અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવાનું સરળ બનશે. કારણ કે યુએસ સેનેટે વન બિગ બ્યુટીફુલ બિલમાં રેમિટન્સના ડ્રાફ્ટમાં ફેરફાર કર્યા છે. રેમિટન્સ પર પ્રસ્તાવિત ટેક્સ 3.5 ટકાથી ઘટાડીને 1 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકામાં રહેતા NRI માટે મોટી રાહતના સમાચાર છે. વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના નવા ડ્રાફ્ટમાં રેમિટન્સ ટેક્સ 3.5% થી ઘટાડીને માત્ર 1% કરવામાં આવ્યો છે. પહેલા આ બિલમાં 5% ટેક્સની વાત હતી, પછી તેને 3.5% કરવામાં આવી હતી અને હવે સેનેટના નવીનતમ સંસ્કરણમાં તેને વધુ ઘટાડીને 1% કરવામાં આવ્યો છે. બિલ કાયદો બન્યા પછી ભારતમાં પૈસા મોકલનારાઓને આનાથી ઘણો ફાયદો થશે.
અહેવાલ મુજબ નવા નિયમો અનુસાર આ કર 31 ડિસેમ્બર, 2025 પછી ફક્ત ચોક્કસ ટ્રાન્સફર પર જ લાગુ થશે. સારી વાત એ છે કે આ કર બેંક અથવા નાણાકીય સંસ્થાના ખાતાઓમાંથી કરવામાં આવેલા ટ્રાન્સફર અને યુએસમાં જારી કરાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ચુકવણીઓ પર લાગુ થશે નહીં. એટલે કે, મોટાભાગના રોજિંદા રેમિટન્સ આ ટેક્સના દાયરાની બહાર રહેશે.
આ બિલના સમાચારે અમેરિકામાં રહેતા ભારતીયોને ચિંતામાં મૂકી દીધા હતા, કારણ કે તેમના પરિવારને મદદ કરવા અથવા રોકાણ માટે ભારતમાં પૈસા મોકલવા સામાન્ય છે. 2023ના ડેટા અનુસાર, 29 લાખથી વધુ ભારતીયો યુએસમાં રહે છે, જે ત્યાં બીજા ક્રમની સૌથી મોટી વિદેશી વસ્તી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર, 2024માં લગભગ $32 બિલિયન (કુલ રેમિટન્સના લગભગ 27.7%) અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, કરમાં વધારાને કારણે NRIs ને નુકસાન થઈ શકે છે.
કોને ટેક્સ ચૂકવવો પડશે?
આ બિલ હેઠળ, ફક્ત બિન-નાગરિકો, જેમ કે ઉચ્ચ કુશળ વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડ ધારકો પર જ કર લાદવામાં આવશે. જો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી પાર્ટ-ટાઇમ નોકરીઓ અથવા ઇન્ટર્નશિપમાંથી કમાયેલા પૈસા ભારતમાં મોકલે છે, તો તેના પર પણ કર લાદવામાં આવી શકે છે. આ કર NRE ખાતાઓમાં જમા, રિયલ એસ્ટેટની ખરીદી અથવા કોર્પોરેટ મોબિલિટી પ્રોગ્રામ્સને પણ અસર કરી શકે છે.
શું અસર થશે?
1% કર રેમિટન્સનો ખર્ચ ઘટાડશે, પરંતુ કેટલાક લોકો હજુ પણ ઓછા પૈસા મોકલી શકે છે. ખાસ કરીને જેઓ ભારતમાં નિયમિત ધોરણે તેમના પરિવારને મદદ કરે છે અથવા મિલકત અને રોકાણ માટે પૈસા મોકલે છે. જોકે, મોટાભાગના લોકોને બેંક ટ્રાન્સફર અને કાર્ડ પેમેન્ટ પર કોઈ કર ન હોવાથી રાહત મળશે.
અમલ ક્યારે થશે?
આ કર 31 ડિસેમ્બર 2025 થી લાગુ કરવામાં આવશે. ત્યાં સુધીમાં NRIs ને તેમની નાણાકીય યોજનાઓની સમીક્ષા કરવાનો સમય મળશે. એકંદરે, કરમાં ઘટાડાને કારણે, અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવાનું હવે પહેલા કરતાં વધુ સરળ અને સસ્તું બનશે.
મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રિપોસ્ટ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી યૂઝર્સ પોતાની તેમજ અન્યની પોસ્ટને ઈન્સ્ટાગ્રામના ફીડમાં સીધાં જ શેર કરી શકશે.
રિપોસ્ટ સુવિધા ખાસ કરીને કંટેન્ટ ક્રિએટર માટે ફાયદાકારક હોઈ શકે છે. આ તેમને પ્લેટફોર્મ પર તેમની પહોંચ અને દૃશ્યતા વધારવા માટે એક વધારાનું સાધન પ્રદાન કરશે.
ગુજરાત વિધાન સભાની 2017ની ચુંટણી અને 2022ની ચુંટણી અને 2025ની સ્થીતિમાં શું ફેરફાર છે.? જમીન આસામનાનો તફાવત છે. 2017ની ચુંટણીના પરિણામો બાદ ભારતિય જનતા પાર્ટીને 99 બેઠક મળી હતી. બે આંકડામાં ભાજપ સમેટાઇ ગયો હતો.
જયારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. 182 કુલ બેઠકમાંથી સતાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે માત્ર 22 બેઠકનો તફાવત રહી ગયો હતો. 2022માં ભાજપે આ સ્થીતિ સુધારી નાંખી છે. આજે 2025માં તો ભારતિય જનતા પાર્ટી પાસે 182ના ગૃહમાં 156 ધારાસભ્યોની ધીંગી બહુમતી છે.
ગુજરાતના રાજકારણમાં છેલ્લા દસ વર્ષમાં કોઇ મોટો ધરાતલ ફેરફાર નથી થયો. 2017ની ચુંટણીમાં ભાજપનો થોડો રકાસ થયો તેના પાછળ પાટીદાર અનામત આંદોલન હતું. 2027ની ચુંટણી સામાન્ય લોકોને હજુ એમ લાગે કે દુર છે. પરંતુ દુરનું દેખતા રાજકિય પક્ષો અને પરિબળોએ અત્યારથી જ ચુંટણીની શતરંજ ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.
ગુજરાતમાં ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનના ભુતપૂર્વ નેતાઓ સક્રિય થયા છે. આજે ગાંધીનગરમાં પાટીદાર સમાજના આ નેતાઓની ચિંતન બેઠક છે. આ બેઠકમાં પાટીદાર સમાજના પ્રશ્નો અંગે ચિંતન થશે. જો કે જુના નેતાઓ નવા મુદાઓની ચર્ચા કરશે.
સીધી રીતે કોઇ પણ સમાજને તેના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાની લોકશાહિમાં છુટ છે. પરંતુ આ ટાઇમીંગ અને એજન્ડાના આંતરપ્રવાહોના સિગ્નલ કહે છે કે, ગુજરાતમાં 20ર7ની ચુંટણીની પૂર્વ તૈયારી પડદા પાછળ થવા માડી છે.
પાટીદાર ચિંતન શિબિર
ગાંધીનગરમાં આજે યોજાઇ રહેલી ચિંતન પાટીદાર ચિંતન શિબિરમાં પાટીદાર સમાજના અનેક નેતાઓ હાજર રહેવાના છે. સૌથી નોંધનિય બાબત એ છે કે, તેમાં 2017ની ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજીના નેતાઓ એકજુટ થઇને હાજર રહેશે.
નેતાઓની યાદિ ઉપર એક નજર નાંખીએ તો અલ્પેશ કથિરિયા (સુરત) દિનેશ બાંભણિયા (ગાંધીનગર) વરુણ પટેલ(અમદાવાદ) મનોજ પનારા(મોરબી) ગીતાબેન પટેલ(અમદાવાદ) ધર્મેન્દ્ર પટેલ (કલોલ) વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ 2017 પૂર્વેના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા છે.
ચિંતન શિબિરના મુદાઓ
પાટીદાર સમાજના જુના નવા નેતાઓએ ગાંધીનગરમાં આજે જે ચિંતન શિબિર યોજી છે તેમાં મુદાઓ જોઇએ તો અમરેલી,ગોંડલમાં બનેલા બનાવમાં પાટીદાર સમાજમાં પ્રવર્તતી લાગણીની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાંક નવા મુદા છે. જેમાં પાટીદાર સમાજની દિકરીઓ અન્ય સમાજના લોકો સાથે લગ્ન કરી લ્યે છે.
