





























































રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (15 જૂન) અમરેલીના ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા
અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સાવરકુંડલાના જાબાળ ગામે ખેડૂત પિતા-પુત્ર બળદ ગાડું લઈને આવતા હતા, આ દરમિયાન ભારે વરસાદને લઈને થોરાળી નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. જેમાં મુકેશ અને લાલજીભાઈ બરવાળીયા પાણીમાં પ્રવાહમાં તણાયા હતા. જોકે, આ મામલે સ્થાનિકોને જાણ થતાં ફાયર વિભાગની મદદથી મુકેશ નામના યુવકને બચાવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં લાલજી બરવાળીયાનું મોત નીપજતા મૃતદેહને પીએમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ લઈ મોકલવામાં આવ્યો હતો.

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.

આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, લાસા, ધાવડિયા, ભાડ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળીસહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે.



























રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે 14 જૂન પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત, ડાંગ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ, સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આજે રવિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં 148 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ
હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં આજે રવિવારે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 69 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 3.39 ઈંચ, ડાંગના આહવામાં 2.68 ઈંચ, અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં 2.56 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.17 ઈંચ, ડાંગના સુબીરમાં 1.73 ઈંચ, સુરતના કામરેજમાં 1.65 ઈંચ, ભાવનગરના વલ્લભીપુર અને સુરતના માંગરોળમાં 1.42 ઈંચ, જૂનાગઢના મેંદરડા, ભાવનગરના સિહોર અને ડાંગના વઘઈમાં 1.38-1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ રાજ્યના 19 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 50 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો, 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના ગોંડલમાં 3.9. ઈંચ, આણંદના ખંભાતમાં 3.1 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 2.9 ઈંચ, રાજકોટમાં 2.5 ઈંચ, અમદાવાદના માંડલ અને ખેડાના નડિયાદમાં 2.4 ઈંચ, અમદાવાદના ધોળકા, ખેડાના વસો અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.2-2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 42 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.



























આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેકનોલોજીના લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, પરંતુ તે હજી પણ માનવીય સમજણથી નીચું માનવામાં આવે છે. જોકે હવે મેટાના માર્ક ઝુકરબર્ગ એક ડગલું આગળ આર્ટીફિશ્યલ જનરલ ઈન્ટેલિજન્સ (એજીઆઈ) બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

તે માણસો કરતાં વધુ બુદ્ધિશાળી હશે. ઝુકરબર્ગ પોતે માણસો કરતા એજીઆઈને વધુ સારી રીતે સમજવાની ક્ષમતા વિકસાવવા માટે નિષ્ણાતોની ભરતી કરી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, કાયદો, મીડિયા, ટેકનોલોજી અને વહીવટ સહિતનાં દરેક ક્ષેત્રમાં તેનાં ફાયદા ઉપલબ્ધ થશે.

આ છે હેતુ :ખરેખર, મનુષ્યો તેમનાં અનુભવોમાંથી શીખે છે. તેઓ લોકો સાથે વાત કરીને, વસ્તુઓનું નિરીક્ષણ કરીને, પુસ્તકો વાંચીને, ટીવી જોઈને શીખે છે. જ્યારે મનુષ્ય મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે તેમનું મગજ નિર્ણય લેવા માટે એકત્રિત કરેલી માહિતી અને અનુભવોનો ઉપયોગ કરે છે.

મેટા સોફ્ટવેર અથવા કમ્પ્યુટર્સ પણ બનાવી રહી છે જે માનવ મગજ જે કરે છે તે બધું કરી શકે છે. આ સાથે જ ઘણા જાણકારોનું માનવું છે કે આ પ્રકારની AI બનાવવામાં ઘણા દશકાઓ લાગી શકે છે.

ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો થશે
એજીઆઈ શું છે ? :એજીઆઇ એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જે વિચારવાની ક્ષમતા ધરાવે છે અને માનવ મગજની સમકક્ષ અથવા તેનાથી પણ વધુ સારા નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે.

ફેરફારો આ પ્રમાણે હશે : એ.જી.આઈ મશીનો મનુષ્ય જેવી લાગણીઓ અને જટિલ સમસ્યાઓને સમજવામાં સમર્થ હશે જટિલ રોગોને ઓળખી અને વધુ સારી સારવાર સૂચવી શકે છે.

























અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. જેને લઈને આવતીકાલે 16 જૂનના રોજ ગુજરાતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શહેરમાં થયેલા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. જેને લઈને આવતીકાલે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે જ આવતીકાલે ગુજરાતમાં રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.

