Category: All

  • ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

    ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

    રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (26 જૂન) રાજ્યના 29 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આવતીકાલે 28 જિલ્લામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

    આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

    હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે ગુરુવારે (26 જૂન) રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

    6 દિવસ ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

    28 જૂનની આગાહી

    28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

    29 જૂનથી 1 જુલાઈની આગાહી

    રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

    2 જુલાઈની આગાહી

    2 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

  • મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું; આગામી ૨૭ સપ્ટેમ્બર સુધી અમલી

    મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું; આગામી ૨૭ સપ્ટેમ્બર સુધી અમલી

    મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને કલેકટર  કે.બી. ઝવેરી દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અનુસાર લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો માટે શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે.

    ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલ થી અવની ચોકડીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે.

    આ જાહેરનામું અગામી ૨૭ સપ્ટેમ્બર સુધી સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

  • મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ

    મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ

    મોરબીમાં  આઈ.ટી.આઈ. ખાતે  જિલ્લા વહીવટી ટીમ, S0G ટીમ , હ્યુમન ટ્રાફિકીંગ સેલ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે ITI – મોરબીના બાળકો સાથે “International day Against Dray Abuse and Illicit Trafficking “ દિવસની  ઉજવણી કરવામા આવી હતી.

    જેમા બાળકોને ડ્રગની અસરો તેનાથી કૌટુબિંક તેમજ સામાજીક અસરો વિશે સમજાવવામા આવ્યા તેમજ આવી પ્રવૃતિથી કઈ રીતે બચવુ તથા બચાવવા વિશે સમજાવવમા આવ્યા હતા. સૌ ઉપસ્થિતોને નશામુક્ત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી તેમજ MANAS Portal વિશે સમજણ આાપવામાં આવી હતી.

    આ કાર્યક્રમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ પી.આઈ. મીસ્ત્રી, આઈ.ટી.આઈ. ના   જયેશભાઈ હળવદિયા, S0G ટીમ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  ડો.વિપુલ શેરશીયા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ આઈ.ટી.આઈ. ના સ્ટાફ તથા જિલ્લા બાળ સુરક્ષાની ટીમ હાજર રહી હતી.

  • જગન્નાથ રથયાત્રા અને વિમાન દુર્ઘટનાના શોકમાં શ્રદ્ધાંજલિ પાઠવતું બ્રિશા કંસારાનું ચિત્ર

    જગન્નાથ રથયાત્રા અને વિમાન દુર્ઘટનાના શોકમાં શ્રદ્ધાંજલિ પાઠવતું બ્રિશા કંસારાનું ચિત્ર

    અમદાવાદ: દેવસ્ય સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બ્રિશા કપિલ કંસારાએ એક ભાવનાત્મક ચિત્ર દોર્યું છે, જેમાં તેણે જગન્નાથ રથયાત્રા સાથે છેલ્લા હાલમાં જ અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

    બ્રિશાએ ચિત્રમાં ભક્તિભાવ અને માનવતા બંનેને ભાવનાત્મક રીત રીતે વ્યક્ત કર્યા છે. રથયાત્રાની ભવ્યતા સાથે દુર્ઘટનાનો શોક એકસાથે રજૂ કરીને તેણે પોતાના દયાળુ મન અને સંવેદનશીલતા દર્શાવી છે. દેવસ્ય સ્કૂલ તરફથી પણ બ્રિશાની અભિવ્યક્તિને પ્રશંસા મળી રહી છે.

    આવા પ્રકારના સર્જનાત્મક અભિગમથી બાળકોમાં સમાજપ્રતિ અને માનવિય મૂલ્યો પ્રત્યેની ભાવના ઉદ્ભવે છે, તેવો સંદેશ પણ આ પ્રસંગે મળે છે.

  • મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

    મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

    મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘53 મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 27/7/202પ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે, વિદ્યાર્થી સરસ્વતી સમારોહ યોજાશે.

    મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ધો. 5 થી લઈને કોલેજ કક્ષા સુધીના ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરેલ સમાજના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનીત કરીને દર વર્ષે પુરસ્કાર આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિદ્યર્થીઓને સન્માનીત કરવાનું આયોજન કર્યું છે .

    અને તેના માટે મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપૂત સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ તેઓની માર્કશીટ આગામી તા. 11/07/202પ ને શુક્રવાર સુધીમાં મહાવિરસિંહ જાડેજા ચાંદલી તલાશ, મોરબી-2 (મો. 98794 0007) શનાળા રોડ, મોરબી-ર (મો. 98256 73936)ને પહોંચતી કરવા જણાવ્યુ છે

  • વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્ના. યોજાશે

    વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્ના. યોજાશે

    ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરમાં કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આગામી તા. 26 થી 30 જુન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના હોલમાં રાખવામા આવેલ છે.

    વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે દરરોજ સાંજે 5 થી રાત્રીના 12 કલાક સુધીમાં જુદીજુદી ટીમો વચ્ચે મેચ રાખવામા આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં ગુજરાતના તમામ જીલ્લામાંથી કબડ્ડીની શ્રેષ્ઠ ટીમો ભાગ લેવા માટે આવશે.

    આ ઉપરાંત નેશનલ, જીલ્લા લેવલે રમેલા ખેલાડીઓ પણ તેમાં ભાગ લેવા માટે આવશે. આ કબડ્ડી લીગ ટુર્નામેન્ટથી નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને કબડ્ડી માટે યુવાનોમાં જાગૃતતા આવશે.

  • ફેસબુક પર એકાએક હજારો ગ્રુપ સસ્પેન્ડ

    ફેસબુક પર એકાએક હજારો ગ્રુપ સસ્પેન્ડ

    મેટા સામે હાલમાં ભારે તવાઈ આવી છે, કારણ કે ફેસબુક પર દુનિયાભરમાંથી હજારો ગ્રુપ સસ્પેન્ડ થઈ ગયાં છે. યુઝર્સ દ્વારા બનાવાયેલા આ ગ્રુપ અચાનક બંધ થઈ જતાં તેઓ ગેરસમજમાં મુકાયા છે. પેરેન્ટિંગ, પેટ્સ, ગેમિંગ અને ફોટોગ્રાફી જેવા અનેક વિષયોના ગ્રુપ પણ આ અસર હેઠળ આવ્યા છે. આ માટે યુઝર્સને કોઈ પૂર્વ જાણ નથી આપવામાં આવી.

    એક નવીન બાબત એ છે કે ઘણાં એવા ગ્રુપ પણ સસ્પેન્ડ કરાયા છે, જેમનો વિવાદાસ્પદ ક્ધટેન્ટ સાથે દુરદુર સુધી સંબંધ નહોતો. દસ લાખ મેમ્બર્સવાળું બર્ડ ફોટોગ્રાફી ગ્રુપ પણ “અશ્લીલ ફોટા” આરોપ હેઠળ બંધ કરાયું છે.

    અન્ય કેટલીક ઘટનાઓમાં ટેરરિઝમ અને એડલ્ટ કન્ટેન્ટ હોવાનો જણાવીને ગ્રુપ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણે સોશિયલ મીડિયામાં ખાસ કરીને રેડિટ પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને તેમને અન્ય યુઝર્સ તરફથી સમર્થન પણ મળી રહ્યું છે.

    મેટાએ કહ્યું છે કે તેમને આ સમસ્યા વિશે જાણ છે અને તેઓ એને યોગ્ય રીતે સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેઓએ મેટાની વેરિફિકેશન સર્વિસ ખરીદી છે તેમને તરત જ સપોર્ટ આપવામાં આવ્યો છે, મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું, અમે આ ટેકનિકલ સમસ્યાની જાણકારી ધરાવીએ છીએ અને આનો ફેસબુક ગ્રુપ્સ પર અસર પડ્યો છે. અમે ઈશ્યુને ઝડપી ઠીક કરવા પ્રયાસશીલ છીએ.

  • મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે ૨૭ જૂને વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ બાબતે જાહેરનામું

    મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે ૨૭ જૂને વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ બાબતે જાહેરનામું

    અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપર ટોકીઝ-સી.પી.આઇ ચોક, નગરદરવાજા-સોની બજાર-ગ્રીન ચોક-દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે.

    આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  એસ.જે. ખાચર દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    અષાઢી બીજના તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી વી.સી ફાટક થી નગરદરવાજા, જુના બસ સ્ટેશન થી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી લાતી પ્લોટ ચોકીથી આસ્વાદ પાન, જડેશ્વર મંદિર થી આસ્વાદ પાન, સુપર ટોકિઝ થી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશન થી આસ્વાદ પાન, મહેન્દ્રપરા થી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશન થી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

    મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજા, સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ કલાક ૦૭:૦૦ થી કલાક ૦૪:૦૦ સુધી નો- પાર્કિંગ ઝોન જાહેર કરવા હુકમ કરવામાં આવે છે.

    ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી રોડ/પંચાસર રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે મોરબી લાતી પ્લોટ ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે.

    રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે ગાંધીચોક થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે જયદિપ ચોક થઇ લાતી પ્લોટ ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. શનાળા ગામ તરફ થી આવતા વાહનો મોરબી પંચાસર ચોકડી થઇ વાવડી ચોકડી થઇ નવલખી ફાટક થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે.

    મોરબી-૨ માંથી મોરબી શહેરમાં પ્રવેશ કરવા માટે ગેંડા સર્કલ થઇ વી.સી. ફાટક થઇ સેન્ટમેરી સ્કુલ થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર તરફ જઇ શકશે. જેતપર રોડ તરફથી આવતા વાહનો માટે રવિરાજ ચોકડી થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર વિસ્તારમાં જઇ શકશે. વાંકાનેર તરફ આવતા વાહનો માટે રફાળેશ્વર થઇ લીલાપર ચોકડી થઇ રવાપર ચોકડી શકશે.

    ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

  • મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે મુલાકાત કરી સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ

    મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે મુલાકાત કરી સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ

    મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર  માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિના આગોતરા આયોજનના ભાગરૂપે જૂન માસની ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગચાળો જેમાં મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે જેના અટકાયતી પગલા તરીકે આ ઉજવણી કરવામાં આવી રહી છે.

    ચાલુ વર્ષ જૂન માસમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. પી.કે.  વાસ્તવ અને જિલ્લા મેલેરીયા અધિકારી  ડો. વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં પણ મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

    જે અંતર્ગત દરમિયાન વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણની રોજીંદી પ્રવૃતિ કરતાં વધુ વેગ સાથે અભિયાન સ્વરૂપે કરવામાં આવે છે. જિલ્લાના જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર્સ દ્વારા તેમના વિસ્તારમાં આરોગ્ય કર્મચારી ઓની ટીમ્સ દ્વારા પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા વાહકજન્ય રોગોથી બચવા લોકોએ શું તકેદારી રાખવી તે બાબતે જન જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    આ સર્વેલન્સ કામગીરી દરમિયાન મચ્છરની ઉત્પતિ અટકાવવા આજ દિન સુધી કુલ ૨૦૩૪૦૧ ઘરની મુલાકાત લઈને ૭૪૪૯૧૪ પાણીના પાત્રોની તપાસણી કરવામાં આવી અને આ પાત્રોમાં મચ્છરના પોરા ઉત્પન્ન થતાં અટકાવવાની પ્રવૃતિઓ કરવામાં આવી છે.

    ઘર કે ઘરની આજુ બાજુ નકામા કાટમાળ, ટાયર, ભંગાર, નાળિયેર ની કાચલીઓ વગેરે જેવા ચોમાસામાં પાણી ભરાય તેવા કુલ ૮૯૯૯ પાત્રો અને વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અભિયાન દરમિયાન ના કુલ ૪૦૧૯ વ્યક્તિઓના લોહીના નમૂના લઈને મેલેરીયાની તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

    મોરબી જિલ્લાના લોકોએ મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણાં બંધ રાખવા, મચ્છરદાન માં સૂવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખું શરીર ઢંકાઇ જાય તેવા કપડાં પહેરવા, ઘરની આજુ બાજુ બંધિયાર પાણીને વહેતું કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.  વાસ્તવ દ્વારા અપીલ કરવામાં આવી છે.

  • મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા અવેરનેસ ટ્રેનિંગ અને ફાયર સુરક્ષા ચેકિંગ કાર્યક્રમ યોજાયો

    મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા અવેરનેસ ટ્રેનિંગ અને ફાયર સુરક્ષા ચેકિંગ કાર્યક્રમ યોજાયો

    મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ ૧૭/૦૬/૨૦૨૫થી ૨૩/૦૬/૨૦૨૫ દરમિયાન આગજણી અવેરનેસ અને ફાયર સેફટી પ્રિવેન્શન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

    આ અવધિ દરમિયાન ૧ હોટલમાં ૨૦ સ્ટાફને, ૧ સ્કૂલમાં ૪૦ વિદ્યાર્થીઓને અને ૧ હોસ્પિટલના ૫ સ્ટાફને ફાયર ટ્રેનિંગ આપવામાં આવી. આગ જેવા અકસ્માત સમયે કેવી રીતે પ્રાથમિક પગલાં લેવા અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી.

    સાથે સાથે ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે મોરબી શહેરની સામાજિક ઇમારતો, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું. જેના અંતર્ગત ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી અને જરૂરી સૂચનાઓ તથા ગાઈડલાઈન પણ આપવામાં આવી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે મોરબી શહેરની જુદી જુદી ૨ જગ્યા પર આગ લાગવાના બનાવો બન્યા હતા અને ૧ રેસ્ક્યુ બનાવ પણ બન્યો હતો. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અસરકારક રીતે ઈમરજન્સી સેવા આપી હતી.

    ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મોરબી નાગરિકોને આગ અંગે જાગૃત કરવો, આગ લાગ્યા સમયે યોગ્ય પગલાં લેવા પ્રેરણા આપવી અને જનહિતમાં ફાયર શાખાની સેવા ઝડપી રીતે મેળવવાની રીત વિષે માહિતગાર કરવો છે.

    કોઈ પણ પ્રકારની આગ કે આપત્તિની પરિસ્થિતિમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો સંપર્ક ૦૨૮૨૨-૨૩૦૦૫૦ તથા ૧૦૧ પર કરી શકાય છે.