એવા સંજોગોમાં તેમના વાલીઓની સહિ આવશ્યક બનાવવા કાયદામાં સુધારો લાવવા બાબતે પણ ચર્ચા થશે. જો કે આ મુદો તમામ સમાજને લાગુ પડતો હોવાથી આ બાબતે સર્વ સમાજનો પણ સમાવેશ કરવા મન ખુલ્લુ હોવાનું પાટીદાર નેતાઓએ જણાવ્યુ છે. આ ઉપરાંત ઓનલાઇન ગેમીંગમાં યુવાનો પૈસા ગુમાવે છે. ઓનલાઇન ગેમીંગ બંધ કરાવવા પણ સરકારને રજુઆત કરવામાં આવશે.
કોર્ટમા પણ મામલો લઇ જવા તૈયારી
પાટીદાર સમાજને સ્પર્શતો એક મામલો પાટીદાર અનામત આંદોલનના એક ભુતપૂર્વ નેતા દ્વારા કોર્ટમાં લઇ જવાયો છે. જેનું હિયરીંગ નજીકના દિવસોમા જ આવશે. આ બાબત પણ ભીતરના પ્રવાહો દર્શાવે છે. આ મુદાઓ સપાટી ઉપર આવશે ત્યારે પાટીદાર સમાજમાંથી તેને વ્યાપક સમર્થન મળે એવી વ્યુહરચના તેમાં હોઇ શકે. ગોંડલ અને અમરેલીનો મુદો પાટીદાર સમાજમાં આજે પણ સંવેદનશીલતા ધરાવે છે.
હાર્દિક પટેલ,ગોપાલ ઇટાલિયા જોડાશે ?
2017ના પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ પાસ આંદોલન સંકેલાઇ ગયા બાદ ભાજપમાં જોડાઇ ગયેલ. આજે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય પણ બની ગયા છે. ફરી વખત તે આ આંદલનમાં શું સ્ટેન્ડ બનાવે છે તે મોટો સવાલ છે.
જો કે, દિનેશ બાંભણિયાએ કહયુ કે ચિંતન શિબિરીમાં એક વખત પાટીદાર સમાજના પ્રશ્નોનું પીંડ બંધાય બાદ અમે હાર્દિક પટેલ અન ગોપાલ પટેલને મળવા રૂબરૂ જશુ. આજની ચિંતન શિબિરમાં આ નેતાઓ નહિ જોડાય. જો કે પાટીદાર નેતાઓએ કહયુ છે કે તેઓ અન્ય પાટીદાર ધારાસભ્યોને,પ્રધાનોને પણ અમે મળશે. પાટીદાર સમાજના પ્રશ્નો અંગે રજુઆત કરી તેમનું સમર્થન મેળવીશુ.
સુરત ફરી એક વખત એપી સેન્ટર
2017ની વિધાનસભાની ચુંટણીનું એપી સેન્ટર સુરત હતું. સુરતનું મુળ સૌરાષ્ટ્રમાં નિકળે છે. એટલે તેના આફટર શોક સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતાં. આ આંદોલનને કારણે ભાજપને વિધાન સભાની ચુંટણીમાં ભારે ફટકો પડયો હતો. હવે ફરી વખત સુરતથી જ પાટીદાર સમાજની ચિંતન શિબિરનું વિચાર બીજ આવ્યુ છે. આવા સંજોગોમાં આ ચિંતન શિબિર આગળ જતાં કોઇ આંદોલનનું સ્વરૂપ લ્યે છે કે તેનું બાળ મરણ થઇ જાય છે તે જોવાનું રહયુ .
2017ના પાટીદાર અનામત આંદોલનનું સરવૈયુ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન 201પના જુલાઇ મહિનામાં શરૂ થયુ હતું.(હાલમાં જુન મહિનો ચાલે છે અને 20ર7ની વિધાન સભાની ચુંટણીને લગભગ એટલો જ સમય બાકી છે. મહાનગરપાલિકાની ચુંટણીઓ તો વર્ષાંતે જ આવશે.) જેમાં મુખ્ય માગણી પાટીદાર સમાજને આરક્ષણ આપવાની હતી.આ આંદોલન સમાપ્ત થયુ ત્યાં સુધીમા સતાવાર મૃત્યઆંક 1ર વ્યકિતનો થયો હતો.203 પોલીસ ઘાયલ થયા હતાં.
