Author: admin

  • તોફાની વરસાદથી ‘સુરત’ ના હાલ ‘બદસૂરત’, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

    તોફાની વરસાદથી ‘સુરત’ ના હાલ ‘બદસૂરત’, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

    સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની ‘સૂરત’ બદલાઇ ગઇ છે. સુરત ‘સ્માર્ટ સિટી’ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પુણા-કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા ત્રણ જેટલા યુવકો ત્રણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પુણા-કુંભારિયામાં બની હતી. ત્રણ યુવકો પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમ હેમખેમ બચાવી લીધા હતા. જોકે અર્જુન (ઉ.વ.18) નામનો યુવક હજુ સુધી ગુમ છે, ફાયર ટીમ યુવક શોધખોળ ચાલી રહી છે.

    સુરતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

    સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા પાલનપોર, મોટા વરાછા, યોગીચોક અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે.

    ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો

    પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે. 

    આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ  ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

    સરકારી સ્કૂલોમાં રજા જાહેર

    સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.

    આજે ફરી સુરતમાં મેઘમહેર

    આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  જ્યારે તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે  10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • ‘આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ,’ દિલ્હીમાં એક સેમિનારમાં બોલ્યા અમિત શાહ

    ‘આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ,’ દિલ્હીમાં એક સેમિનારમાં બોલ્યા અમિત શાહ

    નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. અમિત શાહે કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને 50 વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”

    નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે આ ક્ષણને દેશના લોકતાંત્રિક ઇતિહાસની મહત્વની ક્ષણ ગણાવતા કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને 50 વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”

    અમિત શાહના જણાવ્યા અનુસાર, આ ઇમરજન્સીના સમયની લડાઈ જ હતી કે જેણે ભારતમાં લોકતંત્રને જીવંત રાખ્યું અને એ દર્શાવ્યું કે ભારતની જનતા ક્યારેય તાનાશાહીને સ્વીકારતી નથી.

    ઇમરજન્સીમાં લોકતંત્રનું ગળું દબાવવામાં આવ્યું!

    અમિત શાહે કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન માત્ર લોકતંત્રનું ગળું જ ન હતું દબાવવામાં આવ્યું, પરંતુ હજારો પરિવારોનું જીવન પણ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું, “અનેક કારકિર્દીઓ બરબાદ થઈ ગઈ, લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી.”

  • કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી

    કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી

    ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો જથ્થો ઝડપાવાના સમાચારે પોલીસ બેડા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે. રાજ્યના પોલીસ વડાના સ્ટેટ મોનીટરીંગ સેલ (દ્વારા રવિવારે સવારે ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ વિપુલ પ્રમાણમાં દારૂૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મોટા દરોડા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જખઈ દ્વારા કરવામાં આવેલી આ રેડ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ દરોડામાં 800 પેટી અને 19,000 બોટલ દારૂૂ નો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂૂના આ કટિંગ વખતે સ્થળ પરથી કુલ 16 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

    આટલા મોટા પ્રમાણમાં દારૂૂ પકડાયા બાદ, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા તેમજ પીએસઆઈ એચ.એચ. બ્રહ્મભટ પાસેથી તેમનો ચાર્જ છીનવી લઈને તેમને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. અને તેમની સામે તપાસ ચાલી શકે છે.

    માનકુવા પોલીસ સ્ટેશનનો વહીવટી ચાર્જ ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલને સોંપવામાં આવ્યો છે, આ ઘટના દર્શાવે છે કે, રાજ્ય પોલીસ દારૂૂબંધીના અમલને લઈને ગંભીર છે અને આવા મોટા દરોડા બાદ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં સંકોચ રાખતી નથી. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં એક કડક સંદેશ પહોંચ્યો છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.

  • શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધોરણ ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

    શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધોરણ ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

    ધોરણ ૮ પછી બાળકો અભ્યાસ છોડી ન દે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો; ધોરણ ૯ માં ૪૯૪૬ બાળકોનો પ્રવેશ કરાવાશે

    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧ અને ૯ માં મળી કુલ ૧૫,૮૯૭ બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર અબને ઉચ્ચ અભ્યાસની સફર તરફ ઉમંગ અને ઉત્સાહ સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી ઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાવાશે.

    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

    જે અન્વયે મોરબી જિલ્લામાં ધોરણ ૧ માં મોરબી તાલુકામાં ૧૭૬૫ કુમાર અને ૧૭૪૧ કન્યા મળી ૩૫૦૬ બાળકો, માળીયા તાલુકામાં ૪૦૫ કુમાર અને ૪૦૩ કન્યા મળી કુલ ૮૦૮ બાળકો, ટંકારા તાલુકામાં ૫૧૮ કુમાર અને ૩૯૫ કન્યા મળી કુલ ૯૧૩ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકો અને હળવદ તાલુકામાં ૧૩૮૧ કુમાર અને ૧૨૯૦ કન્યા મળી ૨૬૭૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૫૫૭૬ કુમાર તેમજ ૫૩૭૫ કન્યા મળી કુલ ૧૦૯૫૧ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

    ધોરણ ૯ માં મોરબી તાલુકામાં ૭૯૩ કુમાર અને ૪૬૨ કન્યા મળી ૧૨૫૫ બાળકો, માળીયા તાલુકામાં ૩૬૮ કુમાર અને ૪૨૦ કન્યા મળી કુલ ૭૮૮ બાળકો, ટંકારા તાલુકામાં ૨૯૯ કુમાર અને ૩૬૮ કન્યા મળી કુલ ૬૬૭ બાળકો, વાંકાનેર તાલુકામાં ૫૩૩ કુમાર અને ૬૨૨ કન્યા મળી ૧૧૫૫ બાળકો અને હળવદ તાલુકામાં ૫૨૪ કુમાર અને ૫૫૭ કન્યા મળી ૧૦૮૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૨૫૧૭ કુમાર તેમજ ૨૪૨૯ કન્યા મળી કુલ ૪૯૪૬ બાળકો ધોરણ ૯ માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે.

  • એર ઈન્ડિયાની ફલાઈટમાં કેનેડાથી આવતા 15 ગુજરાતીઓએ પ્રવાસ પડતો મુકયો: ચોંકાવનારા આક્ષેપો

    એર ઈન્ડિયાની ફલાઈટમાં કેનેડાથી આવતા 15 ગુજરાતીઓએ પ્રવાસ પડતો મુકયો: ચોંકાવનારા આક્ષેપો

    ફલાઈટ મોડી પડી, ટેકનિકલ ફોલ્ટની મેમ્બર્સને પણ જાણ ન હોવાનો અને ફલાઈટ મેનેજરે ઉદ્ધત વર્તન કર્યાના આક્ષેપો

    એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના શિડ્યૂલ ખોરવાઈ રહ્યા છે અને એરક્રાફ્ટ્સમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવવાનું હજુય ચાલુ જ છે ત્યારે એર ઈન્ડિયાની ટોરન્ટોથી નવી દિલ્હી આવતી ફ્લાઈટ નંબર AI 188માં ઈન્ડિયા આવવા નીકળેલા અમુક ગુજરાતી પેસેન્જર્સે એરલાઈન પર કેટલાક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

    જૂન 18ની આ ઘટનાનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાની ઓળખ ડો. ગૌરાંગ જોષી તરીકે આપનારા એક ગુજરાતી એવું કહેતા સાંભળી શકાય છે કે ફ્લાઈટના ડિપાર્ચરની આગલી રાતથી જ તેમને ફ્લાઈટ મોડી હોવાના ઈમેલ અને મેસેજ મળવાનું શરૂ થઈ ગયું હતું.

    આ ફ્લાઈટ ટોરન્ટો એરપોર્ટ પરથી બપોરે એક વાગ્યે ટેક-ઓફ થવાની હતી પરંતુ પેસેન્જર્સને છેક સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા.

