Category: All

  • ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં

    ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે(CBSE) ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓને રાહત આપવા માટે મોટી તૈયારી શરુ કરી દીધી છે, બોર્ડ સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) વિષયમાં બે સ્તર એટલે કે બેઝિક અને ઍડ્વાન્સ લાગુ કરવાની યોજના બનાવી રહી છે.


    રિપોર્ટ મુજબ આ ફેરફાર વર્ષ 2026-27માં લાગુ થઈ શકે છે.વિદ્યાર્થીઓ ઇચ્છા મુજબ વિકલ્પ પસંદ કરી શકશે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં અભ્યાસ કરવા ઇચ્છે છે, પરંતુ તેઓ ભવિષ્યમાં ટૅક્નોલૉજી ક્ષેત્રમાં રસ દાખવે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓ હવે આ વિષયોમાં બેઝિક સ્તરે અભ્યાસ કરી શકશે, જ્યારે એન્જિનિયરિંગ, મેડિકલ અથવા રિસર્ચ જેવા ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ઍડ્વાન્સ સ્તરની પસંદગી કરી શકશે.

    વિદ્યાર્થીઓની ઇચ્છા મુજબ અભ્યાસ સીબીએસઈની આ યોજનાનો હેતુ, વિદ્યાર્થીઓ પર અભ્યાસનો બોજો ઓછો કરવા તેમજ વિષયોમાં કેરિયર બનાવવાની યોજના બનાવનારા વિદ્યાર્થીઓએ વિકલ્પ આપવાનો છે.


    એટલે કે હવે કોઈપણ વિદ્યાર્થી કેટલાક કારણો અથવા મજબૂરીના કારણે અઘરો વિષય પસંદગી નહીં કરી શકે. અગાઉ ધોરણ-10માં આવો પ્રયોગ કરાયો હતો આ પહેલા સીબીએસઈએ ધોરણ-10માં આવો પ્રયોગ કર્યો હતો. ધોરણ-10માં મેથ્સમાં સ્ટાર્ડર્ડ અને બેઝિકનો વિકલ્પ તૈયાર કર્યો હતો. વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો હતો કે, જો તેઓ ધોરણ-11-12માં મેથ્સ લેવા ઇચ્છતા નથી, તો તેઓ બેઝિક સ્તર પસંદ કરી શકે છે.


    વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ નિર્ણયનો સકારાત્મર ગણાવ્યો હતો. આ પણ વાંચો : સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત ધોરણ-11માં થશે નવી શરુઆત સીબીએસઈની યોજના છે કે, સૌપ્રથમ ધોરણ-11માં નવો ફેરફાર લાગુ કરવામાં આવે, પરંતુ આ ફેરફાર NCERTના પુસ્તકોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. હાલ એનસીઈઆરટીએ ધોરણ-1થી ધોરણ-7 સુધીના કેટલાક પુસ્તકો પ્રકાશિત કરી દીધા છે અને ધોરણ-9થી ધોરણ-11ના પુસ્તકો આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે.

  • AI બનશે પ્રાણીઓનો અવાજ : મનુષ્યો પ્રાણીઓ સાથે વાતચીત કરી શકશે

    AI બનશે પ્રાણીઓનો અવાજ : મનુષ્યો પ્રાણીઓ સાથે વાતચીત કરી શકશે

    AI  દ્વારા લોકો પ્રાણીઓ સાથે વાત કરતા જોઈ શકાય છે. લંડનમાં એક નવું સંશોધન કેન્દ્ર ખુલી રહ્યું છે. પ્રાણીઓ શું વિચારે છે, શું અનુભવે છે અને માણસો તેમની સાથે કેવી રીતે વધુ સારી રીતે વાત કરી શકે છે તે સમજવા માટે આ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. આ કેન્દ્ર પ્રાણીઓના મન અને લાગણીઓનું સંશોધન કરશે.

    આ સંશોધનમાં નાના જંતુઓથી લઈને સસલા, કૂતરા, બિલાડી, કરચલા, ઓક્ટોપસ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. વિજ્ઞાન, ફિલસૂફી, કાયદો, ડોકટરોનું જ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન અને AI બધું તેમાં ઉમેરવામાં આવશે.

    સંશોધકો એક એવું AI બનાવી રહ્યા છે જે માણસોને તેમના પાલતુ પ્રાણીઓ સાથે વાત કરવામાં મદદ કરશે. પરંતુ આમાં પણ એક જોખમ છે. AI એવો જવાબ આપી શકે છે જે માણસને સારો લાગે, પરંતુ વાસ્તવમાં તે સાચો ન પણ હોય.