જયારે ર7 નાગરિકોને ઇજા થઇ હતી.(સરકારે કેટલા સંયમથી કામ લીધુ હશે ? સામાન્ય રીતે આંદોલનને અંકુશમાં લેતી વખતે સુરક્ષા જવાનોની તુલનાએ નાગરિકોને વધુ ઇજા થતી હોય છે. ) પાટીદાર આંદોલન દરમિયાન ગુજરાતમાં એસટી બસો અને અન્ય મળીને કુલ 200 વાહનો સળગાવાયા હતાં. ટ્રેન વ્યહવાર અટકાવવા પાટાઓને નુકસાન કરાયુ હતું.
પોલીસ વિભાગ દ્વારા નોંધાયેલી ફરીયાદોમાં 200 કરોડનું નુકસાન થયુ હતું. જયારે અમદાવાદમાં 12 કરોડની જાહેર સંપતિને નુકસાન થયુ હતું.રાજકોટમાં 1.40 કરોડનું નુકસાન થયુ હતું. ઓછામાં ઓછા 650 આંદોલનકારોની ધરપકડ થઇ હતી. જેમાંથી 156ને છોડી દેવાયા હતાં. 438 આંદોલનકારો સામે કેસ થયા હતાં. સરકારે 391 કેસ પાછા ખેંચી લીધા હતાં. જેમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ થાય છે.
ચિંતન શિબિર ચિંતા શિબિર બની જવાની ચિંતા
ગુજરાતમાં પાટીદાર સમાજનું ખુબ પ્રભુત્વ છે. આ સમાજ દ્વારા કોઇ પણ બાબતે સંગઠીત રજુઆત કરવામાં આવે ત્યારે સરકાર પણ તેને ગંભીરતા પૂર્વક લ્યે છે. આથી પાટીદાર સમાજની ચિંતન શિબિર ભવિષ્યમાં આંદોલનનું સ્વરૂપ ન લ્યે એ સરકારની અને ભારતિય જનતા પાર્ટીની ચિંતા હશે.
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો વિજય અને બોટાદમાં ઉમેશ મકવાણાની આપમાંથી હકાલપટ્ટીની ઘટના, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શકિતસિંહ ગોહિલના રાજીનામા બાદ યોજાયેલી પાટિદાર સમાજની ચિંતન શિબિરને રાજકિય નિરિક્ષકો ગંભીરતાથી જુએ છે. 2027ની ચુંટણીની ચોપાટ ગુજરાતમાં અત્યારથી ગોઠવવામાં આવી રહી હોવાની પણ કેટલાંક રાજકિય નેતાઓને આશંકા છે.
ટ્રેન ટિકિટ મોંઘી થઈ શકે: ભારતીય રેલ્વે 1 જુલાઈથી ટિકિટ ભાડામાં વધારો કરી શકે છે. નોન-એસી કોચ માટે ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થઈ શકે છે. ટૂંકી મુસાફરીમાં આ વધારો નજીવો હોઈ શકે છે પરંતુ લાંબા અંતરના મુસાફરોને અસર થઈ શકે છે.
તત્કાલ ટિકિટ બુકિંગમાં કડક નિયમો
ટિકિટ દલાલો પર કડક કાર્યવાહી કરવા અને પારદર્શિતા વધારવા માટે IRCTCએ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુરક્ષિત બનાવી છે. 1 જુલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. 15 જુલાઈથી ટિકિટ બુકિંગ દરમિયાન OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત છે. એજન્ટોને બુકિંગ શરૂ થયાના 30 મિનિટ પછી જ તત્કાલ ટિકિટ બુક કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આનાથી સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે.
ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે
જો તમે ICICI બેંકના ગ્રાહક છો તો ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડી શકે. મેટ્રો શહેરોમાં 3 વાર ટ્રાન્જેક્શન કર્યા બાદ પ્રતિ ટ્રાન્જેક્શન ₹23 અને બિન-રોકડ ટ્રાન્જેક્શન ₹8.5 ફી છે જેમાં બિન-મેટ્રો શહેરોમાં 5 મફત ટ્રાન્જેક્શનની મર્યાદા છે.
LPG અને જેટ ઈંધણના ભાવમાં સંભવિત ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ LPG (રાંધણ ગેસ) અને ઉડ્ડયન ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. 1 જુલાઈના રોજ પણ LPGના ભાવમાં ઘટાડો અથવા વધારો શક્ય છે. આની સીધી અસર ઘરના બજેટ પર પડશે. આ ફેરફારના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડી શકે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં કચ્છના માંડવીમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 4થી5 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.