    ફ્લાઈટ ગેટ પરથી ડિપાર્ચર માટે બહાર નીકળી ત્યારબાદ તેને પોણો કલાક સુધી ઉભી રખાઈ હતી અને તેને દોઢ કલાકે ફરી ગેટ પર લાવવામાં આવી હતી.

    ત્યારબાદ પેસેન્જર્સે ફ્લાઈટ ટેક-ઓફ કેમ નથી થઈ રહી તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્રુ મેમ્બર્સે ટેકનિકલ ફોલ્ટને કારણે ટેક-ઓફમાં મોડું થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

    જોકે, ખરેખર શું ફોલ્ટ હતો તેની કેબિન ક્રુને પણ કોઈ જાણ નહોતી, આ દરમિયાન અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખતા આ ફ્લાઈટમાં કેટલાક સવાર ગુજરાતી પેસેન્જર્સે પોતાનો પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કરતાં પોતાને ડીપ્લેન કરી દેવા અને ટિકિટના પૈસા પાછા આપવા માટે ફ્લાઈટ મેનેજર સાથે વાત કરી હતી.

    પેસેન્જર્સનો આક્ષેપ છે કે ફ્લાઈટ મેનેજરે તેમને ટિકિટ ફેર રિફંડ નહીં મળે તેવી વાત કરતા પોતાની જવાબદારીએ ડીપ્લેન થવા માટે કહી દીધું હતું. કોઈ રિસ્ક ના લેવા માગતા 15 જેટલા ગુજરાતી પેસેન્જર્સે ટિકિટના પૈસા પાછા ના અપાય તો પણ પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટ મેનેજરે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ પેસેન્જર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

  • ભારત 140 કરોડ લોકોના નુકસાનને સ્વીકારવા તૈયાર નથી! અમેરિકા સાથેનો વેપાર સોદો અટકી ગયો

    ભારત 140 કરોડ લોકોના નુકસાનને સ્વીકારવા તૈયાર નથી! અમેરિકા સાથેનો વેપાર સોદો અટકી ગયો

    અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પરની વાટાઘાટો અટકી ગઈ છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત મકાઈ અને સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે જે ભારત સરકાર સ્વીકારવા તૈયાર નથી. આના કારણે, આગામી મહિનાઓમાં નિકાસકારોને વધઘટનો સામનો કરવો પડી શકે છે

    ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સોદો અટવાઈ ગયો છે. અમેરિકા તેના કેટલાક કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે પરંતુ ભારત આ સ્વીકારી રહ્યું નથી. અમેરિકા ઈચ્છે છે કે ભારત મકાઈ અને સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે. ભારત સરકાર એવા કરાર માટે તૈયાર નથી જે દેશના 140 કરોડ ગ્રાહકો અને ખેડૂતોને નુકસાન પહોંચાડે. આનુવંશિક રીતે સુધારેલા ખોરાક અંગે પણ ઘણી ચિંતાઓ છે.

    સૂત્રોનું કહેવું છે કે આના કારણે બંને દેશો વચ્ચેની વાતચીતમાં અવરોધ ઊભો થયો છે. જો 9 જુલાઈ સુધીમાં કોઈ નાની સમજૂતી ન થાય, તો ભારતીય ઉદ્યોગોને યુએસમાં 26% સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે.

    કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો 10% બેઝલાઇન ટેરિફ પૂરતો નથી. આ ટેરિફ બધા દેશો માટે છે. જ્યારે વાટાઘાટો શરૂ થઈ, ત્યારે ભારત સરકાર ઇચ્છતી હતી કે કાપડ, ચામડાની ચીજવસ્તુઓ, દવાઓ અને કેટલાક એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનો પર કોઈ કર ન લાગે.