    ઉદાહરણ તરીકે, જો કોઈ એપ જૂઠું બોલે કે તમારો કૂતરો અસ્વસ્થતા અનુભવતી વખતે એકલો નથી, તો તે નુકસાન પહોંચાડી શકે છે. વિશ્વભરના NGO સાથે મળીને, સંશોધન, નિયમો અને વ્યવહાર સંહિતા બનાવવામાં આવશે.

    આ AI નો યોગ્ય ઉપયોગ અને પ્રાણીઓની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરશે. પ્રોફેસર ક્રિશ્ચિયન એન્ડ્રુએ કહ્યું કે, જો આપણે પ્રાણીઓના વિચારો અને લાગણીઓને સમજીશું, તો આપણે માનવ મનને પણ વધુ સારી રીતે સમજી શકીશું.

  • ગુજરાત GST એ પણ ‘તોપ’ તાકી: વેપારીઓના UPI પેમેન્ટની વિગતો માંગી

    ગુજરાત GST એ પણ ‘તોપ’ તાકી: વેપારીઓના UPI પેમેન્ટની વિગતો માંગી

    નાના વેપારીઓનું ટર્નઓવર-કમાણી મોટી થતી હોવાનો યુપીઆઈ પેમેન્ટના આધારે ભાંડો ફૂટયા બાદ કર્ણાટકમાં હજારો નાના વેપારીઓને નોટીસની કાર્યવાહીને પગલે ગુજરાત સહિતના રાજયોના જીએસટી વિભાગ એકશનમાં આવ્યા છે નાના વેપારીઓને થયેલા યુપીઆઈ પેમેન્ટની વિગતો કંપનીઓ-એજન્સી પાસેથી મંગાવવાનું શરૂ કર્યું છે અને તેના આધારે નોટીસો ઈસ્યુ થવાની શકયતા છે.

    માહિતગાર સુત્રોએ કહ્યું કે કર્ણાટકમાં જીએસટી વિભાગે નાના વેપારીઓની મોટી કમાણી-ટર્નઓવરની પોલ ખોલવાને પગલે ગુજરાત, ઉતરપ્રદેશ, તામીલનાડુ તથા આંધ્રપ્રદેશ જેવા રાજયોનાં જીએસટી તંત્ર દ્વારા યુપીઆઈ એપ્સ તથા પેમેન્ટ કંપનીઓ પાસેથી નાના વેપારીઓને થયેલા ઓનલાઈન વાર્ષિક પેમેન્ટની વિગતો માંગી છે.

    પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈ પ્રમાણે વાર્ષિક 40 લાખથી વધુનુ (સેવા ક્ષેત્રમાં 20 લાખ) ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. કરવેરાની ઝંઝટથી દુર રહેવા માંગતા નાના વેપારીઓ મોટુ ટર્નઓવર હોવા છતાં રજીસ્ટ્રેશન કરાવતા નથી. પરંતુ ઓનલાઈન પેમેન્ટનાં વધતા ટ્રેન્ડને કારણે આ કારસ્તાન પકડાવા લાગ્યા છે.

    કર્ણાટકમાં જીએસટી વિભાગે યુપીઆઈ પેમેન્ટ કંપનીઓ પાસેથી માહિતી કઢાવીને 14000 નાના વેપારીઓને નોટીસ ફટકારી છે. નોટીસમાં કોઈ ટેકસ ડીમાંડ કરવામાં આવી નથી. માત્ર રજીસ્ટ્રેશન કરાવવાની સુચના છે. આ નોટીસો પછી રાજયનાં વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ લેવાનું બંધ કરીને રોકડના વ્યવહારો જ શરૂ કરી દીધા છે.

    કર્ણાટકમાં વેપારીઓની પોલ છતી થતા ગુજરાત સહિતનાં ચાર રાજયોનાં જીએસટી વિભાગે પણ એકટીસ થઈને યુપીઆઈ પેમેન્ટ કંપનીઓ પાસેથી માહિતી માંગવાની પ્રક્રિયા હાથ ધરી છે.

    વેપારી સુત્રોએ કહ્યુ કે ગુજરાતમાં હજુ જીએસટી વિભાગે નોટીસ કાર્યવાહી કરી નથી પરંતુ આવા એકશન શરૂ થાય તો રાજયનાં વેપારીઓ પણ ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડ વ્યવહાર જ શરૂ કરી શકે છે અને તે સંજોગોમાં પુન: ‘કેશ ઈઝ કિંગ’નો યુગ શરૂ થશે.