મોરબીની પેઢીમાં કામ કરતા ઇસમેં નોકરી છોડી દીધી હતી અને ઓફિસમાં રાખેલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બોગસ બેંક ખાતું ખોલાવી ખાતામાં રૂૂ 1.64 કરોડની રકમ જમા કરી તેમજ 1.93 કરોડની રકમ વિડ્રો કરી નાણાકીય લેવડદેવડ કરી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના મહેન્દ્રનગર ક્રાંતિજ્યોત પાર્ક સી 2 માં રહેતા નિકુંજભાઈ હિમતલાલ જાવિયાએ આરોપી આમીન શાહબુદીન રહેમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નિકુંજભાઈ વર્ષ 2023 થી એમટી એન્ટરપ્રાઈઝમાં ક્ધસલ્ટન્ટ તરીકે નોકરી કરે છે વર્ષ 2015 થી 2016 સુધી લાલપર પાસે આવેલ એ.બી.સી. સિરામિક પેઢીમાં નોકરી કરતા હતા જેમાં ઓફિસનું કામ તેમજ ગાડી ભરાવવાનું કામ કરતો હતો અને
એબીસી સીરિકના માલિક આમીન શાહબુદીન રહેમાણી અને અન્ય ભાગીદારો હતો સિરામિક માલિક અમીનભાઈને કોઈ સાથે ઝઘડો થયો હતો જેથી અજાણ્યા માણસોએ તેમની ઓફિસમાં તોડફોડ કરતા ફરિયાદી ત્યાંથી જતો રહ્યો હતો એસીબી સીરિક ઓફિસમાં ફરિયાદીના ડોક્યુમેન્ટની ફાઈલ જેમાં અસલ પાસપોર્ટ અને અસલ પાન કાર્ડ તેમજ રેશન કાર્ડની નકલ અને પાસપોર્ટ સાઈડ ફોટો રાખ્યો હતો.
બાદમાં નોકરી છોડી દીધી અને એકાદ મહિના પછી ગામડે સહકારી મંડળીમાં ખાતું ટ્રાન્સફર કરવા માટે ડોક્યુમેન્ટ જરૂૂરત પડતા જે તે સમયે આમીનભાઈની ઓફિસે રહી ગયા હોવાથી ફોન કરી ડોક્યુમેન્ટ પરત માંગ્ય હતા અને ફરિયાદી મોરબીમાં જ ગ્લેઝ ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યો બાદમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વર્ષ 2017-18 નં રીટર્ન ફાઈલ કરવા તા. 26-03-2021 ના નોટીસ આવી હતી
જેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળીને જે વ્યવહારો થયા હતા તે અન્વયે વર્ષ 2017-18 નં રીટર્ન ફાઈલ કર્યું હતું બાદમાં તા. 07-01-2022 ના રોજ ઇન્કમ ટેક્ષ વિભાગ તરફથી નાણાકીય વ્યવહારો બાબતે માહિતી મંગાવવામાં આવી જેથી નાણાકીય વ્યવહારો રજુ કર્યા અને કાયદા વિરુદ્ધ વ્યવહારો કર્યા ના હોવાનું જણાઈ આવેલ અને કાયદેસર ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કર્યું હતું.બાદમાં 16-03-2022 ના રોજ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી શો કોઝ નોટીસ આવી હતી
અને નોટીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મહેતાજી ધવલ દેત્રોજાને બતાવતા તેઓએ પાસ કરી પાન કાર્ડ નંબર પર ગોપાલ એજ નામની પેઢી ખોલવામાં આવી છે અને પેઢીનું કરંટ એકાઉન્ટ એક્સીસ બેંક ચંદ્રપુર શાખા વાંકાનેરમાં ખોલવામાં આવ્યું હોવાનું જાણ થઇ હતી જે ખાતામાં રૂૂ 1,64,68,340 રૂૂપિયા રોકડા જમા કરવામાં આવ્યા હતા અને રૂૂ 1,93,78,000 રોકડા વિડ્રો કરવામાં આવ્યા હતા ફાયનાન્સીયલ વર્ષ 2017-18 ના ગાળામાં એકાઉન્ટમાંથી કુલ રૂૂ 3,58,46,340 નો વ્યવહાર થયો જે રીટર્નમાં દેખાડ્યું નથી તેવું નોટીસમાં જણાવ્યું હતું.
