Category: All

  • ગુજરાતમાં 16 વર્ષ બાદ આવશે નવી ટાઉનશીપ પોલિસી, સરકાર કરી રહી છે જોરદાર તૈયારી

    ગુજરાતમાં 16 વર્ષ બાદ આવશે નવી ટાઉનશીપ પોલિસી, સરકાર કરી રહી છે જોરદાર તૈયારી

    ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે રાજ્યમાં ટાઉનશીપ વિકાસ માટે નવી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે છેલ્લે 2009માં ટાઉનશીપ પોલિસી અમલમાં મૂકી હતી, પરંતુ તેમાં અનેક ખામીઓ રહી હતી જેના કારણે તેની લોકપ્રિયતા ઘટી ગઈ હતી અને ઘણાં વિકાસકર્તાઓએ તેમાં રુચિ લીધી નહોતી. હવે રાજ્ય સરકારે આ અગાઉની પોલિસીમાંથી મળેલા પાઠના આધારે વધુ વ્યાવહારિક અને વિકસિત દૃષ્ટિકોણ સાથે નવી પોલિસી તૈયાર કરવાનું નક્કી કર્યું છે.

    રાજ્યના શહેરી વિકાસ વિભાગના સૂત્રો જણાવે છે કે નવી પોલિસી ખાસ કરીને શહેરોમાં સંગઠિત અને સસ્તા આવાસોના વિકાસને પ્રોત્સાહન આપશે. રાજ્યમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણને ધ્યાનમાં રાખી આગામી 20 વર્ષના શહેરી માળખાકીય વિકાસ માટે વ્યાપક નીતિ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

    નવી પોલિસી હેઠળ ડેવલપર્સને વધુ પ્રોત્સાહનો આપવા પર વિચાર થઈ રહ્યો છે જેમ કે વધારાનો FSI, વિવિધ પ્રકારના ટેક્સ અને ફીમાં છૂટછાટ, તેમજ જમીન કપાતના નિયમોમાં શિથિલતા. 2009ની નીતિમાં ડેવલપરોને ઓછામાં ઓછી 40 હેક્ટર જમીન મેળવવાની શરત હતી, જ્યારે શહેરોના પ્રાથમિક વિસ્તારોમાં 20 હેક્ટર જમીન જરૂરિયાત હતી. ઉપરાંત 60 ટકા જમીન રહેણાંક હેતુ માટે અને બાકીની 40 ટકા જાહેર હેતુ માટે ફાળવવાની હતી. આ બધી શરતો વિકસકોએ અમલમાં મૂકી શકી નહોતી તેથી પોલીસી લોકપ્રિય થઈ નહીં.   

    નવી નીતિ તૈયાર કરતાં પહેલા શહેરી વિકાસ વિભાગે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને વિકાસકર્તાઓ સાથે બેઠક કરી છે અને તેમની સૂચનાઓ મેળવી છે. સત્તાવાર સૂત્રો કહે છે કે ટાઉનશીપ વિકાસ દરમ્યાન વિકાસકર્તાઓને બહુ જ ખર્ચ કરવો પડે છે — ખાસ કરીને રસ્તા, ડ્રેનેજ, પાણી જેવી આધારભૂત સુવિધાઓ માટે તેથી આ બોજો ઘટાડવા સરકાર હવે જમીન કપાતમાં છૂટછાટ આપે તેવી શક્યતા છે.

    સરકાર મોટા પાયે ટાઉનશીપ માટે ભવિષ્યમાં વિકાસકર્તાઓને સરકારી જમીનના પાર્સલ પણ આપી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર નવી પોલિસીમાં સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી અને મ્યુનિસિપલ ટેક્સમાં પણ રાહત આપવા માટે વિચારણા કરી રહી છે.

    નવી ટાઉનશીપ પોલિસી રાજ્યના આવાસ ક્ષેત્રમાં નવા વિઝન સાથે સુધાર લાવશે તેવો આશાવાદ સરકાર પાસે છે. આગામી સમયમાં પોલીસીનો ડ્રાફ્ટ જાહેર કરીને Stakeholders પાસેથી પણ પ્રતિસાદ માંગવામાં આવશે.

  • મોરબી જિલ્લામાં ૧૬૦ જેટલા અધિકારીઓને ગ્રામડાઓમાં આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ – વનીકરણની જવાબદારીઓ સોપાઇ

    મોરબી જિલ્લામાં ૧૬૦ જેટલા અધિકારીઓને ગ્રામડાઓમાં આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ – વનીકરણની જવાબદારીઓ સોપાઇ

    મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર  કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા પ્રયાસ થઇ રહયા છે. મનરેગા યોજના અન્વયે વનીકરણ થાય તેવી કામગીરી થઇ રહી છે.

