Category: All

  • મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    મોરબીમાં કટોકટીના દિવસો બાબતે યુવા પેઢીને જાગૃત કરવા માટે વ્યાખાન, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા

    દેશમાં કટોકટી લગાવ્યાને ૫૦ વર્ષ પૂર્ણ થતા મોરબી જિલ્લામાં ‘સંવિધાન હત્યા દિવસ’ અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને મોરબીની વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન, ૧૯૭૫ નો દિવસ ઇતિહાસમાં કોઈ દિવસ ભૂલી ન શકાય એવો દિવસ છે. જ્યાં દેશમાં પત્રકારત્વને બંધક બનાવવામાં આવ્યું અને સંવિધાનનું સંપૂર્ણ હનન કરી દેવામાં આવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે, તત્કાલીન વડાપ્રધાન  સ્વ. ઈન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવવા લોકશાહીને દબાવવા જે કાવતરા કર્યા તે ખરેખર નિંદનીય છે.

    કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલ વ્યાસે કર્યું હતું. આ કાર્યક્રમમાં વકીલ મહાનુભાવ  વિજયભાઈ જાની અને અગ્રણી  ડો. જયંતીભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક વ્યાખાનમાં જણાવ્યું હતું કે, ઇતિહાસમાં જેને ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે એવો દિવસ એટલે ૨૫ જૂન, ૧૯૭૫ નો દિવસ. એ કટોકટીને ૫૦ પૂર્ણ થતા સમગ્ર દેશ અને રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ તરીકે એ દિવસોના સંસ્મરણ માટે અને યુવા પેઢીને જાગૃત કરવા માટે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

    આ પ્રસંગે મહાનુભાવોએ લીલી ઝંડી આપી સંવિધાન હત્યા દિવસ અન્વયે રેલીને પ્રસ્થાન કરાવી હતી. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી. જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અનુસંધાને આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી.

    આ પ્રસંગે ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર  કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર  એસ.જે. ખાચર, સહિત મહાનુભાવો, વિવિધ કાયદા નિષ્ણાંતો અને વકીલ ઓ અને મોરબીના નગરજનો તથા લો કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે કમલેશભાઈ ઉઘરેજાનો વિજય

    નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે કમલેશભાઈ ઉઘરેજાનો વિજય

    નંદનવન, મોરબી જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી.ત્યારે માળિયા (મિં) તાલુકાના નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું છે.

    જેમાં ટીલર નિશાનના ઉમેદવાર કમલેશભાઈ નરભેરામભાઈ ઉઘરેજા સરપંચ પદે ચૂંટાય આવ્યા છે. નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ 512નું મતદાન થયેલ હતું.

    જેમાં કમલેશભાઈ ઉઘરેજાને 335 મત મળેલ હતા. જ્યારે અરવિંદભાઈ ભગવાનજીભાઈ ગવાણીયાને 156 મત અને હીરાભાઈ થોભણભાઈ વડાવિયાના 4 મત મળ્યા હતા.

    જેથી કમલેશભાઈ ઉઘરેજાનો 162 મતની વિજય થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નંદનવન જુના દેરાળા ગ્રામ પંચાયત સાથે જોડાયેલ હતું. ત્યારે નંદનવન જુના દેરાળાથી અલગ થતાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી.

    જેમાં કમલેશભાઈ ઉઘરેજાનો વિજય થયો છે. ત્યારે ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

    તેમજ કમલેશભાઈ ઉઘરેજા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના નાના ભાઈ છે. અને સેવાકીય કાર્યોમાં પણ સાથે જોડાઈ પ્રવૃતિઓ કરતા રહ્યા છે.

    ત્યારે કમલેશભાઈએ જણાવ્યું હતું કે, નંદનવન (દેરાળા) ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મુકી મને વિજય બનાવ્યો તે બદલ સમગ્ર ગ્રામજનનો હું આભાર વ્યક્ત કરું છું.

    તેમજ આગામી દિવસોમાં નંદનવન (દેરાળા) ગ્રામ પંચાયત અલગ બનાવી લોકોની સમસ્યા નિવારણ લાવવા યથાત પ્રયત્ન કરતો રહીશ.

  • મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

    મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

    મોરબીમાં શનાળા રોડ પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના ભત્રીજા મેહુલભાઈ રૂપાણી અને જમાઈ નિમિતભાઈ મિશ્રા હાજર રહ્યા હતા.