નોટીસમાં જણાવ્યા મુજબ નાણાકીય વ્યવહારો કર્યા નથી અને ફરીવાર તા. 02-05-2022 ના રોજ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી વ્યવહારોની પેનલ્ટી સહીત રકમ રૂૂ 5,87,05,440 નોટીસ આવતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અરજી કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે એક્સીસ બેંક મેનેજર અને એજન્ટ હાજર હતા પોલીસ સ્ટેશન ખાતે એક્સીસ બેંક ચંદ્રપુર શાખામાં એકાઉન્ટથી ખાતું ખૂલેલ જે ખાતું ખોલાવવા ફોર્મની નકલ દેખાડી હતી જેમાં ફરિયાદીનો ફોટો હતો પરંતુ ફોર્મમાં જે સહી હતી તે ફરિયાદીની ના હતી અને ફોર્મ સાથે પાસપોર્ટની ઝેરોક્ષ હતી અને ત્રાજપર ગ્રામ્ય પંચાયતના સરપંચે આપેલ અમીનભાઈ રહેમાંણીના નામનો આપેલ દાખલો હતો જે દાખલામાં આમીનભાઈમાંણીના નામ પર ચેકચાક કરી ફરિયાદીનું નામ લખ્યું હતું
ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડ, કોલંબો ડોકયાર્ડ PLC (CDPLC) માં નિયંત્રણ હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ સોદો US 52.96 મિલિયન (લગભગ રૂૂ. 452 કરોડ)ની કિંમતનો છે.
ભારતમાં સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંપાદન હશે અને તેના દ્વારા ભારતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક હાજરી મળશે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે શ્રીલંકા સહિત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની લશ્કરી અને આર્થિક ઘૂસણખોરી ભારત માટે ચિંતાનો વિષય છે.
માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતની સૌથી મોટી સંરક્ષણ શિપયાર્ડ કંપની છે. તેણે કોલંબો ડોકયાર્ડમાં ઓછામાં ઓછો 51% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંપાદન પ્રાથમિક મૂડી રોકાણ અને ગૌણ શેર ખરીદીના સંયોજન દ્વારા કરવામાં આવશે,
જેમાં જાપાનની ઓનોમિચી ડોકયાર્ડ કંપની લિમિટેડ પાસેથી શેરની ખરીદીનો સમાવેશ થાય છે, જે હાલમાં CDPLC ની બહુમતી શેરધારક છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓ અને અન્ય સામાન્ય શરતોને આધીન છે, અને ચાર થી છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
સોદો પૂર્ણ થયા પછી, કોલંબો ડોકયાર્ડ ભારતની MDLની પેટાકંપની બનશે. CDPLCમાં નિયંત્રણાત્મક હિસ્સાનું પ્રસ્તાવિત સંપાદન આપણા શિપયાર્ડને પ્રાદેશિક દરિયાઈ શક્તિ અને લાંબા ગાળે વૈશ્વિક શિપબિલ્ડિંગ કંપનીમાં રૂૂપાંતરિત કરવા માટેનો પપ્રવેશદ્વારથ છે,
ખઉકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહને એક અખબારને જણાવ્યું હતું. કોલંબો બંદર પર ઈઉઙકઈ નું વ્યૂહાત્મક સ્થાન, તેની સાબિત ક્ષમતાઓ અને પ્રાદેશિક હાજરી MDLને દક્ષિણ એશિયામાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરશે.
મોરબી જિલ્લાની વીરનગર પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાતાઓના સહયોગથી નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
આંગણવાડીના બાળકોને ધોરણ-1માં વાંજતે ગાજતે પ્રવેશ અપાઈ શિક્ષણના પ્રથમ પગથિયે આગવું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળાના સો ટકા હાજર વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, NMMS અને જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
દાતાઓનું આભાર સ્વરૂપે તેમને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.
ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઘરે ઘેર જઈને મતદાર યાદીની ચકાસણી કરવાની પહેલ શરૂ કર્યા બાદ અન્ય પાંચ રાજ્યોમાં પણ આવુ અભિયાન ચલાવશે. આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંચે બિહારની જેમ અન્ય પાંચ રાજ્યોમાં ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.
