Author: admin

  • મોરબીમાં બનશે આધુનિક જિલ્લાકક્ષાની નવી જેલ : 550 કેદીની ક્ષમતાવાળી જેલ માટે અમરેલી ગામે જમીન ફાળવાઈ

    મોરબીમાં બનશે આધુનિક જિલ્લાકક્ષાની નવી જેલ : 550 કેદીની ક્ષમતાવાળી જેલ માટે અમરેલી ગામે જમીન ફાળવાઈ

    મોરબીથી ત્રણેક કિમી દૂર અમરેલી ગામમાં જેલ માટે ૩૨ એકર  જમીનની ફાળવણી જિલ્લા કલેકટર દ્વારા કરાઇ

    રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં આધુનિક સુવિધાઓથી યુક્ત જિલ્લાકક્ષાની નવી જેલ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સબ જેલ જે 1954માં માત્ર 84 કેદી ધરાવતી ક્ષમતા સાથે શરૂ કરાઈ હતી, તેમાં હવે કેદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2017માં તેનું સમર્થન વધારીને 171 (143 પુરૂષ અને 28 મહિલા કેદી) કરવામાં આવ્યું હતું. હવે આગામી 50 વર્ષ માટે કેદીઓની સંખ્યાની આવક-જાવકને ધ્યાને લઈને, નવી જેલ 550 કેદીની ક્ષમતા સાથે નિર્માણ પામશે.

    કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નવા જેલ માટે મોરબીથી ત્રણ કિમી દૂર આવેલ અમરેલી ગામે સર્વે નં. 199માંથી 5-22-70 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. અહીં જેલની આધુનિક સુવિધાઓ સાથે સાથે કેદીઓ માટે રહેણાક, મનોરંજન, હરવા-ફરવા માટે ખુલ્લી જગ્યા, તાલીમ અને રોજગારલક્ષી ઉદ્યોગો પણ હાથ ધરવામાં આવશે.

    જિલ્લા જેલર ડી.એમ. ગોહિલે જણાવ્યુ હતું કે કેદીઓની વધતી જતી સંખ્યાને જોતા છેલ્લા કેટલાય વર્ષથી નવી જેલની માંગણી કરવામાં આવી રહી હતી. આ સંબંધમાં જિલ્લા જેલ કમિટિએ પણ દરખાસ્ત આપી હતી. હવે સરકાર દ્વારા મંજૂરી મળતા, મોરબી માટે આ મોટો વિકાસ બની રહેશે.

    નવી જેલમાં 500 પુરૂષ અને 50 મહિલા કેદીઓ માટે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેલના સ્ટાફ માટે પણ આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

    જિલ્લા જેલ કમિટિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ, વરિષ્ઠ મહિલા ન્યાયિક અધિકારી અને જેલ અધિક્ષક સહિતના સભ્યો જોડાયેલા છે.

    આ નિર્ણયથી ઓવરક્રાઉડ જેવી સમસ્યાનું નિરાકરણ થશે તેમજ કેદીઓના માનવ અધિકાર અને પુનર્વાસના અભિગમને સાકાર કરતો મહત્વનો પગથિયો સાબિત થશે.

  • વ્રજ હોસ્પિટલ દ્વારકામાં માઇનોર ઓપરેશનનો ફ્રી કેમ્પ

    વ્રજ હોસ્પિટલ દ્વારકામાં માઇનોર ઓપરેશનનો ફ્રી કેમ્પ

    વ્રજ હોસ્પિટલ દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણીના જ્યેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ ના વિદ્યારંભના શુભ અવસરે તથા કાનાણી પરિવારમાં નવા સદસ્યના આગમનની ખુશીના અવસરે તદ્દન ફ્રી માં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ પ્લાસ્ટિક સર્જન ડો. નઈમ સાયરા તથા આપણા લોકલાડીલા ડો. સાગર કાનાણી દ્વારા તલ મસા કપાસી જેવા તમામ માઇનોર ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં નિદાન, રીપોર્ટ, સારવાર તથા ઓપરેશન અને પાંચ દિવસની દવા સંપૂર્ણપણે ફ્રી માં આપવામાં આવશે. કોઈપણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવશે નહીં સંપૂર્ણ ફ્રી કેમ્પ છે.