    જીએસટી અધિકારીઓએ એવો નિર્દેશ કર્યો હતો કે ધંધો ચા, પાન, બેકરી જેવો નાનો ગણાતો હોવા છતાં ટર્નઓવર નિયત મર્યાદા કરતા વધુ થતુ હોય તો તેવા વેપારીઓને સિસ્ટમમાં સામેલ કરવા જ પડે.ભારતમાં યુપીઆઈ પેમેન્ટનું ચલણ સતત વધી રહ્યું છે.

    દર મહિને 18 અબજ વ્યવહાર થાય છે.તેમાંથી બે-તૃતિયાંશ દુકાનોમાંથી ખરીદી પેટેના હોય છે. યુપીઆઈ વ્યવહાર પર પણ કોઈ જીએસટી નથી સિવાય કે ટર્નઓવર 40 લાખથી વધુ થાય. બ્રેડ જેવી ચીજોમાં ટેકસ નથી પરંતુ પેકીંગમાં વેચાતા નાસતા જેવી ચીજો પર ટેકસ લાગતો હોય છે.

  • NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા

    NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા

    UPI દ્વારા દરેકનું કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. UPI જ્યારથી આવ્યું છે ત્યારથી ખિસ્સામાં પૈસા રાખવાની ઝંઝટથી છૂટકારો મળી ગયો છે. તેમ જ છૂટા પૈસા ન હોય ત્યારે દુકાનદાર એની જગ્યાએ ચોકલેટ આપી દેતો હતો એ દિવસ હવે ગયા. આજે હવે ખિસામાંથી ફોન કાઢ્યો કે કોડ સ્કેન કરતાં જ પેમેન્ટ થઈ જશે.

    એના બદલામાં યૂઝર્સને અમિતાભ બચ્ચન તરફથી આભાર પણ મળે છે. જોકે ઘણી વાર એવું પણ થાય છે કે પેમેન્ટ અટકી જાય છે. પેમેન્ટ પેન્ડિંગ આવે છે. પેમેન્ટ થયું કે નથી થયું એની ખબર નથી પડતી. યૂઝરના ખાતામાંથી પૈસા તો કપાઈ જાય છે, પરંતુ સામેની વ્યક્તિના ખાતાં પૈસા જમા નથી થતાં. જોકે આ પૈસા રિફંડ તો મળી જાય છે, પરંતુ ટાઈમ લાગે છે.

    જોકે હવે એવું નહીં થાય કારણ કે UPI પર નજર રાખનારી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. એને UPI ચાર્જબેક અથવા તો ગુડ ફેઇથ નેગેટિવ ચાર્જબેક કહી શકાય છે. આ નિયમની મદદથી યૂઝર્સની મોટાભાગની તકલીફ દૂર થઈ જશે.

    યૂઝરે પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય અને ખાતામાંથી કપાઈ ગયા હોય અને સામેની વ્યક્તિમાં એ જમા ન થયા હોય તો એ માટે યૂઝર કસ્ટમર કેરથી લઈને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા સુધી કોઈની પણ પાસે મદદ માગી શકે છે. યૂઝરને મદદ કરવામાં પણ આવે છે અને પૈસા મળી પણ જાય છે, પરંતુ એ પ્રોસેસમાં ટાઈમ લાગે છે.

    NPCI જ્યારે બેન્ક સાથે વાતચીત કરે છે ત્યાર બાદ બેન્ક કામ શરૂ કરે છે. આ પ્રોસેસને હવે વધુ સરળ કરી નાખવામાં આવી છે. આ પ્રોસેસથી બેન્ક હવે પોતે જ UPI રિફંડની પ્રોસેસ શરૂ કરી શકે છે. આ માટે NPCI ની મંજૂરી લેવાની જરૂર નથી. પૈસા રિફંડ કરવાની પ્રોસેસ જૂની રીત પ્રમાણે UPI રેફરન્સ કોમ્પ્લેઈન્ટ સિસ્ટમ પાસેથી જઈને બેન્ક પાસે પહોંચે છે.

