Category: All

  • મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

    મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

    રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં યોજનાર છે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૧/૦૭/૨૦૨૫ છે.

    આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ તથા ભહેનોની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાની રજૂઆતનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ ની રાખી શકાશે અને સાથે સંગીત ગાયન(સાંજિદા) વગેરે માટે ૪ વ્યક્તિ રાખી શકાશે.

    ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તારીખ ૨૧/૦૭/૨૦૨૪  સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૫૭, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ મોરબી-૨ ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

    વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ પર સંપર્ક કરી શકાશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી ની યાદીમાં જણાવાયું છે.

  • ભૂકંપ આવ્યા પહેલા જ તમારો ફોન કરી દેશે એલર્ટ! તાત્કાલિક ઓન કરી લો આ મહત્વનું સેટિંગ

    ભૂકંપ આવ્યા પહેલા જ તમારો ફોન કરી દેશે એલર્ટ! તાત્કાલિક ઓન કરી લો આ મહત્વનું સેટિંગ

    Google Earthquake Alerts: દિલ્હી-NCRમાં ગુરુવારે સવારે 9:41 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી. આવી સ્થિતિમાં લોકો ગભરાઈ ગયા અને તરત જ પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા. જો કે, ઘણા લોકો એવા હતા જેમને ભૂકંપ વિશે ખબર પણ નહોતી અને તેઓ પોતાનું કામમાં વ્યસ્ત રહ્યા હતા.

    ઇતિહાસના પાનાઓમાં આવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે જ્યારે ભૂકંપના આંચકાએ થોડીક સેકન્ડોમાં બધું જ બરબાદ કરી દીધું હોય. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે તમારો ફોન જ ભૂકંપ પહેલા જ તમને એલર્ટ આપી દેશે. ફોન આપશે ભૂકંપનું એલર્ટ જો કે, શું તમે જાણો છો કે તમારો સ્માર્ટફોન તમને ભૂકંપ અને આવી ઘણી આફતો વિશે અગાઉથી ચેતવણી પણ આપે છે.

    આવી સ્થિતિમાં તમને પોતાને અને તમારા પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવાની તક મળે છે.આ માટે તમારે તમારા ફોનમાં ફક્ત એક નાનું સેટિંગ ઓન કરવું પડશે. Googleનું આ સેટિંગ તાત્કાલિક કરો ઓન એન્ડ્રોઇડ યુઝર્સ માટે Googleએ એક ઇમરજન્સી સેટિંગનો ઓપ્શન આપ્યું છે, જે તમને આવી કુદરતી આફતોથી બચાવવામાં મદદ કરે છે.

    આ નાનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ સેટિંગ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ચાલો જાણીએ તેને ઓન કરી રીતે કરવું. 1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં Setting પર ક્લિક કરો. 2. હવે તમારે અહીં Safety & Emergencyના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 3. અહીં તમારે Earthquake Alertsનું ઓપ્શન પર ક્લિક કરવું પડશે. 4. Earthquake Alertsને ઓન કરતાની સાથે જ Google તમને ભૂકંપની સ્થિતિમાં ચેતવણી આપશે,

    જેના કારણે તમારા ફોનમાં સાયરન વાગશે. આ સાથે ગૂગલ તમને ભૂકંપથી બચવાના રસ્તાઓ પણ જણાવશે. આ દરમિયાન નહીં આપે એલર્ટ ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, ગુરુવારે એટલે કે આજે સવારે આવેલા ભૂકંપ માટે તેમના ફોન પર એલર્ટ મળ્યુ ન હતું. આવું કેમ ન થયું, તેનું કારણ પણ તમને તમારા Earthquake Alertsની નીચે જ જોવા મળી જશે. જો તમે આ તરફ ધ્યાન ન આપ્યું હોય, તો ચાલો આપણે આને મુદ્દાઓમાં સમજાવીએ. 1. જો ભૂકંપ 4.5ની તીવ્રતાથી ઓછો હોય તો ગૂગલ તેની ચેતવણી આપશે નહીં. 2. આ ઉપરાંત એલર્ટ માટે તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ હોવું ફરજિયાત છે.