    આ મેગા મેડિકલ ફ્રી કેમ્પના મુખ્ય મહેમાન દ્વારકા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા માણેક છે અને તેમના વરદ હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના કાર્ડની જરૂર નથી. આ ફ્રી કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને ડોક્ટર સાગર કાનાણી અપીલ કરેલ છે

    તારીખ: 29-6-2025 રવિવાર, સ્થળ વ્રજ હોસ્પિટલ, ન્યારા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા, અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ડોક્ટર સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠ ના બર્થ ડે દર વર્ષે નિશુલ્ક માઇનોર ઓપરેશન કેમ્પનું આયોજન કરી ને ઉજવે છે ઉપરાંત વ્રજ હોસ્પિટલ દ્વારકા ખાતે દરરોજ નિદાન યજ્ઞ ચલાવે છે જેનો આજ સુધી દોઢ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.

  • બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી

    બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી

    ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં, રાજ્યમાં કુલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ લાવવા માટે જવાબદાર બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વરસાદ લાવનારી મુખ્ય સિસ્ટમ્સમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને ઉત્તર ગુજરાત તરફથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. આ બંને સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવથી ગુજરાતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં, સારો વરસાદ જોવા મળશે.

    હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ખેડૂતોને વાવણી માટે યોગ્ય માહોલ મળશે અને જળસંગ્રહમાં પણ વધારો થશે. શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

    હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, ખાસ કરીને શરૂૂઆતના બે દિવસ એટલે કે આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    વરસાદની સંભાવનાને પગલે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ પગલું સંભવિત ખરાબ હવામાનથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

    આજે એટલે કે જૂન 21 ના રોજ પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

    રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જે લોકોને ગરમીથી થોડી રાહત આપી શકે છે.

  • મોરબી મહાનગરપાલિકાને ફાયર ફાઈટીંગ માટે મળ્યા નવા ૨ ટર્ન ટેબલ લેડર વાહન

    મોરબી મહાનગરપાલિકાને ફાયર ફાઈટીંગ માટે મળ્યા નવા ૨ ટર્ન ટેબલ લેડર વાહન

    મોરબી: મોરબી મહાનગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા ફાયર ફાઈટીંગ માટે ૨ ટર્ન ટેબલ લેડર વેહિકલ ફાળવવામાં આવી છે. તા. ૧૮/૦૬/૨૦૨૫ના રોજ આ વાહન મોરબી મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવ્યું છે. આ નવા સાધનના સમાવેશે મહાનગરપાલિકાની અગ્નિશામન સુવિધાઓને વધુ સક્ષમ અને ઝડપી બનાવશે.

    આ ટેબલ લેડર વાન એક પ્રકારનું ફાયર ફાઈટીંગ વાહન છે, જે ઉંચી ઇમારતોમાં આગ બૂઝાવવાનું કાર્ય કરે છે. તેમાં રોટેટિંગ પ્લેટફોર્મ હોય છે, જેના ઉપર લેડર લગાવવામાં આવે છે. અંદાજે ૨૧ મીટરની લંબાઈ ધરાવતું આ લેડર લગભગ ૮ માળ જેટલી ઊંચાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે.

    આ વાહનમાં ૩૫૦ લીટરની વોટર ટેન્ક અને બે હાઈ પ્રેશર ફાયર ફાઈટિંગ લાઈનો સાથેથી આગ બુઝાવવાનું કાર્ય સુસજ્જ રીતે કરવામાં આવી શકે છે. લેડર સાથે સુરક્ષિત રીતે લોકોના રેસ્ક્યુ માટે લોડ ક્ષમતા પણ ઉપલબ્ધ છે. આ વાહનનો ઉપયોગ મોનિટર અથવા પંપ સપોર્ટેડ નોઝલ દ્વારા પાણીના જોરદાર પ્રવાહ માટે પણ થઈ શકે છે.

    આ પ્રકારનું આધુનિક વાહન ખાસ કરીને ઉંચી ઇમારતોમાં લાગેલી આગ સામે કામ કરવા, ફસાયેલા લોકોને બહાર લાવવા અને ગીચ વિસ્તારોમાં સરળતાથી પાણી છાંટવા માટે ઉપયોગી છે. તેનું નિયંત્રણ હાઇડ્રોલિક સિસ્ટમથી કરવામાં આવે છે, જેથી વધુ અસરકારક કામગીરી શક્ય બને છે.

    અગ્નિશામક વિભાગે જાહેરને અપીલ કરી છે કે કોઈ પણ ઇમરજન્સી ઘટનામાં તરત મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૦૨૮૨૨-૨૩૦૫૫૦ અથવા ૧૦૧ ઉપર સંપર્ક કરવા.

  • વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થી સન્માન માટે શાહી સન્માન સમારોહ યોજાયો

    વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થી સન્માન માટે શાહી સન્માન સમારોહ યોજાયો

    વાંકાનેર શ્રી સેન યુવા સંગઠન દ્વારા આજ રોજ વાણંદ સમાજના વિદ્યાર્થીસ્નેહી ઉદ્દેશ્ય હેઠળ શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની ધમાકેદાર એન્ટ્રી અને બાળાઓ દ્વારા રજુ થયેલ સ્વાગત ગીત સાથે થઇ હતી, જેના કારણે સમગ્ર માહોલ યશસ્વી ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો.

    આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાણંદ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તેમના અભ્યાસિક યોગદાનની કદર કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓ પણ વિતરણ કરવામાં આવી હતી, જે સમાજની શૈક્ષણિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, સમારોહમાં વાંકાનેર વાણંદ સમાજ દ્વારા પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓને ગાયત્રી મંત્રના નાદ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

    આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સેન યુવા સંગઠનના તમામ સભ્યોએ સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરી, જેને કારણે કાર્યક્રમ સફળ અને સ્મરણિય રહ્યો. (અહેવાલ : અજય કાંજીયા)

  • મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની જિલ્લાકક્ષાની ઉજવણીમાં સામૂહિક યોગા અભ્યાસ કરાયો

    મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની જિલ્લાકક્ષાની ઉજવણીમાં સામૂહિક યોગા અભ્યાસ કરાયો

        આંતરરાષ્ટ્રીય યોગ દિને મોરબી જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યોગ સાધકોની સાથે “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” માટે યોગની થીમ સાથે “મેદસ્વિતા મુક્ત ભારત”  અભિયાન અન્વયે અનેરા ઉત્સાહ અને ઉર્જા સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. યોગ ઈન્સ્ટ્રકર ઓ દ્વારા સર્વેને વિવિધ યોગા અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.

    સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમથી યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના તથા વડનગર ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

    પ્રાસંગિક ઉદ્બોધન આપતા રાજ્યસભાના સાંસદ  કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા. ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનએ તેમના ૧૧ વર્ષના શાસનમાં  આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવા માટે  ખૂબ બધા કામો કર્યા છે .જેમા આયુર્વેદ અને યોગનો સમાવેશ થાય છે  યોગ એ આપણી ઉપલબ્ધિ છે જે આપણને શારીરિક માનસિક ઉર્જા આપે છે. આરોગ્ય ઉત્તમ બનાવે છે. યોગને નિયમિત રોજબરોજના જીવનમાં અપનાવવું જોઈએ.

    આ પ્રસંગે ધારાસભ્ય   પ્રકાશભાઈ વરમોરાએ  કહ્યું હતું ઋષિમુનીઓએ આપણને યોગની ભેટ આપી હતી. યોગ લોકોના દૈનિક જીવનમાં આવે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આ માટે મેદસ્વિતા મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેથી યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય ઉત્તમ બને.

    આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર  કિરણ બી. ઝવેરીએ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી આપણા પ્રાચીન યોગને વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ રોગને ભગાવે છે. ત્યારે આપણે પણ દૈનિક જીવનમાં યોગને અપનાવીને સ્વસ્થ રહીએ.

    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારેધી, ધારાસભ્ય સર્વ  કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણી  જેન્તીભાઇ ભાડેસિયા, જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર  એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક  સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારી  સુશીલ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલ વ્યાસ સહિતના અધિકારીઓ, મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાવાસીઓ સહભાગી બન્યા હતા.

  • યોગ, સંસ્કૃતિ અને શાંતિનો સંગમ : મોરબીના મણિમંદિર ખાતે ઉજવાયો વિશ્વ યોગ દિવસ

    યોગ, સંસ્કૃતિ અને શાંતિનો સંગમ : મોરબીના મણિમંદિર ખાતે ઉજવાયો વિશ્વ યોગ દિવસ

    ‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.

    યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે. યોગ વિશે કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. યોગ સંસ્કૃતિ એ આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે.

    વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી યુનાઇટેડ નેશન્સની મહાસભાએ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    જેના ભાગરૂપે મોરબીમાં આપણી ઋષિ પરંપરાગત પ્રાચીન યોગ સંસ્કૃતિને મોરબીની ઓળખ અને વારસાગત ધરોહરની સાથે સાંકળી મણીમંદિર ખાતે મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે  મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. ત્યારે આપણે એવા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે સ્થળ આપણને ઐતિહાસિક વિરાસત સાથે જોડે છે અને ગૌરવવંતા બનાવે છે. આ વર્ષની યોગ દિવસની થીમ એવું ફલિત કરે છે કે, યોગ એ વિશ્વના દરેક દેશ, દરેક સમુદાય અને દરેક સમાજ માટે છે અને તમામ યોગ સાથે જોડાઈ રહ્યા છે. નિયમિત યોગ અભ્યાસ થકી માનસિક અને

    શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે.

    કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

    મોરબી શહેરી કક્ષાના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર  કુલદીપસિંહ વાળા અને   સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક  વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર  કશ્યપ પંચાલ, અગ્રણી ઓ, શાળાના શિક્ષકો, બાળકો, યોગટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.

  • મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોનસૂન પ્લાન અમલમાં

    મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોનસૂન પ્લાન અમલમાં

    આગામી વરસાદી મોસમને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 01 મે 2025 થી તા. 31 ઑક્ટોબર 2025 સુધી પ્રિ-મોન્સૂન પ્લાનના અમલની શરૂઆત કરવામાં આવી છે. વરસાદ દરમ્યાન તીવ્ર હવામાન અને પાણી ભરાવાની શક્યતાઓને અનુરૂપ રાઉન્ડ ધ કલોક કામગીરી માટે વિવિધ વિભાગોમાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

    મહાનગરપાલિકા અંતર્ગત આવેલા કુલ 13 આરોગ્ય કેન્દ્રો પર તમામ આવશ્યક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી વરસાદી મોસમમાં તાત્કાલિક આરોગ્યસેવા સુલભ બની રહે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા નિકાળ ન હોતાં વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા અનુરોધ કરવામાં આવે છે.

    સાથે જ, નાગરિકો જાગૃતતા દાખવી નીચે મુજબના નંબર પર તાત્કાલિક જાણ કરીને સહકાર આપે તે વિનંતી: જાહેર સ્થળે તૂટી ગયેલ ભૂગર્ભ ગટર અથવા પાણીના ટાંકા સહિતના જોખમકારક મુદ્દાઓ માટે તાત્કાલિક જાણ કરવી જરૂરી છે, જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય.

    સંપર્ક માટેના અગત્યના નંબર: ફરિયાદ માટે: 02822 220551 , પ્રિ-મોનસૂન કન્ટ્રોલ રૂમ નંબર: 02822 220552

  • ભારતએ યોગનું જન્મદાતા: મહર્ષિ પતંજલીને યોગના જનક

    ભારતએ યોગનું જન્મદાતા: મહર્ષિ પતંજલીને યોગના જનક

    કાલે વિશ્વ યોગ દિવસ: 5 હજાર વર્ષ પહેલા આપણા દેશમાં થઈ હતી યોગની શરૂઆત, યોગ આત્મા પર અનાદિકાળથી લાગેલા કર્મનો ક્ષય કરે; આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 21 જૂન 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના 177 દેશોમા યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગની શરૂઆત 5000 વર્ષ પહેલા આપણા દેશમાં થઈ હતી. ભારતને યોગના જન્મદાતા કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલીને યોગના જનક માનવામાં આવે છે.

    વોર્ડ નં. 1 ના પ્રભારી કાથડભાઈ ડાંગર જણાવે છે કે, યોગ એટલે જે જોડે છે તેને યોગ કહેવાય છે. યોગ આપણા દેશમાં સદીઓ પુરાણો છે, જેનું વર્ણન વેદ, ઉપનિષદ, કઠોપનિષદ, મહાભારત અને ભાગવત વગેરેમાં અનેકવાર કહેવામાં આવેલું છે.

    ઉપનિષદમાં યોગ માટે તપ, ધ્યાન ભક્તિ, વૈરાગ્ય, વિવેક, બ્રહ્મચર્ય, ઉપાસના આદિ સત્યનું જ્ઞાન માપવાનું સાધન તરીકે યોગને જણાવેલ છે. ભગવદ ગીતા અને પુરાણ જેવા ગ્રંથોમાં ધ્યાનયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ અને હઠયોગ જેવા યોગના વિવિધ સ્વરૂપોની વાત કરી છે. મહર્ષિ પતંજલિ એ યોગના આઠ અંગ બતાવેલ છે. યોગની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં છે. માનવ જીવનમાં સુખ-દુ:ખ, માન-અપમાન, જય-પરાજય આવે દરેક ઘટનાઓ વખતે સમતા રાખવી તેને યોગ કહેવાય છે.