    જોકે આ સિસ્ટમની મદદથી હવે NPCI ની મંજૂરી લેવાની જરૂરી ન હોવાથી બેન્ક પોતે કામ શરૂ કરે છે અને એથી જ સમય ઓછો થઈ જાય છે. બેન્કને જ્યારે લાગે છે કે મોબાઇલનું નેટવર્ક ખરાબ હતું અથવા તો બેન્કનું સર્વર ડાઉન હતું કે અન્ય કોઈ કારણસર પૈસા ટ્રાન્સફર નથી થયા તો બેન્ક એ માટે પોતે જ પ્રોસેસ શરૂ કરી દેશે. એથી પૈસા રિફંડ થવાનો સમય બહુ ઓછો થઈ જશે.

    NPCI દ્વારા આ અપડેટ વિશે 20 જૂને જાહેરાત કરી હતી. જોકે હવે એને હવે લાગૂ પણ કરી દીધું છે. NPCI દ્વારા એને રિમિટિંગ બેન્ક રેઇઝિંગ ગુડ ફેઇથ નેગેટિવ ચાર્જબેક નામ આપવામાં આવ્યું છે. એનો મતલબ સાફ શબ્દોમાં એ થાય છે કે યૂઝર પર ભરોશે છે કે તેમણે કોઈ ગરબડ નથી કરી અને અન્ય કારણસર ખામી આવી હોવાથી તેઓ આ ભૂલને સુધારી રહ્યા છે.

  • ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો

    ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો

    ગુજરાતમાં આગામી 24 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, હવામાન વિભાગે આજે રવિવારે (20 જુલાઈ) સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે 98 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળ 3.54 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.

    3 જિલ્લામાં રેડ ઍલર્ટ: હવામાન વિભાગના Nowcast મુજબ, આજે રવિવારે સાંજે 4 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

    આજે 98 તાલુકામાં વરસાદ: રાજ્યમાં આજે (20 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં 2.8 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.38 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 1.26 ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 1.22-1.22 ઇંચ, જામનગરના જામજોધપુર, મોરબીના ટંકારા અને જૂનાગઢના વંથલીમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

    જ્યારે જૂનાગઢના મેંદરડા, પાટણના સરસ્વતી, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથ પાટણ-વેરાવળ, જામનગરના ધ્રોલ, જૂનાગઢના માણાવદર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢના માળિયા હાટીના, રાજકોટના જામકંડોરાણા સહિતના 79 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

  • વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન

    વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન

    ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના નવા અહેવાલ ‘રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી’ અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ UPI આજે ભારતમાં નાણાકીય વ્યવહાર કરવામાં સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બન્યું છે.

    યુપીઆઈ દ્વારા મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી ગણતરીની સેકન્ડમાં  પેમેન્ટ થઈ રહ્યા છે.

    દરમહિને 18 અબજનું ટ્રાન્ઝેક્શન: આજે ભારતમાં દરમહિને  18 અબજથી વધુ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જૂન 2025માં યુપીઆઈએ 18.39 અબજના ટ્રાન્ઝેક્શન દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો 13.88 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જે છેલ્લા એક વર્ષમાં લગભગ 32%નો વધારો દર્શાવે છે.

    49.1 કરોડ લોકો યુપીઆઈ યુઝર્સ: આજે દેશભરમાં 49.1 કરોડ લોકો 65 લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. 675 બેન્કો UPI  સેવા પૂરી પાડે છે. જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેન્કમાંથી કોઈપણ ખાતામાં ઝડપથી ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. જેમાં બેન્ક ખાતું ચેક કરવાની જરૂર પડતી નથી. ભારતમાં તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી 85 ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઈ મારફત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 50 ટકા રિઅલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ ફક્ત ભારતના યુપીઆઈ દ્વારા થાય છે.

    વિશ્વના સાત દેશોમાં યુપીઆઈ સેવા: યુપીઆઈ હવે ભારત પૂરતું મર્યાદિત નથી. આ સેવા સાત દેશોમાં શરૂ થઈ છે. જેમાં UAE, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ સામેલ છે. ફ્રાન્સમાં પણ UPI સેવા શરૂ કરવી એ ભારત માટે એક મોટું પગલું છે, કારણ કે તે યુરોપમાં UPIની પહેલી એન્ટ્રી છે.

    હવે ત્યાં રહેતા ભારતીયો કોઈપણ વિદેશી ટ્રાન્ઝેક્શનની ઝંઝટમાં પડ્યા વિના સરળતાથી ચુકવણી કરી શકે છે. પીઆઈબી અનુસાર, ભારત ઇચ્છે છે કે UPI ને BRICS દેશોની એક સામાન્ય ડિજિટલ ચુકવણી પ્રણાલી બનાવવામાં આવે. જો આવું થાય, તો તે વિદેશથી પૈસા મોકલવાનું સરળ બનાવશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને ભારતના ડિજિટલ નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.

