Author: admin

  • ફેસબુક પર એકાએક હજારો ગ્રુપ સસ્પેન્ડ

    ફેસબુક પર એકાએક હજારો ગ્રુપ સસ્પેન્ડ

    મેટા સામે હાલમાં ભારે તવાઈ આવી છે, કારણ કે ફેસબુક પર દુનિયાભરમાંથી હજારો ગ્રુપ સસ્પેન્ડ થઈ ગયાં છે. યુઝર્સ દ્વારા બનાવાયેલા આ ગ્રુપ અચાનક બંધ થઈ જતાં તેઓ ગેરસમજમાં મુકાયા છે. પેરેન્ટિંગ, પેટ્સ, ગેમિંગ અને ફોટોગ્રાફી જેવા અનેક વિષયોના ગ્રુપ પણ આ અસર હેઠળ આવ્યા છે. આ માટે યુઝર્સને કોઈ પૂર્વ જાણ નથી આપવામાં આવી.

    એક નવીન બાબત એ છે કે ઘણાં એવા ગ્રુપ પણ સસ્પેન્ડ કરાયા છે, જેમનો વિવાદાસ્પદ ક્ધટેન્ટ સાથે દુરદુર સુધી સંબંધ નહોતો. દસ લાખ મેમ્બર્સવાળું બર્ડ ફોટોગ્રાફી ગ્રુપ પણ “અશ્લીલ ફોટા” આરોપ હેઠળ બંધ કરાયું છે.

    અન્ય કેટલીક ઘટનાઓમાં ટેરરિઝમ અને એડલ્ટ કન્ટેન્ટ હોવાનો જણાવીને ગ્રુપ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણે સોશિયલ મીડિયામાં ખાસ કરીને રેડિટ પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને તેમને અન્ય યુઝર્સ તરફથી સમર્થન પણ મળી રહ્યું છે.

    મેટાએ કહ્યું છે કે તેમને આ સમસ્યા વિશે જાણ છે અને તેઓ એને યોગ્ય રીતે સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેઓએ મેટાની વેરિફિકેશન સર્વિસ ખરીદી છે તેમને તરત જ સપોર્ટ આપવામાં આવ્યો છે, મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું, અમે આ ટેકનિકલ સમસ્યાની જાણકારી ધરાવીએ છીએ અને આનો ફેસબુક ગ્રુપ્સ પર અસર પડ્યો છે. અમે ઈશ્યુને ઝડપી ઠીક કરવા પ્રયાસશીલ છીએ.

  • મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે ૨૭ જૂને વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ બાબતે જાહેરનામું

    મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે ૨૭ જૂને વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ બાબતે જાહેરનામું

    અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપર ટોકીઝ-સી.પી.આઇ ચોક, નગરદરવાજા-સોની બજાર-ગ્રીન ચોક-દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે.

    આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  એસ.જે. ખાચર દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    અષાઢી બીજના તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી વી.સી ફાટક થી નગરદરવાજા, જુના બસ સ્ટેશન થી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી લાતી પ્લોટ ચોકીથી આસ્વાદ પાન, જડેશ્વર મંદિર થી આસ્વાદ પાન, સુપર ટોકિઝ થી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશન થી આસ્વાદ પાન, મહેન્દ્રપરા થી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશન થી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

    મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજા, સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ કલાક ૦૭:૦૦ થી કલાક ૦૪:૦૦ સુધી નો- પાર્કિંગ ઝોન જાહેર કરવા હુકમ કરવામાં આવે છે.

    ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી રોડ/પંચાસર રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે મોરબી લાતી પ્લોટ ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે.

    રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે ગાંધીચોક થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે જયદિપ ચોક થઇ લાતી પ્લોટ ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. શનાળા ગામ તરફ થી આવતા વાહનો મોરબી પંચાસર ચોકડી થઇ વાવડી ચોકડી થઇ નવલખી ફાટક થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે.