    યોગ એ બાહ્ય બાબત નથી પરંતુ આંતરિક અનુભૂતિ છે. દરેક વ્યક્તિની અંદર રહેલ ચૈતન્યનો વિકાસ કરવો તે યોગ છે. દરેક પ્રાણીમાત્રની અંદર ચેતન તત્ત્વ રહેલું હોય છે. પરંતુ ભગવાને મનુષ્યને બુદ્ધિ જેવું તત્ત્વ આપીને તેને સર્વોપરી બનાવ્યો છે.

    મનુષ્ય શરીર દ્વારા પોતાના કલ્યાણ માટેના પ્રયત્નો કરી શકાય છે અને આના માટે યોગ આપણને મદદરૂપ થઈ શકે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં પોતાને મહાયોગી કહ્યા છે. તેઓ પોતાનું સમગ્ર જીવન એક યોગીની પેઠે જીવ્યા છે. આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ આત્માનો આંતરિક અને આધ્યાત્મિક વિકાસ તે યોગ છે આ યોગ આત્મા પર અનાદિકાળથી લાગેલા કર્મનો ક્ષય કરે છે.

  • ગોલ્ડ લોનના નવા નિયમોથી ધિરાણકર્તાઓને થશે ફાયદો!

    ગોલ્ડ લોનના નવા નિયમોથી ધિરાણકર્તાઓને થશે ફાયદો!

    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નવી ગાઇડલાઇન્સ ’ગોલ્ડ લોન’ સેક્ટરમાં મોટો ફેરફાર લાવવા જઇ રહી છે. ધિરાણકર્તાઓ કે જેઓ તેમના વ્યવસાયિક મોડેલોને ઝડપથી બદલવાની ક્ષમતા ધરાવે છે.

    તેઓ આ નવા નિયમોથી લાભ મેળવી શકશે. ગુરુવારે જાહેર થયેલા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધિરાણકર્તાઓને સોના-સમર્થિત વપરાશ લોન માટે ટૂંકા ગાળાની લોન લેવાની વધુ સ્વતંત્રતા મળશે.

    જેનાથી નાના ધિરાણકર્તાઓને તેમની ગીરવે મૂકેલી સોનાની સંપત્તિમાંથી વધુ મૂલ્ય પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે. ધિરાણકર્તાઓ પાસે ફેરફારોની તૈયારી માટે 1 એપ્રિલ, 2026 સુધીનો સમય છે.

    કોલેટરલ વેલ્યુએશન પર આધારિત

    અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પરંપરાગત રીતે તેઓ કોલેટરલ વેલ્યુએશન પર આધાર રાખે છે. ચુકવણીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે લોન અધિકારીઓની નિમણૂક કરવા માટે કૌશલ્યના અંતરને દૂર કરવું એ આ ધીરનારનાર માટે સ્પષ્ટ ખર્ચ અને અવરોધ બંને છે.

    એલટીવી ગુણોત્તરની ગણતરી

    રિપોર્ટમાં નવા નિયમોના બે બાબતો માટે વિશે માહિતી આપવામાં આવી છે. સૌ પ્રથમ લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયોની ગણતરીમાં પાકતી મુદત સુધી વ્યાજની ચુકવણીનો સમાવેશ કરવામાં આવે છે. આ એડવાન્સ લોનની રકમને અસરકારક રીતે મર્યાદિત કરી શકે છે જેનું વિતરણ કરી શકાય છે.

    જેને ધિરાણકર્તાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. બીજું, 3,000 ડોલરથી વધુની વપરાશ-કેન્દ્રિત લોન અને તમામ આવક-ઉત્પાદક લોન માટે ધિરાણ લેનારાઓના રોકડ પ્રવાહ વિશ્લેષણના આધારે લોન મૂલ્યાંકનની અરજી છે.

    ઋણ લેનારાઓને લાભ

    આ પરિવર્તનને કારણે મધ્યમ આવક ધરાવતાં લોન લેનારાઓને ફાયદો થશે. આ અહેવાલમાં આવક પેદા કરતાં દેવામાં પણ વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી છે.

    રિપોર્ટ અનુસાર, ધિરાણકર્તાઓ ભલે નવા મોડલ્સ સાથે પ્રયોગ કરી રહ્યા હોય, પરંતુ વાસ્તવિક તફાવત એ રહેશે કે તેઓ ઝડપથી અને એકીકૃત રીતે લોનનું વિતરણ કરી શકશે.