેણે જગન્નાથ રથયાત્રા સાથે છેલ્લા હાલમાં જ અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

    બ્રિશાએ ચિત્રમાં ભક્તિભાવ અને માનવતા બંનેને ભાવનાત્મક રીત રીતે વ્યક્ત કર્યા છે. રથયાત્રાની ભવ્યતા સાથે દુર્ઘટનાનો શોક એકસાથે રજૂ કરીને તેણે પોતાના દયાળુ મન અને સંવેદનશીલતા દર્શાવી છે. દેવસ્ય સ્કૂલ તરફથી પણ બ્રિશાની અભિવ્યક્તિને પ્રશંસા મળી રહી છે.

    આવા પ્રકારના સર્જનાત્મક અભિગમથી બાળકોમાં સમાજપ્રતિ અને માનવિય મૂલ્યો પ્રત્યેની ભાવના ઉદ્ભવે છે, તેવો સંદેશ પણ આ પ્રસંગે મળે છે.

  • મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

    મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

    મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘53 મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 27/7/202પ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે, વિદ્યાર્થી સરસ્વતી સમારોહ યોજાશે.

    મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ધો. 5 થી લઈને કોલેજ કક્ષા સુધીના ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરેલ સમાજના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનીત કરીને દર વર્ષે પુરસ્કાર આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિદ્યર્થીઓને સન્માનીત કરવાનું આયોજન કર્યું છે .

    અને તેના માટે મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપૂત સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ તેઓની માર્કશીટ આગામી તા. 11/07/202પ ને શુક્રવાર સુધીમાં મહાવિરસિંહ જાડેજા ચાંદલી તલાશ, મોરબી-2 (મો. 98794 0007) શનાળા રોડ, મોરબી-ર (મો. 98256 73936)ને પહોંચતી કરવા જણાવ્યુ છે

  • વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્ના. યોજાશે

    વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્ના. યોજાશે

    ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરમાં કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આગામી તા. 26 થી 30 જુન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના હોલમાં રાખવામા આવેલ છે.

    વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે દરરોજ સાંજે 5 થી રાત્રીના 12 કલાક સુધીમાં જુદીજુદી ટીમો વચ્ચે મેચ રાખવામા આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં ગુજરાતના તમામ જીલ્લામાંથી કબડ્ડીની શ્રેષ્ઠ ટીમો ભાગ લેવા માટે આવશે.

    આ ઉપરાંત નેશનલ, જીલ્લા લેવલે રમેલા ખેલાડીઓ પણ તેમાં ભાગ લેવા માટે આવશે. આ કબડ્ડી લીગ ટુર્નામેન્ટથી નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને કબડ્ડી માટે યુવાનોમાં જાગૃતતા આવશે.