    જન ધનથી શરૂ થઈ હતી યુપીઆઈ સેવા: UPI ની આ સફળતાનો પાયો વર્ષો પહેલાં જન ધન યોજના સાથે નાખવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ, જુલાઈ 2025 સુધી 55.83 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનાએ પહેલીવાર કરોડો લોકોને બેન્કિંગ સુવિધાઓ આપી, સરકારી યોજનાઓના પૈસા સીધા ખાતામાં આવવા લાગ્યા અને લોકોને સુરક્ષિત બચતનો વિકલ્પ મળ્યો.

  • મોરબીમાં ધોધમાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી: ભારે ગરમી બાદ મેઘરાજાની કૃપા વરસી

    મોરબીમાં ધોધમાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી: ભારે ગરમી બાદ મેઘરાજાની કૃપા વરસી

    મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે લાંબા સમય પછી મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી.

    આજે વહેલી સવારે ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક આકાશમાં ઘનઘોર કાળા વાદળો છવાતા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી ક્ષણોમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

    મેઘરાજાએ જ્યારે એન્ટ્રી લીધી ત્યારે શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને ઘણા માર્ગો નદી સમાન વહેતા જોવા મળ્યા હતા.

    શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

    મોરબીમાં ઘણા દિવસોથી વરસાદ ન હોવાથી ઉનાળા જેવી પરિસ્થિતિ હતી, પણ આજે પવનની સાથે વરસેલા ઝમઝમતા વરસાદે શહેરમાં ઠંડકનો ચમકારો ફેલાવી દીધો છે.

  • મરાઠી ભાષા વિવાદ પર સી.આર.પાટીલે કહ્યું- ગુજરાતના લોકો સંકુચિત માનસિકતાવાળા નથી

    મરાઠી ભાષા વિવાદ પર સી.આર.પાટીલે કહ્યું- ગુજરાતના લોકો સંકુચિત માનસિકતાવાળા નથી

    કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલે નવભારત ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વિશે વાત કરી હતી.

    મહારાષ્ટ્રમાં હિંદીને લઇને ચાલી રહેલા વિવાદમાં સી આર પાટીલે કહ્યુ કે, બંને ભાઇઓ પાસે હવે કોઇ વિષય બચ્યો નથી. તેમની પાસે ડેવલપમેન્ટનું કોઇ કામ પણ બચ્યું નથી. ગુજરાતમાં લાખો-કરોડો લોકો વસે છે, પરંતુ આવા વિષય પર ક્યારેય ચર્ચા થતી નથી. દેશભરના રાજ્યોમાંથી લોકો ગુજરાત આવીને વસેલા છે.

    આજના સમયમાં લોકો આવા વિષય પર મતદાન કરતા નથી. લોકો એલર્ટ થઇ ગયા છે અને ભાષા કે પ્રાંતના નામ પર તેમને વિભાજીત કરી શકાતા નથી. ગુજરાતના લોકો સંકુચિત માનસિકતા વાળા નથી.

  • મોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો

    મોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો

    પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે… પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે અધિકારીઓ સામે પગલા લેવાનુ શરૂ કર્યુ છે.

    તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાને મળવા પાત્ર વાર્ષિક ઇજાફો ત્રણ વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મૂજબ હાઇકોર્ટમાં સરકારે મોરબી પુલ દુર્ઘટના બાદ અધિકારી સામે કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો છે.

    ગુજરાત સિવિલ સર્વિસ રૂલ 1971 મુજબ તાત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલા સામે પગલા લેવામાં આવ્યા છે.જે અંતર્ગત હાલમાં મળવાપાત્ર પગાર ધોરણમાં વાર્ષિક ઇજાફો ત્રણ વર્ષ માટે રોકી દેવામાં આવ્યો છે.