    આ તકે સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જૈન મુનિ દિવ્યયસ વિજયજી મહારાજ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઇ સોમણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા,

    પ્રદીપભાઈ વાળા, લખાભાઇ જારીયા, રિશિપભાઇ કૈલા, ભૂપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રાઘવજીભાઇ ગડારા, કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, જયુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, નિકુંજભાઈ કોટક, જયદીપભાઈ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા,

    મુકેશભાઇ કુંડારિયા, મુકેશભાઇ ઉઘરેજા, હિરેનભાઇ પારેખ, હંસાબેન ઠાકર, જયોત્સનાબેન અમૃતિયા, મંજુલાબેન દેત્રોજા, કલેક્ટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર શિવરાજસિંહ ખાચર ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજયભાઇ સોની તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • વાંકાનેર :  માંઘાતા મંદિરે યોજાઈ સેવા સુશાસનના 11મું વર્ષ ઉજવતી ખાટલા બેઠક

    વાંકાનેર : માંઘાતા મંદિરે યોજાઈ સેવા સુશાસનના 11મું વર્ષ ઉજવતી ખાટલા બેઠક

    આજ રોજ તા. 24/06/2025 ના મંગળવારે વોર્ડ નં. 3 જીનપરા વિસ્તારમાં આવેલી પવિત્ર માંઘાતા મંદિરે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ બેઠકનો મુખ્ય હેતુ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11મું વર્ષ પૂર્ણ થવાનો અવસરે જનજાગૃતિ અને માહિતી આપવાનો હતો.

    વાંકાનેર શહેર ભાજપના મંત્રી રમેશભાઈ મકવાણાએ પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલ સુશાસન અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપતાં વિશદ રીતે સમજણ આપી હતી.

    આ અવસરે વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા તેમજ યુવા ભાજપ અને ભાજપ પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સભામાં સ્થાનિક નાગરિકોનું પણ ઉમદા સહકાર અને ઉપસ્થિતિ જોવા મળી હતી. (અહેવાલ : અજયકાંજીયા )

  • રેલવે મુસાફરી મોંધી થઈ શકે છે ! જુલાઈમાં વધી શકે છે મુસાફરી ભાડુ

    રેલવે મુસાફરી મોંધી થઈ શકે છે ! જુલાઈમાં વધી શકે છે મુસાફરી ભાડુ

    રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે. 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે. રેલવે મંત્રાલયે 10 જૂન, 2025 ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો અને તમામ રેલવે ઝોનને આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયનું કહેવું છે કે આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે કે તત્કાલ યોજનાનો લાભ વાસ્તવિક મુસાફરોને મળે, દલાલો કે અનધિકૃત એજન્ટોને નહીં.

    ભારતીય રેલવેએ ઘણા વર્ષો પછી ટ્રેન ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા દર 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. ઉપરાંત, તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે આ પગલાં સામાન્ય મુસાફરોને લાભ આપવા માટે લેવામાં આવ્યા છે.

    ટિકિટના ભાવમાં કેટલો વધારો?

    રેલવેએ ટ્રેન ટિકિટના ભાવમાં થોડો વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ, નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડામાં હવે પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે, જ્યારે એસી ક્લાસમાં આ વધારો 2 પૈસા પ્રતિ કિલોમીટર થશે. આ વધારો નાનો લાગે છે, પરંતુ તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા પર થોડી અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર મુંબઈથી દિલ્હી (1400 કિમી) નોન-એસી ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, તો તેણે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે, જ્યારે એસી ક્લાસમાં આ વધારો 28 રૂપિયા થશે.

    રેલવેનું કહેવું છે કે રેલ સેવાઓ સુધારવા માટે આ ફેરફાર જરૂરી છે. તેની અસર દરરોજ કે નજીકમાં મુસાફરી કરતા મુસાફરો પર નહીં પડે. 500 કિમી સુધી મુસાફરી કરનારાઓને કોઈપણ પ્રકારનો વધારો સહન કરવો પડશે નહીં. જોકે, વધેલું ભાડું 500 કિમીથી વધુ મુસાફરી કરવા માટે લાગુ પડશે. બીજા વર્ગમાં મુસાફરી કરતા મુસાફરોને પણ 500 કિમીથી વધુ અંતર માટે પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.