    1. ગૂગલ તરફથી આ એલર્ટ દરેક વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે નહીં. 4. ઘણી વખત એલર્ટ ભૂકંપ પહેલા, ભૂકંપ દરમિયાન અથવા ભૂકંપ પછી પણ આવી શકે છે.
    2. દર વખતે ભૂકંપ પકડવો Googleના આ સેટિંગ માટે શક્ય નથી. સંપૂર્ણપણે ન રહો નિર્ભર આવી સ્થિતિમાં, તમારા ફોનમાં આ સેટિંગ હંમેશા ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેના પર સંપૂર્ણપણે નિર્ભર ન રહો. આ માટે તમારે પોતે પણ સતર્ક રહેવાની જરૂર છે.

  • 3 સેકન્ડમાં એન્જિન બંધ, 32 સેકન્ડ હવામાં… જાણો અમદાવાદ પ્લેન ક્રેશ વખતે ક્યારે શું થયું

    3 સેકન્ડમાં એન્જિન બંધ, 32 સેકન્ડ હવામાં… જાણો અમદાવાદ પ્લેન ક્રેશ વખતે ક્યારે શું થયું

    અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટથી ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભરતાની સાથે જ બંને એન્જિન 3 સેકન્ડમાં જ બંધ થઈ ગયા હતા.

    રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, એન્જિન બંધ થયા પછી પાઇલટે મુસાફરોના જીવ બચાવવા માટે શું કર્યું, પરંતુ તેમની તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે વિમાન ક્રેશ થાય તે પહેલાં તેણે મેડે કોલ આપ્યો. તમને જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટનામાં ક્રૂ સહિત 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચાલો તમને અમદાવાદ પ્લેન ક્રેશની સંપૂર્ણ ટાઈમલાઈન જણાવીએ.

    ભારતીય સમયાનુસાર ઘટનાની ટાઈમલાઈન

    બપોરે 1.37.37  વાગ્યે પ્લેન રનવે પર ચાલવાનું શરુ કર્યું

    બપોરે 1.38.39 પ્લેનને હવામાં (એર મોડ) રૂપાંતરિત કરવામાં આવ્યું, વિમાને ઉડાન ભરી.

    1.38.42 વાગ્યે પ્લેન 180 નોટ્સની મહત્તમ એર સ્પીડમાં પહોંચ્યું.

    એન્જિન 1 અને એન્જિન 2 ફ્યુલ કટ ઓફ સ્વિચમાં એક સેકન્ડમાં RUN થી Cut Offમાં  ચાલ્યું.

    એન્જિન N1 અને એન્જિન N2 ક્ષમતા ઓછી થવા લાગી, પ્લેનનો થ્રસ્ટ અને ઊંચાઈ પણ ઘટવા લાગી.

    કોકપિટ વોઇસ રેકોર્ડિંગ: પાયલટ 1 એ બાજા પાયલટને પૂછ્યું – તમે ઇંધણ કેમ બંધ કરી દીધુ? ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો – મેં એવું નથી કર્યું.

    1.38.47 વાગ્યે  બંને એન્જિનની N2 (સ્પીડ) નિષ્ક્રિય થઈ નીચે આવી ગઈ. રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવ થઈ ગયું.

    1.38.52  એન્જિન 1 ફ્યુલ કટઓફ સ્વિચને ફરી  RUN પર લઈ જવામાં આવી.

    1.38.54 APU ઇનલેટ ડોર ખુલવાનું શરૂ થયું (APU ઓટોસ્ટાર્ટ લોજિક શરૂ થયું).

    1.38.56 એન્જિન 2 ફ્યુલ કટઓફ સ્વિચને ફરી RUN પર લઈ જવામાં આવી.

    એન્જિન 1: EGTમાં વધારો થયો, પણ કોર સ્પીડ પાછી મેળવવામાં સફળતા ન મળી.

    એન્જિન 2: વારંવાર ઇગ્નિશન શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર એક્સિલરેશન જાળવી રાખવામાં સફળતા ન મળી.

    1.39.05 પાયલટે ‘MAYDAY MAYDAY MAYDAY’ કૉલ કર્યો.

    1.39.11 છેલ્લી વાર રેકોર્ડિંગ નોંધવામાં આવ્યું.

    1.44.44 એરપોર્ટ પર ફાયર (અગ્નિશામક) ગાડીઓ મોકલવામાં આવી તેમજ સ્થાનિક ફાયર અને રેસ્ક્યૂ ટીમો પણ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ.