    આગામી ત્રણ વર્ષ દરમિયાન તેમને મળતો વાર્ષિક ઇજાફો અટકાવીને સરકારે ૠઙજઈ ને જાણ પર કરી દીધી છે.રાજય સરકાર વતી શહેરી વિકાસ વિભાગ દ્વારા સોગંદનામુ કરી હાઇકોર્ટમાં જાણ કરાઇ છે.મોરબી દુર્ઘટના બાદ સંભવત: રાજકોટ ઝછઙ કાંડ મૂદે પણ સરકાર આકરી કાર્યવાહી કરીને હાઇકોર્ટમાં સોગંદનામુ કરશે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

  • iPhoneના ઉત્પાદનમાં ભારતે ચીનને પછાડયું

    iPhoneના ઉત્પાદનમાં ભારતે ચીનને પછાડયું

    છ મહિનામાં 2.39 કરોડ આઈફોન બનાવ્યા, 33 લાખ અમેરિકા એકસપોર્ટ થયા APPLE કંપનીએ ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.માર્કેટ રિસર્ચર… છ મહિનામાં 2.39 કરોડ આઈફોન બનાવ્યા, 33 લાખ અમેરિકા એકસપોર્ટ થયા APPLE કંપનીએ ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

    માર્કેટ રિસર્ચર કેનાલિસના અહેવાલ મુજબ, વર્ષ 2025માં જાન્યુઆરીથી જૂન મહિનાના સમયગાળા દરમિયાન ભારતમાં 2.39 કરોડ (23.9 મિલિયન) iPhoneનું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષની સમાન અવધિ (1.50 કરોડ યુનિટ)ની સરખામણીમાં આશ્ચર્યજનક 52% જેટલો જંગી વધારો દર્શાવે છે.

    આ વૃદ્ધિ અમેરિકી ટેરિફના ભય અને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ છતાં જોવા મળી છે, જે ભારતમાં આાહયના વધતા વિશ્વાસનું પ્રતિક છે.રિસર્ચ ફર્મ સાયબરમીડિયા રિસર્ચ અનુસાર, ભારતમાં બનેલા iPhoneની નિકાસ (ભારતથી વિદેશ મોકલાયેલા iPhone) પણ વધીને 2.28 કરોડ (22.88 મિલિયન) યુનિટ સુધી પહોંચી ગઈ છે.

    આ આંકડો ગત વર્ષની સમાન અવધિની 1.50 કરોડ યુનિટની નિકાસ કરતાં ઘણો વધારે છે.આર્થિક દ્રષ્ટિએ, 2025ના પ્રથમ છ માસિકમાં ભારતમાંથી લગભગ 1.94 લાખ કરોડ રૂૂપિયાના આઈફોનની નિકાસ કરવામાં આવી છે, જે ગત વર્ષના 1.26 લાખ કરોડ રૂૂપિયાના આંકડા કરતાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે.

    ખાસ કરીને, અમેરિકામાં નિકાસના મામલે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે.2025ના એપ્રિલ મહિનામાં ભારતમાંથી અમેરિકાને 33 લાખ iPhone મોકલવામાં આવ્યા, જ્યારે ચીનથી મોકલાયેલા મોબાઈલની સંખ્યા 9 લાખ રહી. ભારતમાં ઉત્પાદિત iPhoneમાંથી 78% સીધા અમેરિકા મોકલવામાં આવ્યા, જે ગત વર્ષના 53%ના આંકડા કરતાં ઘણો વધુ છે.

    ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનું સુરસુરીયું થયું અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 23 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આાહયને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો આાહય અમેરિકામાં વેચાતા આઈફોનનું ઉત્પાદન ભારત કે અન્ય કોઈ દેશમાં કરશે, તો કંપની પર ઓછામાં ઓછો 25%નો ટેરિફ લગાવવામાં આવશે.

    ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કુકને પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમેરિકામાં વેચાતા આઈફોનનું નિર્માણ અમેરિકામાં જ થવું જોઈએ, અન્ય કોઈ જગ્યાએ નહીં. તેમણે 15 મેના રોજ કતારની રાજધાની દોહામાં એક બિઝનેસ લીડર્સના કાર્યક્રમમાં ટિમ કુક સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, ટિમ, તું મારો મિત્ર છે, તું 500 બિલિયન ડોલર લઈને આવે છે, પણ હવે હું સાંભળું છું કે તું આખા ભારતમાં પ્રોડક્શન કરી રહ્યો છે.

    હું નથી ઇચ્છતો કે તું ભારતમાં પ્રોડક્શન કર. ઇન્ડિયા પોતાનું ધ્યાન રાખી શકે છે.આ ધમકીઓ છતાં આાહય ભારતમાં પોતાનું ઉત્પાદન વધારી રહ્યું છે પરંતુ તેની ધમકીઓનું સુરસુરીયું થયુ છે.