    મોરબી-૨ માંથી મોરબી શહેરમાં પ્રવેશ કરવા માટે ગેંડા સર્કલ થઇ વી.સી. ફાટક થઇ સેન્ટમેરી સ્કુલ થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર તરફ જઇ શકશે. જેતપર રોડ તરફથી આવતા વાહનો માટે રવિરાજ ચોકડી થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર વિસ્તારમાં જઇ શકશે. વાંકાનેર તરફ આવતા વાહનો માટે રફાળેશ્વર થઇ લીલાપર ચોકડી થઇ રવાપર ચોકડી શકશે.

    ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

  • મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે મુલાકાત કરી સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ

    મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે મુલાકાત કરી સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ

    મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર  માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિના આગોતરા આયોજનના ભાગરૂપે જૂન માસની ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગચાળો જેમાં મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે જેના અટકાયતી પગલા તરીકે આ ઉજવણી કરવામાં આવી રહી છે.

    ચાલુ વર્ષ જૂન માસમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. પી.કે.  વાસ્તવ અને જિલ્લા મેલેરીયા અધિકારી  ડો. વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં પણ મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

    જે અંતર્ગત દરમિયાન વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણની રોજીંદી પ્રવૃતિ કરતાં વધુ વેગ સાથે અભિયાન સ્વરૂપે કરવામાં આવે છે. જિલ્લાના જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર્સ દ્વારા તેમના વિસ્તારમાં આરોગ્ય કર્મચારી ઓની ટીમ્સ દ્વારા પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા વાહકજન્ય રોગોથી બચવા લોકોએ શું તકેદારી રાખવી તે બાબતે જન જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    આ સર્વેલન્સ કામગીરી દરમિયાન મચ્છરની ઉત્પતિ અટકાવવા આજ દિન સુધી કુલ ૨૦૩૪૦૧ ઘરની મુલાકાત લઈને ૭૪૪૯૧૪ પાણીના પાત્રોની તપાસણી કરવામાં આવી અને આ પાત્રોમાં મચ્છરના પોરા ઉત્પન્ન થતાં અટકાવવાની પ્રવૃતિઓ કરવામાં આવી છે.

    ઘર કે ઘરની આજુ બાજુ નકામા કાટમાળ, ટાયર, ભંગાર, નાળિયેર ની કાચલીઓ વગેરે જેવા ચોમાસામાં પાણી ભરાય તેવા કુલ ૮૯૯૯ પાત્રો અને વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અભિયાન દરમિયાન ના કુલ ૪૦૧૯ વ્યક્તિઓના લોહીના નમૂના લઈને મેલેરીયાની તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

    મોરબી જિલ્લાના લોકોએ મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણાં બંધ રાખવા, મચ્છરદાન માં સૂવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખું શરીર ઢંકાઇ જાય તેવા કપડાં પહેરવા, ઘરની આજુ બાજુ બંધિયાર પાણીને વહેતું કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.  વાસ્તવ દ્વારા અપીલ કરવામાં આવી છે.

  • મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા અવેરનેસ ટ્રેનિંગ અને ફાયર સુરક્ષા ચેકિંગ કાર્યક્રમ યોજાયો

    મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા અવેરનેસ ટ્રેનિંગ અને ફાયર સુરક્ષા ચેકિંગ કાર્યક્રમ યોજાયો

    મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ ૧૭/૦૬/૨૦૨૫થી ૨૩/૦૬/૨૦૨૫ દરમિયાન આગજણી અવેરનેસ અને ફાયર સેફટી પ્રિવેન્શન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

    આ અવધિ દરમિયાન ૧ હોટલમાં ૨૦ સ્ટાફને, ૧ સ્કૂલમાં ૪૦ વિદ્યાર્થીઓને અને ૧ હોસ્પિટલના ૫ સ્ટાફને ફાયર ટ્રેનિંગ આપવામાં આવી. આગ જેવા અકસ્માત સમયે કેવી રીતે પ્રાથમિક પગલાં લેવા અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી.

    સાથે સાથે ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે મોરબી શહેરની સામાજિક ઇમારતો, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું. જેના અંતર્ગત ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી અને જરૂરી સૂચનાઓ તથા ગાઈડલાઈન પણ આપવામાં આવી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે મોરબી શહેરની જુદી જુદી ૨ જગ્યા પર આગ લાગવાના બનાવો બન્યા હતા અને ૧ રેસ્ક્યુ બનાવ પણ બન્યો હતો. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અસરકારક રીતે ઈમરજન્સી સેવા આપી હતી.

    ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મોરબી નાગરિકોને આગ અંગે જાગૃત કરવો, આગ લાગ્યા સમયે યોગ્ય પગલાં લેવા પ્રેરણા આપવી અને જનહિતમાં ફાયર શાખાની સેવા ઝડપી રીતે મેળવવાની રીત વિષે માહિતગાર કરવો છે.

    કોઈ પણ પ્રકારની આગ કે આપત્તિની પરિસ્થિતિમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો સંપર્ક ૦૨૮૨૨-૨૩૦૦૫૦ તથા ૧૦૧ પર કરી શકાય છે.

  • મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    મોરબીમાં કટોકટીના દિવસો બાબતે યુવા પેઢીને જાગૃત કરવા માટે વ્યાખાન, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા

    દેશમાં કટોકટી લગાવ્યાને ૫૦ વર્ષ પૂર્ણ થતા મોરબી જિલ્લામાં ‘સંવિધાન હત્યા દિવસ’ અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને મોરબીની વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન, ૧૯૭૫ નો દિવસ ઇતિહાસમાં કોઈ દિવસ ભૂલી ન શકાય એવો દિવસ છે. જ્યાં દેશમાં પત્રકારત્વને બંધક બનાવવામાં આવ્યું અને સંવિધાનનું સંપૂર્ણ હનન કરી દેવામાં આવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે, તત્કાલીન વડાપ્રધાન  સ્વ. ઈન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવવા લોકશાહીને દબાવવા જે કાવતરા કર્યા તે ખરેખર નિંદનીય છે.

    કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલ વ્યાસે કર્યું હતું. આ કાર્યક્રમમાં વકીલ મહાનુભાવ  વિજયભાઈ જાની અને અગ્રણી  ડો. જયંતીભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક વ્યાખાનમાં જણાવ્યું હતું કે, ઇતિહાસમાં જેને ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે એવો દિવસ એટલે ૨૫ જૂન, ૧૯૭૫ નો દિવસ. એ કટોકટીને ૫૦ પૂર્ણ થતા સમગ્ર દેશ અને રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ તરીકે એ દિવસોના સંસ્મરણ માટે અને યુવા પેઢીને જાગૃત કરવા માટે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

    આ પ્રસંગે મહાનુભાવોએ લીલી ઝંડી આપી સંવિધાન હત્યા દિવસ અન્વયે રેલીને પ્રસ્થાન કરાવી હતી. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી. જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અનુસંધાને આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી.

    આ પ્રસંગે ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર  કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર  એસ.જે. ખાચર, સહિત મહાનુભાવો, વિવિધ કાયદા નિષ્ણાંતો અને વકીલ ઓ અને મોરબીના નગરજનો તથા લો કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે કમલેશભાઈ ઉઘરેજાનો વિજય

    નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે કમલેશભાઈ ઉઘરેજાનો વિજય

    નંદનવન, મોરબી જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી.ત્યારે માળિયા (મિં) તાલુકાના નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું છે.

    જેમાં ટીલર નિશાનના ઉમેદવાર કમલેશભાઈ નરભેરામભાઈ ઉઘરેજા સરપંચ પદે ચૂંટાય આવ્યા છે. નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ 512નું મતદાન થયેલ હતું.

    જેમાં કમલેશભાઈ ઉઘરેજાને 335 મત મળેલ હતા. જ્યારે અરવિંદભાઈ ભગવાનજીભાઈ ગવાણીયાને 156 મત અને હીરાભાઈ થોભણભાઈ વડાવિયાના 4 મત મળ્યા હતા.

    જેથી કમલેશભાઈ ઉઘરેજાનો 162 મતની વિજય થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નંદનવન જુના દેરાળા ગ્રામ પંચાયત સાથે જોડાયેલ હતું. ત્યારે નંદનવન જુના દેરાળાથી અલગ થતાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી.

    જેમાં કમલેશભાઈ ઉઘરેજાનો વિજય થયો છે. ત્યારે ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

    તેમજ કમલેશભાઈ ઉઘરેજા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના નાના ભાઈ છે. અને સેવાકીય કાર્યોમાં પણ સાથે જોડાઈ પ્રવૃતિઓ કરતા રહ્યા છે.

    ત્યારે કમલેશભાઈએ જણાવ્યું હતું કે, નંદનવન (દેરાળા) ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મુકી મને વિજય બનાવ્યો તે બદલ સમગ્ર ગ્રામજનનો હું આભાર વ્યક્ત કરું છું.

    તેમજ આગામી દિવસોમાં નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયત અલગ બનાવી લોકોની સમસ્યા નિવારણ લાવવા યથાત પ્રયત્ન કરતો રહીશ.

  • મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

    મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

    મોરબીમાં શનાળા રોડ પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના ભત્રીજા મેહુલભાઈ રૂપાણી અને જમાઈ નિમિતભાઈ મિશ્રા હાજર રહ્યા હતા.

    આ તકે સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જૈન મુનિ દિવ્યયસ વિજયજી મહારાજ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઇ સોમણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા,

    પ્રદીપભાઈ વાળા, લખાભાઇ જારીયા, રિશિપભાઇ કૈલા, ભૂપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રાઘવજીભાઇ ગડારા, કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, જયુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, નિકુંજભાઈ કોટક, જયદીપભાઈ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા,

    મુકેશભાઇ કુંડારિયા, મુકેશભાઇ ઉઘરેજા, હિરેનભાઇ પારેખ, હંસાબેન ઠાકર, જયોત્સનાબેન અમૃતિયા, મંજુલાબેન દેત્રોજા, કલેક્ટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર શિવરાજસિંહ ખાચર ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજયભાઇ સોની તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • વાંકાનેર :  માંઘાતા મંદિરે યોજાઈ સેવા સુશાસનના 11મું વર્ષ ઉજવતી ખાટલા બેઠક

    વાંકાનેર : માંઘાતા મંદિરે યોજાઈ સેવા સુશાસનના 11મું વર્ષ ઉજવતી ખાટલા બેઠક

    આજ રોજ તા. 24/06/2025 ના મંગળવારે વોર્ડ નં. 3 જીનપરા વિસ્તારમાં આવેલી પવિત્ર માંઘાતા મંદિરે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ બેઠકનો મુખ્ય હેતુ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11મું વર્ષ પૂર્ણ થવાનો અવસરે જનજાગૃતિ અને માહિતી આપવાનો હતો.

    વાંકાનેર શહેર ભાજપના મંત્રી રમેશભાઈ મકવાણાએ પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલ સુશાસન અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપતાં વિશદ રીતે સમજણ આપી હતી.

    આ અવસરે વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા તેમજ યુવા ભાજપ અને ભાજપ પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સભામાં સ્થાનિક નાગરિકોનું પણ ઉમદા સહકાર અને ઉપસ્થિતિ જોવા મળી હતી. (અહેવાલ : અજયકાંજીયા )

  • રેલવે મુસાફરી મોંધી થઈ શકે છે ! જુલાઈમાં વધી શકે છે મુસાફરી ભાડુ

    રેલવે મુસાફરી મોંધી થઈ શકે છે ! જુલાઈમાં વધી શકે છે મુસાફરી ભાડુ

    રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે. 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે. રેલવે મંત્રાલયે 10 જૂન, 2025 ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો અને તમામ રેલવે ઝોનને આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયનું કહેવું છે કે આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે કે તત્કાલ યોજનાનો લાભ વાસ્તવિક મુસાફરોને મળે, દલાલો કે અનધિકૃત એજન્ટોને નહીં.

    ભારતીય રેલવેએ ઘણા વર્ષો પછી ટ્રેન ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા દર 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. ઉપરાંત, તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે આ પગલાં સામાન્ય મુસાફરોને લાભ આપવા માટે લેવામાં આવ્યા છે.

    ટિકિટના ભાવમાં કેટલો વધારો?

    રેલવેએ ટ્રેન ટિકિટના ભાવમાં થોડો વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ, નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડામાં હવે પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે, જ્યારે એસી ક્લાસમાં આ વધારો 2 પૈસા પ્રતિ કિલોમીટર થશે. આ વધારો નાનો લાગે છે, પરંતુ તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા પર થોડી અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર મુંબઈથી દિલ્હી (1400 કિમી) નોન-એસી ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, તો તેણે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે, જ્યારે એસી ક્લાસમાં આ વધારો 28 રૂપિયા થશે.

    રેલવેનું કહેવું છે કે રેલ સેવાઓ સુધારવા માટે આ ફેરફાર જરૂરી છે. તેની અસર દરરોજ કે નજીકમાં મુસાફરી કરતા મુસાફરો પર નહીં પડે. 500 કિમી સુધી મુસાફરી કરનારાઓને કોઈપણ પ્રકારનો વધારો સહન કરવો પડશે નહીં. જોકે, વધેલું ભાડું 500 કિમીથી વધુ મુસાફરી કરવા માટે લાગુ પડશે. બીજા વર્ગમાં મુસાફરી કરતા મુસાફરોને પણ 500 કિમીથી વધુ અંતર માટે પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.

    તત્કાલ બુકિંગમાં આધાર ફરજિયાત

    રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે. 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી બનશે. રેલવે મંત્રાલયે 10 જૂન, 2025 ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો અને તમામ રેલવે ઝોનને આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયનું કહેવું છે કે આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે કે તત્કાલ યોજનાનો લાભ વાસ્તવિક મુસાફરોને મળે, દલાલો કે અનધિકૃત એજન્ટોને નહીં.

    હવે તત્કાલ ટિકિટ ફક્ત ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ની વેબસાઇટ અથવા એપ દ્વારા જ બુક કરાવી શકાશે અને આ માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. એટલું જ નહીં, 15 જુલાઈ, 2025 થી, તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન એક વધારાનું પગલું ઉમેરવામાં આવશે જેમાં આધાર આધારિત OTP વેરિફિકેશન કરવું પડશે. એટલે કે, હવે તમારે ટિકિટ બુક કરાવતા પહેલા તમારા આધાર નંબર દ્વારા OTP વેરિફિકેશન કરવું પડશે.

    તત્કાલ બુકિંગ માટે એજન્ટો પર પ્રતિબંધ

    તત્કાલ ટિકિટ બુકિંગમાં અનધિકૃત એજન્ટોની દખલ અટકાવવા માટે રેલ્વે મંત્રાલયે પણ કડક પગલાં લીધા છે. નવા નિયમો હેઠળ, રેલવેના અધિકૃત બુકિંગ એજન્ટોને પહેલા દિવસે પહેલા અડધા કલાકના સમયમર્યાદામાં તત્કાલ ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    એસી ક્લાસ બુકિંગ: એજન્ટો સવારે 10:00 થી સવારે 10:30 વાગ્યા સુધી તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.

    નોન-એસી ક્લાસ બુકિંગ: એજન્ટો માટે સવારે 11:00 થી સવારે 11:30 વાગ્યા સુધી બુકિંગ બંધ રહેશે.

    રેલવે મંત્રાલયનું કહેવું છે કે આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો છે જેથી સામાન્ય મુસાફરો સરળતાથી તત્કાલ ટિકિટ બુક કરી શકે.

    રેલવે સિસ્ટમમાં પણ ફેરફારો થશે

    આ નવા નિયમો લાગુ કરવા માટે, રેલવે મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) અને IRCTC ને જરૂરી ટેકનિકલ ફેરફારો કરવા નિર્દેશ આપ્યો છે. રેલવેએ તમામ ઝોનલ રેલવે વિભાગોને પણ આ ફેરફારો વિશે જાણ કરવા જણાવ્યું છે. તેનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે.

  • વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, બોર્ડની પૂરક પરીક્ષાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય

    વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, બોર્ડની પૂરક પરીક્ષાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય

    શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થી માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં, જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે..

    રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

    પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.