  • હવે જુગાડ નહીં ચાલે! ફાસ્ટેગ હાથથી બતાવાને બદલે ગાડી પર લગાવો, નહીં તો થશે બ્લેકલિસ્ટ; સરકારે નિયમ બદલ્યો

    હવે જુગાડ નહીં ચાલે! ફાસ્ટેગ હાથથી બતાવાને બદલે ગાડી પર લગાવો, નહીં તો થશે બ્લેકલિસ્ટ; સરકારે નિયમ બદલ્યો

    FASTag New Rules: NHAIએ તાજેતરમાં FASTagના ઉપયોગને લગતા નવા નિયમો લાગુ કર્યા છે અને આ વખતે સરકાર FASTagને લઈને વધારે કડક બની ગઈ છે

    હવે ફક્ત હાથમાં FASTag બતાવવાથી કામ ચાલશે નહીં. નિયમોમાં ફેરફાર મુજબ, FASTagને વાહનની વિન્ડશીલ્ડ (કાચ) પર યોગ્ય રીતે ફરજિયાત ચોંટાડવું પડશે. જો FASTag ઢીલું-ઢીલું ચોંટાડેલું હશે અથવા તેની યોગ્ય જગ્યાએ ચોંટાડેલું નહીં હોય અને વાહન ચાલક તેને હાથથી બતાવવાનો પ્રયાસ કરશે, તો તેમને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે, એટલું જ નહીં આમ કરવાથી FASTag બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે.


    FASTag New Rules: NHAIએ તાજેતરમાં FASTagના ઉપયોગને લગતા નવા નિયમો લાગુ કર્યા છે અને આ વખતે સરકાર FASTagને લઈને વધારે કડક બની ગઈ છે. હવે ફક્ત હાથમાં FASTag બતાવવાથી કામ ચાલશે નહીં. નિયમોમાં ફેરફાર મુજબ, FASTagને વાહનની વિન્ડશીલ્ડ (કાચ) પર યોગ્ય રીતે ફરજિયાત ચોંટાડવું પડશે. જો FASTag ઢીલું-ઢીલું ચોંટાડેલું હશે અથવા તેની યોગ્ય જગ્યાએ ચોંટાડેલું નહીં હોય અને વાહન ચાલક તેને હાથથી બતાવવાનો પ્રયાસ કરશે, તો તેમને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે, એટલું જ નહીં આમ કરવાથી FASTag બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે. NHAIએ તમામ ટોલ પ્લાઝાને કહ્યું છે કે તેઓ તાત્કાલિક આવા વાહનોની રિપોર્ટ કરે, જેથી તેમના FASTagને સિસ્ટમમાંથી બ્લોક કરી શકાય.


    ડિજિટલ ટોલિંગ સિસ્ટમને અપાઈ રહ્યું છે પ્રોત્સાહન
    નવી ડિજિટલ ટોલિંગ સિસ્ટમ તરફ આગળ વધતા આ પગલું ખાસ ફાયદાકારક સાબિત થશે, કારણ કે તેનાથી ટોલ ચોરી અને ભારે ટ્રાફિક જામ બંનેમાં ઘટાડો જોવા મળી શકે છે. સરકારે આ ફેરફાર એટલા માટે લાગુ કર્યો છે જેથી ટોલ પ્લાઝા પર સમય ન બગાડે અને સિસ્ટમના ખામીયુક્ત ટ્રાન્ઝેક્શનથી બચી શકાય. જો FASTag યોગ્ય રીતે વિન્ડશીલ્ડ પર ચોંટાડેલું નહીં હોય, તો ડિજિટલ સ્કેનર ટેગને વાંચી શકશે નહીં અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ શકે છે અથવા ટોલ ટેક્સ ડબલ કપાઈ શકે છે.


    નવો નિયમ ચાલક અને વાહન માલિક બંનેની જવાબદારી વધારે છે. હવે તેમણે FASTag ખરીદીને તેને યોગ્ય રીતે ચોંટાડવાની સાથે-સાથે સમયાંતરે તેનું સ્કેન અને વેલિડિટી પણ તપાસવી પડશે, જેથી બ્લેકલિસ્ટ થવાથી બચી શકાય. જો કોઈનું ટેગ બ્લોક થઈ જાય, તો તેને ફરીથી એક્ટિવેટ કરાવવા માટે વધારાનો સમય અને મહેનત કરવી પડી શકે છે.
    FASTag સાથે બેદરકારી નહીં ચાલે


    NHAIએ 11 જુલાઈ, 2025ના રોજ સ્પષ્ટ કર્યું હતું કે હવે FASTagને લગતી કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે તમામ ટોલ કલેક્શન એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે જો કોઈ વાહન માલિક FASTagને વાહનના આગળના કાચ પર યોગ્ય રીતે ન ચોંટાડે અને તેને હાથથી બતાવવાનો પ્રયાસ કરે, તો તેની તાત્કાલિક જાણ કરવામાં આવે. આના આધારે NHAI આવા FASTagને બ્લેકલિસ્ટ કરી દેશે.