    તત્કાલ બુકિંગમાં આધાર ફરજિયાત

    રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે. 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી બનશે. રેલવે મંત્રાલયે 10 જૂન, 2025 ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો અને તમામ રેલવે ઝોનને આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયનું કહેવું છે કે આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે કે તત્કાલ યોજનાનો લાભ વાસ્તવિક મુસાફરોને મળે, દલાલો કે અનધિકૃત એજન્ટોને નહીં.

    હવે તત્કાલ ટિકિટ ફક્ત ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ની વેબસાઇટ અથવા એપ દ્વારા જ બુક કરાવી શકાશે અને આ માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. એટલું જ નહીં, 15 જુલાઈ, 2025 થી, તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન એક વધારાનું પગલું ઉમેરવામાં આવશે જેમાં આધાર આધારિત OTP વેરિફિકેશન કરવું પડશે. એટલે કે, હવે તમારે ટિકિટ બુક કરાવતા પહેલા તમારા આધાર નંબર દ્વારા OTP વેરિફિકેશન કરવું પડશે.

    તત્કાલ બુકિંગ માટે એજન્ટો પર પ્રતિબંધ

    તત્કાલ ટિકિટ બુકિંગમાં અનધિકૃત એજન્ટોની દખલ અટકાવવા માટે રેલ્વે મંત્રાલયે પણ કડક પગલાં લીધા છે. નવા નિયમો હેઠળ, રેલવેના અધિકૃત બુકિંગ એજન્ટોને પહેલા દિવસે પહેલા અડધા કલાકના સમયમર્યાદામાં તત્કાલ ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    એસી ક્લાસ બુકિંગ: એજન્ટો સવારે 10:00 થી સવારે 10:30 વાગ્યા સુધી તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.

    નોન-એસી ક્લાસ બુકિંગ: એજન્ટો માટે સવારે 11:00 થી સવારે 11:30 વાગ્યા સુધી બુકિંગ બંધ રહેશે.

    રેલવે મંત્રાલયનું કહેવું છે કે આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો છે જેથી સામાન્ય મુસાફરો સરળતાથી તત્કાલ ટિકિટ બુક કરી શકે.

    રેલવે સિસ્ટમમાં પણ ફેરફારો થશે

    આ નવા નિયમો લાગુ કરવા માટે, રેલવે મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) અને IRCTC ને જરૂરી ટેકનિકલ ફેરફારો કરવા નિર્દેશ આપ્યો છે. રેલવેએ તમામ ઝોનલ રેલવે વિભાગોને પણ આ ફેરફારો વિશે જાણ કરવા જણાવ્યું છે. તેનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે.

  • વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, બોર્ડની પૂરક પરીક્ષાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય

    વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, બોર્ડની પૂરક પરીક્ષાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય

    શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થી માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં, જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે..

    રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

    પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

  • તોફાની વરસાદથી ‘સુરત’ ના હાલ ‘બદસૂરત’, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

    તોફાની વરસાદથી ‘સુરત’ ના હાલ ‘બદસૂરત’, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

    સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની ‘સૂરત’ બદલાઇ ગઇ છે. સુરત ‘સ્માર્ટ સિટી’ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પુણા-કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા ત્રણ જેટલા યુવકો ત્રણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પુણા-કુંભારિયામાં બની હતી. ત્રણ યુવકો પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમ હેમખેમ બચાવી લીધા હતા. જોકે અર્જુન (ઉ.વ.18) નામનો યુવક હજુ સુધી ગુમ છે, ફાયર ટીમ યુવક શોધખોળ ચાલી રહી છે.

    સુરતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

    સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા પાલનપોર, મોટા વરાછા, યોગીચોક અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે.

    ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો

    પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે. 

    આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ  ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

    સરકારી સ્કૂલોમાં રજા જાહેર

    સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.

    આજે ફરી સુરતમાં મેઘમહેર

    આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  જ્યારે તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે  10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • ‘આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ,’ દિલ્હીમાં એક સેમિનારમાં બોલ્યા અમિત શાહ

    ‘આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ,’ દિલ્હીમાં એક સેમિનારમાં બોલ્યા અમિત શાહ

    નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. અમિત શાહે કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને 50 વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”

    નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે આ ક્ષણને દેશના લોકતાંત્રિક ઇતિહાસની મહત્વની ક્ષણ ગણાવતા કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને 50 વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”

    અમિત શાહના જણાવ્યા અનુસાર, આ ઇમરજન્સીના સમયની લડાઈ જ હતી કે જેણે ભારતમાં લોકતંત્રને જીવંત રાખ્યું અને એ દર્શાવ્યું કે ભારતની જનતા ક્યારેય તાનાશાહીને સ્વીકારતી નથી.