    બીજી તરફ, અમેરિકન અધિકારીઓ ઇચ્છે છે કે આ કરાર ઝડપથી થાય. તેમણે ભારતને કહ્યું છે કે ટ્રમ્પ વહીવટ તાત્કાલિક શૂન્ય ટેરિફ પર જઈ શકે નહીં. ભારત ઇચ્છે છે કે એકવાર કરાર થઈ જાય, પછી અમેરિકા ભવિષ્યમાં કોઈ નવો કર લાદે નહીં.

    ઓપરેશન સિંદૂર :

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ખોટું છે. આ અંગે ભારતમાં પણ નારાજગી છે. આનાથી વેપાર સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી રહી નથી. સૂત્રો કહે છે કે ભારત સરકાર એવા કરાર માટે તૈયાર નથી જે દેશના 140 કરોડ ગ્રાહકો અને ખેડૂતોને નુકસાન પહોંચાડે. અમેરિકા ઇચ્છે છે કે કૃષિ ઉત્પાદનોને કરારમાં સામેલ કરવામાં આવે.

    એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે અમારા કૃષિ ક્ષેત્રને મોટા યુએસ ફાર્મમાંથી આયાત માટે ખોલી શકતા નથી. આપણે અત્યારે આ માટે તૈયાર નથી. સરકાર અગાઉ ઓછા ટેરિફ પર કેટલાક જથ્થાની આયાતને મંજૂરી આપવાનું વિચારી રહી હતી. સૂકા ફળો જેવા ઉત્પાદનોમાં બહુ સમસ્યા નથી પરંતુ સફરજનને લઈને પહેલાથી જ વિરોધ છે.

    અમેરિકા ભારતમાં મકાઈ અને સોયાબીનની નિકાસ કરવા માંગે છે. આમાંના મોટાભાગના આનુવંશિક રીતે સુધારેલા છે, જે ભારતીય નિયમો હેઠળ માન્ય નથી. અમેરિકા તેના ઉત્પાદનોને નો ૠખ સર્ટિફિકેટ આપવા તૈયાર નથી. તેના બદલે, તે સૂચવે છે કે કેટલાક મકાઈને ઇથેનોલમાં પ્રક્રિયા કરી શકાય છે અને તેનો ઉપયોગ મિશ્રણ કાર્યક્રમોમાં કરી શકાય છે. પરંતુ આ શક્ય નથી કારણ કે મિશ્રણ મર્યાદા પહેલાથી જ પહોંચી ગઈ છે.

    તેવી જ રીતે, સોયાબીનના કિસ્સામાં, તેને તેલમાં પ્રક્રિયા કરવાનું સૂચન કરવામાં આવે છે. પરંતુ આ કામ ભારતમાં જ કરવું પડશે જેથી ૠખ ઉત્પાદનો ભારતીય બજારમાં આવી શકે. આ ઉપરાંત, અમેરિકા ઇચ્છે છે કે તેના ઘણા અન્ય ઉત્પાદનો જેમ કે વાહનોને ઓછા ટેરિફ પર આયાત કરવાની મંજૂરી આપવામાં આવે.

    જો ટ્રમ્પ 9 જુલાઈના રોજ   ટેરિફ સસ્પેન્શન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે, તો ભારતીય ઉદ્યોગો માટે મુશ્કેલીઓ વધશે.  આનું કારણ એ છે કે અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે. જોકે, યુકે અને ઇયુ સાથેના વેપાર સોદાઓ કેટલાક અન્ય બજારો ખોલશે. પરંતુ આગામી મહિનાઓમાં નિકાસકારોને વધઘટનો સામનો કરવો પડશે. સરકાર પણ આ વાત સ્વીકારે છે.

  • શક્તિસિંહ ગોહિલનો ધડાકો, આજે મારો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે, મેં રાજીનામું આપી દીધું છે

    શક્તિસિંહ ગોહિલનો ધડાકો, આજે મારો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે, મેં રાજીનામું આપી દીધું છે

    શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું… કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય, હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે

    આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા aicc ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.

    વિસાવદર અને કડીમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આપેલી પ્રતિક્રિયામાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, aicc ને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું સોંપ્યું હોવાનું જણાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ આ હાર અંગે મનોમંથન કરશે.

    સાથે જ તેમણે નવા અને બદલાયેલા પ્રમુખ અંગે કહ્યું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ શુ છે તે સાંભળી પ્રમુખ નક્કી કરવા કમિટી બની હતી. Aicc ના રિપોર્ટને મંજૂરી આપી હતી. સંગઠન સજ્જન અભિયાનમાં ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ પર લીધું. જિલ્લા કોંગ્રેસમાં 40 પ્રમુખોની નિમણૂંક થઈ.

    પક્ષ કે પરિવાર ને બધા નિર્ણય મંજુર ન હોય પણ આ નિર્ણયથી નવું બળ અને જોમ મળ્યું છે. સંગઠન સર્જનની નિટીમાં દર 3 મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીનું નિરીક્ષણ થશે તે જ રીતે કાર્યકરોને સાંભળવામાં આવશે. જે પ્રમુખ બદલાયા તેઓનો આભાર માનું છું. હિમતસિંહે નવા પ્રમુખનું સ્વાગત કર્યું.

    તેમણે કહ્યું કે, હારના કારણમાં નહિ પડું પણ જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યું. મારી કોઈ નબળાઈ રહી હોય શકે તેનો સ્વીકાર કરી મેં રાજીનામુ આપ્યું. હરિયાણા ની ચૂંટણી વખતથી જે માહોલ થયો તેની આ અસર છે. રાજકારણમાં કોઈ બાબત નક્કી ન હોય.

    શક્તિસિંહને અનુકૂળ પ્રમુખ ન આવ્યા તે વાત પર નિવેદન આપતા તેમણે કહ્યું કે પાર્ટીને ગમે તે મને ગમે. મારા જિલ્લામાં જે નામો આવ્યા તે વ્યાજબી નામ છે. કોંગ્રેસમાં દરેક મકમતાથી ઉમેદવાર અને કાર્યકર લડ્યા છે. પરિણામ નથી આવી શકયું તેનો સ્વીકાર કર્યો છે.

    મેં થોડા દિવસ પહેલા aicc ને મેં રાજીનામુ આપી દીધું હતું. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. હાલ શૈલેષ પરમાર ચાર્જ સાંભળશે. આજથી 30 વર્ષ પહેલાં એવું થયું ત્યારે મંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલ મારી પ્રમુખ તરીકે ને તમામ વસ્તુ સોંપી રહ્યો છું. પાર્ટીના તમામ ઉચ્ચ નેતાનો અને જનતાનો આભાર છે.

  • સૌરાષ્ટ્રમાં મેઘમહેર; જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ

    સૌરાષ્ટ્રમાં મેઘમહેર; જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ

    જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફલો: પોરબંદરના ઘેડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી: કેશોદ-માણાવદરમાં પાંચ ઈંચ

    સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે સવાર સુધી જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડુતો હવે વાવણી કાર્ય માટે બિયારણ અને ખાતરની ખરીદી માટે તૈયારી હાથ ધરી છે.

    જુનાગઢના મેંદરડા, વંથલી, કેશોદ, માણાવદર, ભેંસાણ તાલુકામાં શ્રીકાર વર્ષાથી નદી-નાળા વહેતા થયા હતા. નદીઓમાં પુર આવ્યુ હતું. પોરબંદરના ઘેડ પંથકમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. જયારે જામનગર જિલ્લાની જીવાદોરીસમો રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં ખેડુતો ખુશખુશાલ થયા છે.

    જામનગર

    જામનગર જિલ્લામાં રવિવારે વરસાદનો બીજો રાઉન્ડ થતાં વાતાવરણમાં ઠંડક સાથે વધુ 1થી7 ઈંચ જેટલો વરસાદ વરસતા જામનગરની જીવાદોરી સામે રણજીતસાગર ડેમ ઓવરફલો થયો અને જિલ્લાના કાલાવડ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

    જિલ્લાના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જામજોધપુર, ઝાલાવાડ, જોડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાલપુર 41 મી.મી., ધ્રોલ 16 મી.મી. વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક 1થી7 ઈંચ વરસાદ વરસતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.

    પોરબંદર

    પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક 1થી5 ઈંચ વરસાદ 24 કલાક દરમિયાન નોંધાયો છે. રવિવારે પોરબંદરનાં માધવપુર ઘેડ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયુ હતુ.

    કુતિયાણા તાલુકા અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. રાણાવાવ પંથકમાં ત્રણ દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડુતો મગફળી અને સોયાબીનનુ બિયારણ અને ખાતરની ખરીદી શરૂ કરી છે.

    જુનાગઢ જિલ્લામાં પણ રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. મેંદરડા 6, વંથલી, કેશોદ, માણાવદર પંથકમાં પાંચ ઈંચ, ભેંસાણ-વિસાવદર ચાર ઈંચ અને માંગરોળ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. કેશોદમાં ધોધમાર વરસાદથી પાંચ ઈંચ વરસાદ વરસતા ઉતાવળી નદીમાં પુર આવ્યુ હતું.

    બાંટવાના ખાસ ડેમમાં નવા નીર અને રસાલા ડેમ, વંથલીની મધુવંતી, ઉબેણ, શાબરી નદીઓ વહી હતી. જુનાગઢ જિલ્લામાં સર્વત્ર વાવણી લાયક વરસાદથી ખેડુતો ખુશ થયા છે.

  • મોરબીમાં તારીખ‌ ૨૫ના ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

    મોરબીમાં તારીખ‌ ૨૫ના ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

    ઈ‌.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષ તારીખ ૨૫-૬-૨૦૨૫ના રોજ પૂર્ણ થતા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી મોરબી ખાતે ‘સંવિધાન હત્યા’ દિવસ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા યોજાશે.

    આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર   કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી જેમાં સંવિધાન હત્યા દિવસે રેલી પ્રદર્શન સહિતના આયોજનની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપાઈ હતી તેમજ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થશે‌.

    આ તકે અધિક નિવાસી કલેક્ટર   એસ.જે. ખાચર, નાયબ મ્યુનિસિપલ કમિશનર  કુલદીપસિંહ વાળા, ડી.આર.ડી.એ. નિયામક  નવલદાન ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા‌.

  • મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

    મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

    મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની પેટા /મધ્ય સત્ર /સામાન્ય ચૂંટણી – ૨૦૨૫ અન્વયે આગામી ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરી કરવામાં આવશે

    મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે, ટંકારા તાલુકાની મતગણતરી ગ્રાઉન્ડ ફ્લોર, જમણી સાઈડ રૂમ નંબર ૧ અને ૨ તથા ડાબી સાઇડ પ્રાર્થનાખંડ, ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ   રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ ખાતે, વાંકાનેર તાલુકાની મતગણતરી અમરસિંહજી હાઇસ્કુલના પ્રથમ માળ સભાખંડ ખાતે તથા હળવદ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવનાર છે.

    આ મતગણતરી કેન્દ્રો ખાતે તારીખ ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી, IAS દ્વારા મતગણતરી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં વિવિધ કૃત્ય પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અમલમાં મૂકવામાં આવ્યું છે.

    ૧.  આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈશ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ્સ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

    ૨.  મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં.

    ૩ . કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ સહિતના પ્રીમાઇસીસમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

    ૪.  ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશપાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

    ૫.  મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારી ને અધિકૃત કરવામાં આવે છે.

    ૬.  મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારી એ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્કિંગ કરવાનું રહેશે.

    આ જાહેરનામાના મુદ્દા નંબર ૨, ૩ અને ૬ અંગે મતગણતરી તેમજ મત ગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી કર્મચારી ઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી /કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ એસઆરપી હોમગાર્ડના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.