    ફાસ્ટેગ થઈ શકે છે બ્લેકલિસ્ટ
    NHAIએ ટોલ કલેક્શન એજન્સીઓને એક ખાસ ઈમેલ આઈડી આપી છે, જેના દ્વારા તેઓ આવા વાહનોની માહિતી તાત્કાલિક મોકલી શકે છે, જેમનું FASTag યોગ્ય રીતે ચોંટાડેલું નથી અથવા જે કાર ચાલકો તેને હાથમાં લઈને બતાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે એજન્સી આ માહિતી મોકલે છે, ત્યારે NHAI તે FASTagને બ્લેકલિસ્ટ અથવા હોટલિસ્ટ કરી નાખે છે. ત્યારબાદ તે FASTag કામ કરવાનું બંધ કરી દે છે અને વાહન માલિકને ટોલ ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


    આ નવા નિયમોનો ઉદ્દેશ્ય રસ્તા પર વાહન ચલાવવાનો અનુભવ સરળ બનાવવો અને FASTag સિસ્ટમની પારદર્શિતા વધારવાનો છે. આનાથી ટ્રાફિક જામ ઘટશે, મુસાફરોનો સમય બચશે અને ટોલ ચોરી પર અંકુશ આવશે. આ ફેરફારો યાત્રાને ઝડપી અને ટોલ સિસ્ટમને વિશ્વસનીય બનાવવાની એક સ્માર્ટ પહેલ છે.

  • મોરબીમાં જાગરણ નિમિત્તે હેલ્થ સેન્ટર કાર્યરત રહેશે

    મોરબીમાં જાગરણ નિમિત્તે હેલ્થ સેન્ટર કાર્યરત રહેશે

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્થ સેન્ટર કાર્યરત રહેશે. જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્થ સેન્ટર શહેરના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે.

    કોઈપણ પ્રકારની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતીના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.90814 25108 તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લાના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.78029 28288 નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

  • મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસા.માં વરસાદી પાણીના નીકાલ માટે ઉગ્ર રજૂઆત

    મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસા.માં વરસાદી પાણીના નીકાલ માટે ઉગ્ર રજૂઆત

    તંત્રને 24 કલાકનું અલ્ટીમેટુમ: કામગીરી નહિ થાય તો રસ્તા રોકો આંદોલન કરાશે સાંજ સમાચાર મોરબી, તા.12 આમ આદમી પાર્ટી  મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો ધણાં સમયથી હતા.

    અત્યારની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટરની સુવિધા નથી અને વધુુ સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે.જેમાં સેવાળ તથા માખી-મચ્છર અને જીણી જીવાતો પણ છે.

  • કાંતિલાલ સોમવારે લાવ લશ્કર સાથે જશે ‘શરતી’ રાજીનામું આપવા

    કાંતિલાલ સોમવારે લાવ લશ્કર સાથે જશે ‘શરતી’ રાજીનામું આપવા

    150 કારનો કાફલો લઇ ગાંધીનગર પહોંચશે, વિધાનસભાના ગેઇટ બહાર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે, નહીં આવે તો રાજીનામાનો કાર્યક્રમ કેન્સલ!

    મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ… 150 કારનો કાફલો લઇ ગાંધીનગર પહોંચશે, વિધાનસભાના ગેઇટ બહાર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે, નહીં આવે તો રાજીનામાનો કાર્યક્રમ કેન્સલ કરાશે, મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરમાંથી તાજેતરમાં પેટા ચૂંટણીમાં ચૂંટયેલા આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે શરૂ થયેલા રાજીનામાના હાકલા પડકારાના રાજકરપ માટે સોમવારે નિર્ણાયક દિવસ છે.


    મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેરાત કરી છે કે તેઓ સોમવારે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે. આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.


    કાંતિ અમૃતિયા મોરબીથી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થશે અને વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે. આ શક્તિ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલીયાને આપવામાં આવેલો પડકાર છે.


    અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના પ્રવેશ દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોશે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાંતિ અમૃતિયાનું રાજીનામું શરતી છે.

  • ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર (માર્ગ અને મકાન પંચાયત) દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વત: કરાયો

    ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર (માર્ગ અને મકાન પંચાયત) દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વત: કરાયો

    મોરબીમાં ચાલી રહેલા રોડ રસ્તા સમારકામ અન્વયે ત્રજાપર ચોકડીથી ઘુંટુ રોડ પર માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે.

    ભારે વરસાદને પગલે નુકશાન પામેલા માર્ગોનું સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ સમારકામ કરવામાં આવી રહ્યું છે. મોરબી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    મોરબીમાં ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર મેટલ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો છે.

  • એક સેકન્ડમાં 10000 મૂવી ડાઉનલોડ, આ દેશે સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    એક સેકન્ડમાં 10000 મૂવી ડાઉનલોડ, આ દેશે સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    જાપાને વિશ્વનું સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ નેટવર્ક બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. જાપાનના નવીનતમ ઇન્ટરનેટ નેટવર્કની સ્પીડ 1.02 પેટાબાઇટ્સ પ્રતિ સેકન્ડ છે. આ લગભગ 1 મિલિયન જીબી પ્રતિ સેકન્ડની સમકક્ષ છે. જાપાનની આ ઇન્ટરનેટ સ્પીડ એટલી ઝડપી છે કે તમે ફક્ત એક મૂવી જ નહીં પરંતુ આખી લાઇબ્રેરીને થોડીક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો છો.

    જાપાને આ નેટવર્ક હાલની ફાઇબર ઓપ્ટિક ટેકનોલોજી પર આધારિત બનાવ્યું છે. એવું માનવામાં આવે છે કે આનાથી લોકો ડેટા શેરિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સંપૂર્ણપણે બદલી નાખશે.

    જાપાનની આ નવીનતમ ટેકનોલોજીની મદદથી, યુઝર્સ એકસાથે 1 કરોડથી વધુ 8K વિડિઓઝ સ્ટ્રીમ કરી શકે છે. બિઝનેસ ટુડેએ અહેવાલ આપ્યો છે કે આ ઇન્ટરનેટ વિશ્વની સૌથી ઝડપી ગતિ છે. જાપાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (NICT) ના સંશોધકોએ પરીક્ષણ દરમિયાન 1.02 પેટાબાઇટ્સ પ્રતિ સેકન્ડની ગતિ પ્રાપ્ત કરી છે. તેમણે જૂનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે.

    આ ઇન્ટરનેટ સ્પીડ લેબમાં કોઈ યુક્તિ દ્વારા પ્રાપ્ત થઈ નથી. NICT એ હાલના માનક કદના ફાઇબર ઓપ્ટિક કેબલની મદદથી ડેટા ટ્રાન્સમિટ કરીને આ સ્પીડ પ્રાપ્ત કરી છે. આ નેટવર્કમાં, જાપાની સંશોધકોએ 4 કોરો અને 50 થી વધુ પ્રકાશ તરંગલંબાઇનો ઉપયોગ કર્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્પીડ 51.7 કિલોમીટરના અંતરે પણ અકબંધ રહી, એવી અપેક્ષા છે કે આ ટેકનોલોજી ટૂંક સમયમાં બજારમાં જોવા મળશે.

  • મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે, ભાગ લેવા આહવાન

    મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે, ભાગ લેવા આહવાન

    ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નું આયોજન દેશનાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદૃઢ અને બળવતર બને તે હેતુથી કરવામાં આવે છે.ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર નિર્માણનાં ઉદે્શ્યથી ચાલતા તમામ પ્રકલ્પોમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સૌથી લોકપ્રિય છે.

    જેમાં પ્રથમ મોરબી સ્તરે સ્પર્ધાની આગામી તા.3-8 ને રવિવારે યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા.15-7 છે.તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2025 શાખા, પ્રાંત, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે.

    રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા હિન્દી અને સંસ્કૃત એમ બે વિભાગમાં યોજાશે.બંને વિભાગમાં ગીત પ્રસ્તુત કરવા ફરજિયાત છે.

    રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-25 માટે અન્ય કંઈપણ માહિતીની જરૂર જણાય તો સ્પર્ધાનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા (મો.99799 60477) અથવા સહસંયોજક વિશાલભાઈ બરાસરા (મો.96875 21339) નો તેમના નંબર ઉપર સંપર્ક કરી શકો છો.સ્પર્ધા સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા અને કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.