આવતા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાશે ચૂંટણી
બિહાર બાદ આવતા વર્ષે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને કેરાલામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે પાંચેય રાજ્યોની ચૂંટણીને ધ્યાને રાખી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદારોએ ચકાસણી દરમિયાન જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધિત દસ્તાવેજો સાથે ઘોષણાપત્ર પણ રજુ કરવાના રહેશે.
ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં મતદાર યાદી ચકાસણી ઝુંબેશ ચલાવશે
ચૂંટણી પંચે ઘરે ઘરે જઈને મતદાર યાદીના નામોની ચકાસણી કરવા માટેની ઝુંબેશ બિહારથી શરૂ કરી દીધી છે. અગાઉ અનેક વખત મતદાર યાદીમાં ગડબડી અને ખામી હોવાના આક્ષેપ થયા હતા, તેને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ ઝૂંબેશ શરૂ કરી દીધી છે.
ઝુંબેશ હેઠળ બનાવટી મતદારોની પણ ઓળખ થઈ શકશે
ચૂંટણી પંચ ઝુંબેશ હેઠળ, તેવા લોકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે, જેઓ બંગાળથી ઘૂસણખોરી કરી દેશમાં આવ્યા છે અને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાઈ ચૂક્યા છે. ચૂંટણી પંચનું માનીએ તો હવે આવા મતદારો પાસેથી જન્મ તારીખ અને જન્મ સ્થળ સંબંધીત દસ્તાવેજો મંગાશે. સાથે જ તેમના માતા-પિતાની અને તેઓ જે સ્થળે રહે છે, તેની પણ માહિતી એકઠી કરાશે. મતદારો પાસેથી મેળવેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ઓનલાઈન અપલોડ કરાશે.
ઇલોન મસ્ક દ્વારા તેના સોશિયલ મીડિયા X પર હવે હૅશટૅગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ હૅશટૅગ્સ હાલમાં જાહેરાતોમાં ઉપયોગ માટે પ્રતિબંધિત થયા છે. સોશિયલ મીડિયા પર જે પણ જાહેરાતો આપવામાં આવશે, તેમાં હવે હૅશટૅગ્સનો ઉપયોગ શક્ય નહીં રહેશે. મસ્કે થોડા મહિના પહેલાં કહ્યું હતું કે હૅશટૅગ્સ ખૂબ જ ગંદા દેખાય છે અને એથી હવે એના પર પ્રતિબંધ મૂક્યો છે.
મસ્કના નિર્ણયને યુઝરે વધાવ્યો
યુઝરને વધુ સારો એક્સપિરીયન્સ મળે એ માટે હૅશટૅગ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. હૅશટૅગ્સના કારણે ફીડ ખરાબ દેખાતી હોવાથી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને ઘણાં યુઝર્સે આવકાર્યો છે. એક યુઝરે કહ્યું કે હૅશટૅગ્સ હવે ઉપયોગી નથી અને હજી પણ લોકો તેનો ઉપયોગ કેમ કરે છે એ સમજાતું નથી. બીજા યુઝરે કહ્યું કે હવે તેની ટાઈમલાઈન વધુ સારી દેખાશે.
હૅશટૅગ્સની જગ્યા લેશે AI
ઇલોન મસ્ક દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે હૅશટૅગ્સની જગ્યા હવે AI ટૂલ લેશે. એમનું કહેવું છે કે X પર જે ડિસ્કવરી અને સર્ચ એલ્ગોરિધમ છે, તે ગ્રોક AIનો ઉપયોગ કરે છે. આ AI, XAI દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ ટૂલ કોઈ પણ વિષયને હૅશટૅગ વિના લોકો સુધી પહોંચાડી શકે છે. મસ્ક હવે અદ્યતન ટેક્નોલોજી દ્વારા યૂઝર્સને વધુ સારો અનુભવ આપવા માગે છે.
કેટલાક યુઝર્સ થઈ ગયા કંફ્યૂઝ
કેટલાક યુઝર્સે મસ્કના આ નિર્ણયને સ્વીકાર્યો છે, પરંતુ કેટલાક કંફ્યૂઝ પણ થયા છે. તેઓ માને છે કે હૅશટૅગ્સ સંપૂર્ણ રીતે બેન થયા છે, જ્યારે કંપનીએ હાલ તો માત્ર જાહેરાતોમાં માટે હૅશટૅગ્સનો ઉપયોગ બેન કર્યો છે. સામાન્ય યુઝર્સ હજી પણ હૅશટૅગ્સનો ઉપયોગ કરી શકે છે.