    આ ઝુંબેશના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ અને  અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારી  પારૂલ આડેસરાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા.

    લખધીરગઢ ગામના બગીચામાં ૩૦ વૃક્ષો અને સ્મશનામાં ૨૦ વૃક્ષો મળી કુલ ૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. આ તકે સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા, તલાટી સરલાબેન ભાગિયા, સરપંચ મનોજભાઇ વ્યાસ, આગેવાન અમરશીભાઇ ભાગિયા, કેમેરામેન પ્રવીણભાઇ સનાળિયા, જયેશભાઇ વ્યાસ વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતનના શપથ લીધા હતા. ટંકારાની નર્સરીમાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર  કે.એમ. જાની દ્વારા રોપાઓનું વિતરણ થયુ હતું.

    અમરાપર ગામમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર કબ્રસ્તાન અને સ્મશાન ખાતે કરવામાં આવ્યુ હતુ. આ તકે સરપંચ  દિનશાનાબાનુ બાદી, ઉપસરપંચ  હિતેશભાઇ મકવાણા, તલાટી વિશાલ સેરસિયા વગેરે ઉપસ્થિત રહયા હતા. રાજાવડ ગામે વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારંભ કરાશે. જેમાં ગામના આગેવાન ધર્મેન્દ્રભાઇ ભટાસણા, હિરાભાઇ વાલજીભાઇ, તલાટી અંબારામ દેત્રોજા જહેમત ઉઠાવી રહયા છે.­­

  • મોરબી શહેરમાં ઇમરજન્સી અલર્ટ માટે સાઇરન અને પીએ સિસ્ટમનું સ્થાપન

    મોરબી શહેરમાં ઇમરજન્સી અલર્ટ માટે સાઇરન અને પીએ સિસ્ટમનું સ્થાપન

    મોરબી શહેરના નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૧ ક્લસ્ટરો માટે સાઇરન અને પીએ સિસ્ટમ (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) ની ફાળવણી કરવામાં આવી છે.

    ક્લસ્ટર નં. ૦૧ નાની વાવડી, ૦૨ અમરેલી, ૦૩ મહેન્દ્રનગર, ૦૪ ભડિયાદ, ૦૯ શક્ત શનાળા, ૧૦ રવાપર તેમજ પંચાસર રોડ પર આવેલ પમ્પિંગ સ્ટેશન ખાતે સિરેનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તમામ ૧૧ ક્લસ્ટરોમાં પીએ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.

    આ સાઇરન અને પીએ સિસ્ટમનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે માટે મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા દરેક ક્લસ્ટરના નોડલ અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.

    આ પ્રણાલીની મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક ચેતવણી આપવી છે. અણધારી આપત્તિ, નાની કે મોટી દુર્ઘટના, જાનહાની કે અન્ય ગંભીર પરિસ્થિતિમાં સાઇરન વાગાડીને નાગરિકોને તકેદારી રાખવા માટે જાણ કરવામાં આવશે, જેથી નુકસાન ઘટાડીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

    નાગરિકો કોઈ પણ આપત્તિની પરિસ્થિતિમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સંપર્ક નીચેના નંબર પર કરી શકે છે: 02822 230050, 101 (એમરજન્સી હેલ્પલાઇન)

  • મેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં જનરેટ કરી શકશે

    મેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં જનરેટ કરી શકશે

    મેટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ભારતમાં ઇમેજિન મી ફીચર લોન્ચ કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ ફીચર અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે અને હવે ભારતમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી ભારતીય યુઝર્સ હવે તેમના પોતાના ફોટોને અલગ-અલગ રીતે જનરેટ કરી શકશે. આ ફીચર મેટા AIની અંદર જોવા મળશે. એટલે કે મેટા કંપનીના દરેક પ્લેટફોર્મ પર આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ દરેક યુઝર્સ ફ્રીમાં કરી શકશે.

    યુઝર્સ પોતાને ઇચ્છે એ સ્ટાઇલમાં જોઈ શકશે

    મેટા દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે ઇમેજિન મી ફીચરને હવે ભારતમાં પણ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર સૌથી પહેલાં 2024ની જુલાઈમાં અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તેને લોન્ચ થયાના એક વર્ષ બાદ હવે તેને ભારતમાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

    કેવી રીતે કામ કરે છે આ ફીચર?

    ઇમેજિન મી યુઝરના ચહેરાને એનાલાઈઝ કરે છે. ત્યાર બાદ એ ડેટાને યુઝરના કમાન્ડ અનુસાર ઉપયોગ કરે છે. યુઝરે જે ફોટો અથવા તો દૃશ્યને ઇમેજિન કર્યું હોય એ જ રીતે મેટા યુઝરને તેનો ફોટો તૈયાર કરીને આપી દેશે. ઉદાહરણ તરીકે યુઝર પોતાને F1 રેસર જેવો જોવા માગે તો મેટા એ રીતે તેને તૈયાર કરીને દેખાડશે. આથી યુઝર પોતાના ચહેરાને જે-તે કમાન્ડ રૂપના ફોટોમાં જોઈ શકશે.

    ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકમાં પણ કરી શકશે ઉપયોગ

    આ ફીચરને મેટાની દરેક એપ્લિકેશન એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડમાં શરૂ થઈ ગયું છે અને બહુ જલદી તેને એપલની ડિવાઇસમાં પણ શરૂ કરવામાં આવશે. એપલમાં ક્યારે થશે એ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ ઇમેજિન મી કમાન્ડ માટે આ ફીચર જલદી રજૂ કરવામાં આવશે એવો મેસેજ આવે છે.

    ફીચર માટે આપવી પડશે પરવાનગી

    મેટા દ્વારા આ માટે પરવાનગી માગવામાં આવી રહી છે. યુઝરના ફોટોને એનાલાઇઝ કરવા માટે મેટા પાસે યુઝરની પરવાનગી માગવામાં આવી રહી છે. એક વાર આ પરવાનગી આપી દેવામાં આવી ત્યાર બાદ ચેટ ઇન્ટરફેસમાં યુઝરને લઈ જવામાં આવશે. ત્યાર બાદ એમાં ‘Imagine me’ લખી કમાન્ડ આપવાનો રહેશે. આ કમાન્ડ આપ્યા બાદ યુઝર પોતાને કેવી રીતે જોવા માગે છે એ લખવાનું રહેશે. મેટાએ જણાવ્યા અનુસાર ચંદ્રની ઉપર હોય કે પછી ફ્યુચરિસ્ટિક ફેશન કેમ ન હોય દરેક સ્ટાઇલમાં યુઝર પોતાને જોઈ શકશે.

    ફીચર માટે આપવી પડશે પરવાનગી

    મેટા દ્વારા આ માટે પરવાનગી માગવામાં આવી રહી છે. યુઝરના ફોટોને એનાલાઇઝ કરવા માટે મેટા પાસે યુઝરની પરવાનગી માગવામાં આવી રહી છે. એક વાર આ પરવાનગી આપી દેવામાં આવી ત્યાર બાદ ચેટ ઇન્ટરફેસમાં યુઝરને લઈ જવામાં આવશે. ત્યાર બાદ એમાં ‘Imagine me’ લખી કમાન્ડ આપવાનો રહેશે. આ કમાન્ડ આપ્યા બાદ યુઝર પોતાને કેવી રીતે જોવા માગે છે એ લખવાનું રહેશે. મેટાએ જણાવ્યા અનુસાર ચંદ્રની ઉપર હોય કે પછી ફ્યુચરિસ્ટિક ફેશન કેમ ન હોય દરેક સ્ટાઇલમાં યુઝર પોતાને જોઈ શકશે.

    એક જ ચહેરાને કરી શકશે એનાલાઇઝ

    મેટા દ્વારા આ ફીચર ફક્ત પોતાના માટે બનાવવામાં આવ્યું હોવાથી મેટા AI ફક્ત એક જ વ્યક્તિનો ફોટો એનાલાઈઝ કરી શકશે. જો યુઝરે સૌથી પહેલાં અન્ય વ્યક્તિનો ફોટો એનાલાઈઝ કરવા માટે આપ્યો તો ત્યાર બાદ એ પોતાનો ફોટો એનાલાઈઝ નહીં કરાવી શકે. આથી જે-તે વ્યક્તિએ પોતાનો જ ફોટો અપલોડ કરવાનો રહેશે જેથી અન્ય કોઈ વ્યક્તિ બીજાનો ફોટો જનરેટ નહીં કરી શકે. આ સાથે જ મેટાએ આ ફોટોને રિયાલિસ્ટિક બનાવવાનું ટાળ્યું છે જેથી AIથી બનાવવામાં આવ્યો હોવાનું ખબર પડી શકે.

  • વરસાદી ગતિવિધી હજુ નબળી જ રહેશે : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી આગાહી

    વરસાદી ગતિવિધી હજુ નબળી જ રહેશે : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી આગાહી

    સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાની ગતિવિધી ધીમી પડી છે અને હજુ એકાદ સપ્તાહ સુધી નબળી જ રહેવાની તથા અમુક દિવસોમાં માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

    તેઓએ આજે તા17 થી જુલાઈની 24 મી તારીખ સુધીમાં આગાહીમાં કહ્યું કે, આ દિવસો દરમ્યાન ચોમાસું ગતિવિધી સામાન્ય રીતે નબળી જ રહેવાની સંભાવના છે. કેટલાંક દિવસોમાં 5 થી 20 મીમી સુધીનાં છુટાછવાયા ઝાપટા કે હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે અને અમુક એકલદોકલ ભાગોમાં દોઢ ઈંચ (35 મીમી) સુધી

    વરસાદ થવાની સંભાવના છે એકંદરે સમગ્ર સમયગાળામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે. હવામાનનાં પ્રવર્તમાન પરિબળો વિશે તેઓએ કહ્યું કે મોનસુન ટ્રફ સક્રિય છે અને દરિયાકાંઠાની નજીકના સામાન્ય સ્થાન આસપાસ છે.

    આ સિવાય ઉતર પશ્ચિમ રાજસ્થાન પરનુ મજબુત લો-પ્રેસર ધીમે ધીમે ઉતર-ઉતર પશ્ચિમ તરફ ખસીને મધ્ય પાકિસ્તાન તથા ઉતર પશ્ચિમ રાજસ્થાનમાં કેન્દ્રીત થઈને નબળુ પડયુ હતું. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બિહાર તથા લાગુ પૂર્વ ઉતર પ્રદેશ પર હોલમાર્ક લોપ્રેસર હતું.

    તે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ ખસીને ડીપ્રેસનમાં રૂપાંતરીત થયુ હતું અને આજે સવારે પ્રયાગરાજ નજીક કેન્દ્રીત હતું. કલાકનાં ત્રણ કીમીની ઝડપે પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં ખસ્યુ હતું.

    આવતા બે દિવસ દરમ્યાન તે દક્ષિણ ઉતર પ્રદેશ તથા લાગુ ઉતર મધ્યપ્રદેશ તરફ પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. અપર એર સાયકલોનીક સરકયુલેશન ક્ષેત્ર મંડળનાં નીચલા લેવલે પાકિસ્તાનનાં મધ્યભાગ પર સક્રિય છે.

  • મોરબીના ગ્રીનચોક પર રીડિંગ લાઈબ્રેરી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઈ

    મોરબીના ગ્રીનચોક પર રીડિંગ લાઈબ્રેરી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઈ

    મોરબીના ગ્રીનચોક ઉપર વર્ષો પહેલા જ્યાં લાઇબ્રેરી હતી ત્યાં ફરી પાછી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રીડિંગ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ત્યાં યુપીએસસી અને જીપીએસસી સહિતની પરીક્ષાઓ માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.

    મોરબીમાં વર્ષો પહેલા ગ્રીનચોકની ઉપરના ભાગમાં લાઇબ્રેરી હતી પરંતુ ભૂકંપ આવ્યા બાદ તે બંધ થઈ હતી અને ત્યારબાદ થોડા સમય માટે આ લાઇબ્રેરી શરૂ થઈ હતી જોકે, ત્યાર પછી આ લાઇબ્રેરી બંધ થઈ ગયેલ હતી અને ત્યાં જે પુસ્તકો હતા તે પુસ્તકોને અન્ય લાઈબ્રેરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા મોરબીની એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

    તેના ભાગરૂપે મોરબીના ગ્રીનચોકમાં જે લાઇબ્રેરી ઉપરના ભાગે ચાલુ હતી તે લાઇબ્રેરીને આજે રીડિંગ લાઇબ્રેરી તરીકે પુન: ખુલ્લી મૂકવામાં આવેલ છે અને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા તે લાઇબ્રેરીને ખુલ્લી મુકવામાં આવી હતી.

    અને તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ લાઇબ્રેરીમાં યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મ પરિક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટેના જરૂરી પુસ્તકો આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને વાંચન માટે જે પ્રકારના વાતાવરણની જરૂર હોય છે તે પ્રકારનું વાતાવરણ અહિયાં તેઓને મળી રહેશે. જેથી મોરબીના વધુમાં વધુ લોકો દ્વારા આ લાઇબ્રેરીનો લાભ લેવામાં આવે તેવી કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

  • મોરબી: જોધપર (નદી) પાસે મચ્છુ નદી પરના બ્રિજનું સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ નિરીક્ષણ કર્યુ

    મોરબી: જોધપર (નદી) પાસે મચ્છુ નદી પરના બ્રિજનું સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ નિરીક્ષણ કર્યુ

    ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે.

    ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળીયા થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર  દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું.

    વર્ષ ૨૦૧૪ માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સિરામીક ઉદ્યોગો, પેપર મીલના વિવિધ ઉદ્યોગો તથા આસપાસના ગામને જોડતા આ રસ્તા પરનો આ બ્રિજ અતિ મહત્વનો છે. આ રસ્તા પર વિશેષ પ્રમાણમાં વાહન વ્યવહાર રહેતો હોવાથી વાહન વ્યવહારની સુરક્ષા મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર એ પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.

  • લખધીરગઢ ખાતે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ અપાઈ

    લખધીરગઢ ખાતે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ અપાઈ

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

    આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર  મયુરભાઈ સોલંકી દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ  રાજદીપભાઈ પરમાર દ્વારા વિધાર્થિનીઓને  સેલ્ફ ડિફેન્સ અંગે વિવિધ ટેકનિક અને દાવોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

    દીકરીઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષા અંગે નવી જાગૃતિ આવે અને દીકરીઓ પોતે સશક્ત બને તેવા હેતુ સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ , શાળાના આચાર્ય  અને શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

  • મોરબી મહાનગરપાલિકાની હદમાં આવતા નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રિમિંગ કરાયું

    મોરબી મહાનગરપાલિકાની હદમાં આવતા નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રિમિંગ કરાયું

    મોરબીને હરિયાળું બનાવવા વૃક્ષારોપણનો પણ સંકલ્પ

    મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મહાનગરપાલિકા હદ હેઠળના વિવિધ વિસ્તારોમાં આવેલ મુખ્ય રસ્તાઓ તથા શેરીઓ પર નડતરરૂપ વૃક્ષો તથા તેમની ડાળીઓનું અનુકૂળ રીતે ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. આ પગલાંથી જાહેર જનતાને માર્ગવ્યવહાર દરમિયાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી છે અને પરિવહન વ્યવસ્થામાં પણ સહુલિયત થઈ છે.

    આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને જરૂર જણાય ત્યા બીજા વિસ્તારોમાં પણ નડતરરૂપ વૃક્ષોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે, મહાનગરના મહત્વના રસ્તાઓ જેમ કે અરૂણોદય રોડ તથા પંચાસર રોડ પર જરૂરિયાત મુજબ વૃક્ષો તથા છોડાઓનું વાવેતર કરીને વૃક્ષારોપણ કરવામાં આવશે.

    આ કાર્યક્રમથી મોરબીના હરિયાળાપનામાં વધારો થવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને રાત્રિના સમયમાં પ્રકાશ અને સુરક્ષા અંગે જનતાને ઉપયોગી નિવડશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ જ મહાનગરપાલિકા દ્વારા હરિયાળું મોરબી માટે વિશિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જનતાના આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ ભવિષ્યમાં પણ આવા અનેક વિસ્તૃત પ્રયાસો હાથ ધરવામાં આવશે.

  • મોરબી સહિત રાજયની નવ નવી મહાપાલિકાના સીમાંકન જાહેર : ગ્રામીણ વિસ્તારો ભેળવાયા

    મોરબી સહિત રાજયની નવ નવી મહાપાલિકાના સીમાંકન જાહેર : ગ્રામીણ વિસ્તારો ભેળવાયા

    ગુજરાતમાં નવી રચાયેલી મોરબી સહિત નવ મહાનગરપાલિકાના નવા સીમાંકન જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેમાં રાજય સરકારે આસપાસના ગ્રામીણ ક્ષેત્રને પણ જોડી દીધા છે તથા આ તમામ નવ મહાનગરપાલિકાઓમાં આગામી નવેમ્બર-ડિસેમ્બર બાદ ચુંટણીઓ યોજાય તેવા સંકેત છે.

    આજે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ મોરબી, નડીયાદ, નવસારી, પોરબંદર, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા તથા આણંદમાં નવા સીમાંકન મુજબ હવે નગરપાલિકાને બદલે મહાનગરપાલિકા તરીકે તેમને અગાઉ આપવામાં આવેલ સ્ટેટસ મુજબ મોરબી સહિત દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડની રચના કરવામાં આવી છે.

    દરેક વોર્ડમાં ચાર બેઠક હશે. આમ નવી મહાનગરપાલિકા 52 બેઠકોની થશે અને સરકારે તેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચુંટણી યોજવાની તૈયારી કરી છે જે હાલની છ મહાનગરપાલિકા સાથે આ ચુંટણી યોજાય તેવા સંકેત છે.