    ઇમરજન્સીમાં લોકતંત્રનું ગળું દબાવવામાં આવ્યું!

    અમિત શાહે કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન માત્ર લોકતંત્રનું ગળું જ ન હતું દબાવવામાં આવ્યું, પરંતુ હજારો પરિવારોનું જીવન પણ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું, “અનેક કારકિર્દીઓ બરબાદ થઈ ગઈ, લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી.”

  • કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી

    કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી

    ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો જથ્થો ઝડપાવાના સમાચારે પોલીસ બેડા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે. રાજ્યના પોલીસ વડાના સ્ટેટ મોનીટરીંગ સેલ (દ્વારા રવિવારે સવારે ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ વિપુલ પ્રમાણમાં દારૂૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મોટા દરોડા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જખઈ દ્વારા કરવામાં આવેલી આ રેડ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ દરોડામાં 800 પેટી અને 19,000 બોટલ દારૂૂ નો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂૂના આ કટિંગ વખતે સ્થળ પરથી કુલ 16 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

    આટલા મોટા પ્રમાણમાં દારૂૂ પકડાયા બાદ, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા તેમજ પીએસઆઈ એચ.એચ. બ્રહ્મભટ પાસેથી તેમનો ચાર્જ છીનવી લઈને તેમને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. અને તેમની સામે તપાસ ચાલી શકે છે.

    માનકુવા પોલીસ સ્ટેશનનો વહીવટી ચાર્જ ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલને સોંપવામાં આવ્યો છે, આ ઘટના દર્શાવે છે કે, રાજ્ય પોલીસ દારૂૂબંધીના અમલને લઈને ગંભીર છે અને આવા મોટા દરોડા બાદ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં સંકોચ રાખતી નથી. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં એક કડક સંદેશ પહોંચ્યો છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.

  • શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધોરણ ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

    શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધોરણ ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

    ધોરણ ૮ પછી બાળકો અભ્યાસ છોડી ન દે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો; ધોરણ ૯ માં ૪૯૪૬ બાળકોનો પ્રવેશ કરાવાશે

    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧ અને ૯ માં મળી કુલ ૧૫,૮૯૭ બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર અબને ઉચ્ચ અભ્યાસની સફર તરફ ઉમંગ અને ઉત્સાહ સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી ઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાવાશે.

    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

    જે અન્વયે મોરબી જિલ્લામાં ધોરણ ૧ માં મોરબી તાલુકામાં ૧૭૬૫ કુમાર અને ૧૭૪૧ કન્યા મળી ૩૫૦૬ બાળકો, માળીયા તાલુકામાં ૪૦૫ કુમાર અને ૪૦૩ કન્યા મળી કુલ ૮૦૮ બાળકો, ટંકારા તાલુકામાં ૫૧૮ કુમાર અને ૩૯૫ કન્યા મળી કુલ ૯૧૩ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકો અને હળવદ તાલુકામાં ૧૩૮૧ કુમાર અને ૧૨૯૦ કન્યા મળી ૨૬૭૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૫૫૭૬ કુમાર તેમજ ૫૩૭૫ કન્યા મળી કુલ ૧૦૯૫૧ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

    ધોરણ ૯ માં મોરબી તાલુકામાં ૭૯૩ કુમાર અને ૪૬૨ કન્યા મળી ૧૨૫૫ બાળકો, માળીયા તાલુકામાં ૩૬૮ કુમાર અને ૪૨૦ કન્યા મળી કુલ ૭૮૮ બાળકો, ટંકારા તાલુકામાં ૨૯૯ કુમાર અને ૩૬૮ કન્યા મળી કુલ ૬૬૭ બાળકો, વાંકાનેર તાલુકામાં ૫૩૩ કુમાર અને ૬૨૨ કન્યા મળી ૧૧૫૫ બાળકો અને હળવદ તાલુકામાં ૫૨૪ કુમાર અને ૫૫૭ કન્યા મળી ૧૦૮૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૨૫૧૭ કુમાર તેમજ ૨૪૨૯ કન્યા મળી કુલ ૪૯૪૬ બાળકો ધોરણ ૯ માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે.