Category: All

  • આકાશગંગા વચ્ચે ઘુવડ દેખાતાં વિજ્ઞાનીઓ ચકિત

    આકાશગંગા વચ્ચે ઘુવડ દેખાતાં વિજ્ઞાનીઓ ચકિત

    આકાશગંગાઓની ટક્કરથી સર્જાયેલી કોસ્મિક રચનાથી નાસાના ટેલિસ્કોપે ખેંચેલી તસવીર સામે આવી

    નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અવકાશમાં એક પરહસ્યમય ઘુવડથ શોધી કાઢ્યું છે, જેના ચિત્રોએ વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કર્યા છે.

    અમેરિકન અવકાશ એજન્સી નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે કોસ્મિક ઘુવડનો ફોટો ખેંચ્યો છે. તે દુર્લભ કોસ્મિક રચનાઓમાંનો એક છે. ચિત્રમાં બે તેજસ્વી રિંગ્સ દેખાય છે જે બિલકુલ ઘુવડની આંખો જેવી છે અને તેમની ઉપર આકાશગંગાઓની ટક્કરથી બનેલી ચાંચ દેખાય છે. કોસ્મોસ ક્ષેત્રમાં સ્થિત આ ખગોળીય અજાયબી પૃથ્વીથી 11 અબજ પ્રકાશવર્ષ દૂર છે.

    કોસ્મિક ઘુવડ એક અસાધારણ કોસ્મિક રચના છે જે ઘુવડના ચહેરા સાથે અદ્ભુત સામ્યતા ધરાવે છે. આ અનોખી રચના બે દુર્લભ રિંગ ગેલેક્સીઓની ટક્કરથી બનેલી છે, જેમાંથી દરેક લગભગ 26,000 પ્રકાશવર્ષ પહોળી છે. જો તેને આપણી આકાશગંગા આકાશગંગાની સરખામણીમાં જોવામાં આવે, તો તે તેના લગભગ એક ક્વાર્ટર જેટલી છે.

    દરેક રિંગના કેન્દ્રમાં એક સુપરમાસિવ બ્લેક હોલ હોય છે, જેને સક્રિય ગેલેક્ટીક ન્યુક્લિયસ (AGN) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘુવડની આંખો બનાવે છે. આ બ્લેક હોલમાંથી એક શક્તિશાળી રેડિયો જેટ ઉત્સર્જિત કરી રહ્યું છે જે આસપાસના ગેસ સાથે અથડાય છે, જે ચાંચ જેવી રચના બનાવે છે.

    જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની અદ્યતન ઇમેજિંગ ક્ષમતાઓને કારણે જૂન 2025 માં કોસ્મિક ઘુવડની શોધ થઈ હતી. એટાકામા લાર્જ મિલીમીટર/સબમિલિમીટર એરે (ALMA) અને વેરી લાર્જ એરે (VLA) ના સહયોગથી જેમ્સ વેબ સ્ટેપ ટેલિસ્કોપમાંથી હાઇ રિઝોલ્યુશન છબીઓએ વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં આ રસપ્રદ ગેલેક્સી ટક્કર શોધવામાં મદદ કરી.

    તમે રાત્રિના આકાશમાં કોસ્મિક ઘુવડ જોઈ શકતા નથી. જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલા ચિત્રો દ્વારા તમે તેને જોવાનો આનંદ માણી શકો છો. કોસ્મિક ઘુવડ માત્ર એક સુંદર ચિત્ર નથી પરંતુ તે ગેલેક્સી રચનાની વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે એક કુદરતી પ્રયોગશાળા પણ છે. તે ગેલેક્સીઓના ઉત્ક્રાંતિ અને બ્રહ્માંડના ઉત્ક્રાંતિમાં વિશાળ બ્લેક હોલની ભૂમિકા વિશે નવા સંકેતો પણ આપે છે.

  • આજથી ૨૧ ઓગસ્ટ સુધી “ડેલ્ટા-એકવેરીડ્સ” ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે: વિજ્ઞાન જાથા

    આજથી ૨૧ ઓગસ્ટ સુધી “ડેલ્ટા-એકવેરીડ્સ” ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે: વિજ્ઞાન જાથા

    ગુજરાત સહિત વિશ્વભરમાં આજથી ૨૧ ઓગસ્ટ સુધી “ડેલ્ટા-એકવેરીડ્સ” ઉલ્કા વર્ષાની ખાસ અવકાશી ઘટના જોવા મળશે. ખાસ કરીને જુલાઈના ૨૯, ૩૦ અને ૩૧ના રોજ કલાકે ૧૫ થી ૨૦ ઉલ્કાઓ પડતી જોવા મળશે, જ્યારે વિદેશમાં આ સંખ્યા કલાકે ૫૦ સુધી જઈ શકે છે.

    મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે ઉલ્કા વર્ષાનો નજારો જોઈ શકાય છે. ભારતમાં ‘વિજ્ઞાન જાથા’ દ્વારા લોકોને આ ઉલ્કા વર્ષા નિહાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વરસાદી વાતાવરણ અવરોધરૂપ બની શકે છે, તેથી ખુલ્લી અને નિર્જન જગ્યા પસંદ કરવી યોગ્ય રહેશે.

    વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે ખગોળપ્રેમીઓ દૂરબીન (૧૦x૫૦) વડે કે કેમેરાથી દ્રશ્યો કેદ કરી શકે છે. આ ઉલ્કા વર્ષા ધૂમકેતુઓના અવશેષ પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠતા થતાં જોવા મળે છે, જેને મેટિયોર્સ અથવા ફાયરબોલ તરીકે ઓળખાય છે.

    ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અવકાશી ઘટના માટે અવલોકન અભિયાન શરૂ કરાયું છે. વધુ માહિતી માટે સંપર્ક: ૯૮૫૨૧ ૬૬૮૯.– વિજ્ઞાન જાથા, ગુજરાત

  • અગ્નિશમન શાખા તરફથી કોલેજો, સ્કૂલો અને બિલ્ડીંગોમાં ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન કામગીરી હાથ ધરાઈ

    અગ્નિશમન શાખા તરફથી કોલેજો, સ્કૂલો અને બિલ્ડીંગોમાં ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન કામગીરી હાથ ધરાઈ

    મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓમાં આગથી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા હેતુસર અગ્નિશમન શાખા દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૫ થી ૦૭/૦૭/૨૦૨૫ દરમિયાન વિવિધ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

    આ સમયગાળામાં મોરબીના ૨ કોલેજોમાં કુલ ૪૬૩ વિદ્યાર્થીઓને અને ૨ શાળાઓમાં કુલ ૧૧૩૦ બાળકોને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં અગ્નિથી થતા જોખમો, ફાયર એક્ઝિટ પદ્ધતિ, અગ્નિશમન સાધનોનો ઉપયોગ અને ઈમરજન્સી સમયગાળામાં કરવાના પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.

    આ ઉપરાંત, શહેરની વિવિધ કોમ્પ્લેક્સ, સમાજવાડી, ઉદ્યોગો સહિતની મહત્વપૂર્ણ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સર્ટિફિકેટ ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેને ફાયર NOC ન હોય તેવી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી અને ફાયર પ્રિવેન્શન માટે જરૂરી સૂચનાઓ અને ગાઈડલાઈન આપવામાં આવી હતી.

    મહત્વપૂર્ણ રીતે, મોરબી શહેરમાં તાજેતરમાં બે આગ લાગવાના બનાવો બન્યા હતા. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસે સમયસૂચકતા દાખવી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી જઈને ઈમરજન્સી સેવા આપી હતી અને વધુ નુકશાન થતું અટકાવ્યું હતું.

    મહાનગરપાલિકાની આ કામગીરીનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોમાં ફાયર સેફટી અંગે જાગૃતિ લાવવી, આગ જેવી આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવાનો પ્રેરણા આપવી અને જાન-માલની હાની અટકાવવી છે.

    શહેરમાં આગ લગતી કોઈ પણ ઘટના બન્યે તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો સંપર્ક ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અથવા ૧૦૧ પર કરી શકાય છે.

  • ટંકારા લતીપર હાઇવે પર ફુલઝર નદી પરના માઇનર બ્રીજનું ઈન્ચાર્જ કલેક્ટર દ્વારા ઈન્સપેક્શન કરી સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ

    ટંકારા લતીપર હાઇવે પર ફુલઝર નદી પરના માઇનર બ્રીજનું ઈન્ચાર્જ કલેક્ટર દ્વારા ઈન્સપેક્શન કરી સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ

    ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઈનર બ્રીજની મુલાકાત કરી મોરબી ઈન્ચાર્જ કલેક્ટર  અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ બ્રિજનું ઈન્સપેક્શન કર્યું હતું અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

    ઈન્ચાર્જ કલેક્ટર એ જણાવ્યું હતું કે, ફુલઝર નદી પરનો આ બ્રિજ લગભગ વર્ષ ૧૯૭૮ માં બનાવવામાં આવ્યો હતો. પુલને ૫૦ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી સમયની અસરને કારણે પુલની આસપાસ ખવાણની અસર થઈ હતી. જેના કારણે આ પુલના પિલર્સની આજુબાજુ અંદાજિત રૂ. ૪૮ લાખના ખર્ચે આરસીસીનું એક કવર બનાવી જેકેટિંગ કરવામાં આવ્યું છે અને સલામતી માટે અન્ય કામગીરી કરવામાં આવી છે.

    માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેર  દિગ્વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક ૨૪ મેજર બ્રિજ અને ૪૮ માઇનર બ્રીજ આવેલા છે. જેમાં મેજર અને માઇનર એમ બંને પ્રકારના બ્રિજની ચકાસણી હાલ પૂર્ણ કરવામાં આવી છે. જેની ડિઝાઇન ટીમ અને કન્સલ્ટન્ટ ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવી છે. આ તપાસના ભાગરૂપે માળીયા હળવદ અને વાંકાનેર તાલુકાના કુલ ૩ મેજર બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જરૂરી તપાસ પૂર્ણ થતા એ બ્રિજ પર રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવવામાં આવશે.

    મોરબી અને જામનગર એમ બે જિલ્લાને જોડતો આ માર્ગ ટંકારા લતીપર ધ્રોલ સહિતના શહેરો સાથે જોડાયેલો છે. ત્યારે આ રોડ પર આવેલ ફુલઝર નદી પરના બ્રિજનું હાલ જ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે. જે બ્રિજનું નિરીક્ષણ કરી મોરબી ઈન્ચાર્જ કલેક્ટર એ વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી હતી.

  • ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો  

    ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો  

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા ખાતે સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

    દીકરીઓને માત્ર શિક્ષિત નહીં પરંતુ જાગૃત અને સુરક્ષિત નાગરિક બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ટંકારા સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ  દ્વારા સાઈબર સેફ્ટી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં સોશિયલ મિડિયા, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ દુનિયામાં સાવચેતી કઈ રીતે રાખવી વગેરે મુદ્દાઓ પર વિધાર્થીનીઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા.

    ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટર  મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી અને દરેક દીકરીઓ સુરક્ષિત, સુશિક્ષિત અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય , શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

  • વાંકાનેર :  મિલ કોલોની વિસ્તારમાં આજે યોજાયેલા કેમ્પમાં વાંકાનેર શહેરમાં સૌથી વધુ 40 વય વંદના યોજનાના કાર્ડ અપાયા

    વાંકાનેર : મિલ કોલોની વિસ્તારમાં આજે યોજાયેલા કેમ્પમાં વાંકાનેર શહેરમાં સૌથી વધુ 40 વય વંદના યોજનાના કાર્ડ અપાયા

    વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારમાં યોજાયેલા આરોગ્ય કાર્ડ કેમ્પોમાં આજે મિલ કોલોની ખાતે યોજાયેલા કેમ્પમાં સૌથી વધુ – કુલ 40 લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. આ આંકડો સમગ્ર વાંકાનેરમાં આજના દિવસ દરમ્યાન યોજાયેલા તમામ કેમ્પોમાંથી સૌથી વધુ રહ્યો છે.

    આ આયોજનમાં પૂર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહ ઝાલા, ભાજપ શહેર મંત્રી રમેશ મકવાણા, વાંકાનેર શહેર યુવા ભાજપના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તથા યુવા ભાજપના મહામંત્રી નીતેશભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સમિતિના પ્રયત્નો અને કાર્યકરોની સક્રિય ભૂમિકા સાથે કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. (રિપોર્ટ : અજય કાંજીયા )

  • મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રતિનિધિમંડળની ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલની મુલાકાત

    મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રતિનિધિમંડળની ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલની મુલાકાત

    મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની પ્રમુખ અલ્પાબેન કક્કડના નેતૃત્વમાં પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયબેન વાઘેલા, કારોબારી સભ્ય સરલાબેન રાચ્છ, યોગિતાબેન ઝાલા, આરતીબેન રતનાની સહિતના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે સ્થિત સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી હતી.

    આ અવસરે પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, તેમજ રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી શુભેચ્છાઓ આપેલ હતી.મહિલા મોરચાના પ્રતિનિધિઓએ મોરબી શહેરના વિકાસકાર્યો અને મહિલા સશક્તિકરણ માટે સરકાર તરફથી મળતી સહાય અને યોજનાઓ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

  • પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસાનો હુકમ રદ: ક્ષત્રિય સમાજે કરી હતી રજૂઆત, જુઓ જેલમાંથી બહાર આવીને શું કહ્યું?

    પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસાનો હુકમ રદ: ક્ષત્રિય સમાજે કરી હતી રજૂઆત, જુઓ જેલમાંથી બહાર આવીને શું કહ્યું?

    ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પી.ટી. જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમરનાથ મંદિરમાં આરતી ન કરવા મુદ્દે પી.ટી જાડેજાએ ધમકી આપી હતી. આ પછી પોલીસે પાસા (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ તેમની ધરપકડ કરીને સાબરમતી જેલ મોકલ્યા હતા. જોકે, સમગ્ર મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી રજૂઆત કરીને પાસાનો હુકમ રદ કરવાની માગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે પી.ટી. જાડેજાનો પાસાનો રદ કર્યો હતો. આજે પી.ટી. જાડેજાને જેલમુક્ત કરવામાં આવ્યા છે.

    જેલમાંથી બહાર આવીને પી.ટી. જાડેજાએ શું કહ્યું?

    જેલમાંથી બહાર આવીને પી.ટી. જાડેજાએ કહ્યું હતું કે, ‘હું 18 દિવસથી ઉપવાસ પર હતો. હું 9 નોરતા કરીને ગયો હતો અને જેલમાં પણ એટલા દિવસથી જમ્યો નથી. મારી તબિયત પણ સારી નથી. એટલે મારે માતા અંબાના દર્શન કરવા જવું છે એ પણ હું બે દિવસ પછી જઈશ. ‘

    શું હતી ઘટના?

    મળતી માહિતી મુજબ, ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ થોડા સમય પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપી હતી. જેમાં જાડેજાએ કારખાનેદાર જસ્મિનભાઈને ફોન કરીને કહ્યું હતું કે, ‘આરતી કરતો નહીં, નહિતર લોહિયાળ જંગ થશે.’ જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 4 જુલાઈએ પી.ટી. જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો.

    ક્ષત્રિય સમાજનો વિરોધ: પી.ટી જાડેજાની ધરપકડ મુદ્દે ક્ષત્રિય આગેવાન જયેન્દ્રસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સરકારે ઉતાવળિયું અને ખોટું પગલું ભર્યું હતું. તેમની વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવી તે ખરેખર ખૂબ ખોટું અને દુઃખદ છે. સરકાર સામે ક્ષત્રિયોને જે વાંધો હતો તે બધું હવે ઠંડુ થઈ ગયું છે. હવે ક્ષત્રિય સમાજને સરકાર સામે કોઈ વાંધો નથી તેમ છતાં જો સરકાર આવા પગલાં લેશે તો ક્ષત્રિય અને રાજપૂત સમાજ સામે સરકારને કાયમી વાંધો થશે. આ સિવાય સરકારને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.’

  • મોરબી જીલ્લામાં 6 પીઆઇની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા

    મોરબી જીલ્લામાં 6 પીઆઇની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા

    મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇની મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. મોરબીના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ મળીને 6 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવેલ છે.

    જેમાં વાંકાનેર તાલુકામાં બી.વી. પટેલ, મોરબી સિટી બી ડિવિઝનમાં વી.એન.પરમાર, માળીયા મીયાણામાં કે.કે. દરબાર, સાયબર ક્રાઇમમાં એન.એ. વસાવાને મૂકવામાં આવ્યા છે જયારે પીઆઇ આર.સી. ગોહિલ અને ડી.વી. ખરાડીને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે.

  • મોરબી શહેરમાં રોડ રીપેરીંગ, ભૂગર્ભ ગટર અને સફાઈ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  સ્વપ્નિલ ખરે

    મોરબી શહેરમાં રોડ રીપેરીંગ, ભૂગર્ભ ગટર અને સફાઈ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  સ્વપ્નિલ ખરે

    રોડ રીપેરીંગ, ગટર અને સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કરી કમિશ્નર એ જરૂરી સૂચનો કર્યા

    સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ રાજ્ય સરકારે ખાસ માર્ગ સમારકામ અભિયાન હાથ ધર્યું છે.

    ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં વિવિધ પ્રશ્નો અન્વયે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરેએ મોરબીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શહેરમાં ચાલી રહેલ રસ્તા સમારકામ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ આવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

    ગત તારીખ ૧૪/૦૭/૨૦૨૫ ના રોજ રાતના સમયે કમિશ્નર એ મોરબીમાં સબજેલ રોડ થી યદુનંદન ગેટ સુધી ચાલી રહેલ રોડ રિસર્ફેસિંગ, લાતી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રોડ લેવલીંગ અને સમારકામ, સનાળા રોડ પર સાફ-સફાઈની કામગીરી, માર્કેટિંગ યાર્ડ પાસે તથા નાની કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી અને પંચાસર રોડ પર ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરીનું સ્થળ પર જઈ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.

    કમિશ્નર એ સનાળા રોડ પર આવેલ પેટ્રોલ સપંપ પાસે તથા પંચાસર રોડ પર સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને તેમની સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો. લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ થાય તે માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ચાલી રહેલ વિવિધ કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    આ મુલાકાત દરમિયાન મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર  કુલદીપસિંહ વાળા તથા એન્જિનિયર  હિતેશ આદ્રોજા સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.