જેથી આવતીકાલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં તેમના પરિવાર સાથે ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું કે કાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. જેમાં સાંજના 6 વાગ્યે તેમના અંતિમ સંસ્કારની વિધિ થશે.

પૂર્વ સીએમ વિજય રૂપાણી ગુજરાતના એક લોકપ્રિય નેતા હતા. તેમના નિધનને લઈને ગુજરાતને મોટી ખોટ પડી છે. વિજયભાઈના જાહેર જીવન અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી, સૌ વધુને વધુ લોકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે તે હેતુથી તેમનો અંતિમ મુસાફરો વિશાળ રૂટ દ્વારા યોજાવાનો છે. તેઓના અંતિમ સંસ્કારને લઈને સમગ્ર માહિતી નીચે મુજબ વિગતવાર તમે જોઈ શકો છો.

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ
સવારના 11:00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ લઈ જવામાં આવશે. સવારના 11:30 વાગ્યે દેહનો સ્વીકાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થશે. 11:30 થી 12:30 દરમિયાન પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે. 12:30 વાગે એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ માટે ફ્લાઇટ લેશે. બપોરે 2:00 વાગ્યે દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ 2:00 થી 4:00 દરમિયાન વિશિષ્ટ રૂટ મારફતે પાર્થિવ દેહ રાજકોટ નિવાસસ્થાન તરફ લઈ જવાશે – જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ અને અન્ય મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.

4:00 થી 5:00 – જાહેર દર્શન
રાજકોટ નિવાસસ્થાન (પુજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થિવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરાશે. લોકો તેમના નેતાને અંતિમ વિદાય આપી શકે તે માટે આ સમય નક્કી કરાયો છે.

5:00 થી 6:00 – અંતિમયાત્રા
નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન યાત્રા હાથ ધરવામાં આવશે. માર્ગમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર સહિતના ચોક પાસેથી પસાર થવાનું આયોજન છે.

17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા, રાજકોટ
સમય: સાંજે 3:00 થી 6:00 સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ રાજકોટમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિકારોની હાજરી માટે વિશાળ સભાની તૈયારી છે.

19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા, ગાંધીનગર
સમય: સવારે 9:00 થી 12:00 સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર
ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયભાઈના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.






















અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે તપાસની માંગ કરી છે કે શું આ કાવતરું તુર્કીમાં રચાયું હતું અને શું આ કરીને દુશ્મની બહાર આવી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતના ઓપરેશન સિંદૂર પછી, તુર્કી સાથે તણાવ વધ્યો હતો. તુર્કી આ દિવસોમાં પાકિસ્તાનનો સાચો મિત્ર છે.

શનિવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે પોતાની શંકા વ્યક્ત કરી અને તપાસની માંગ કરી. તેમણે કહ્યું, વિમાન દુર્ઘટના પાછળ પણ કોઈ દ્રષ્ટિ હોવી જોઈએ, મને ખબર પડી છે કે કોઈ તુર્કી એજન્સી જાળવણીનું કામ કરે છે. ભારતે ઉડ્ડયન ક્ષેત્ર પર નજીકથી નજર રાખવી પડશે.

શું તુર્કીએ આ માધ્યમથી પોતાનો દુશ્મની બહાર કાઢી છે? કારણ કે ત્યાંની એજન્સી સર્વિસ મેન્ટેનન્સનું કામ કરતી હતી. શું તેણે કોઈ કાવતરું રચ્યું છે?

જ્યારે તેમને કહેવામાં આવ્યું કે બે મહિના પહેલા તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે, ત્યારે બાબા રામદેવે કહ્યું કે તેથી ભારતે આવા સંવેદનશીલ મામલાઓમાં વિદેશીઓની દખલગીરી 100 ટકા દૂર કરવી પડશે.


























12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દર્દનાક ઘટના બાદ એર ઇન્ડિયા વિમાન કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે.

AI-171 નંબરનો ક્યારેય ઉપયોગ નહીં થાય
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ‘એર ઈન્ડિયા ફ્લાઇટ 171’ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જે બાદ એર ઈન્ડિયા તથા AI એક્સપ્રેસે ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક સામાન્ય પ્રથા છે કે ઘાતક વિમાન દુર્ઘટનાઓ બાદ એરલાઇન્સ વિશેષ ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 17 જૂનથી અમદાવાદ-લંડન ગેટવિકની ફ્લાઇટ માટે ‘AI 171’ ના બદલે ‘AI 159’ ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો શુક્રવારે જ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલાં ‘આઇએક્સ 171’ ને કરી હતી બંધ
એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ પોતાની ફ્લાઇટ નંબર ‘171’ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ફ્લાઇટ નંબર ‘171’ ને બંધ કરવાનો મતલબ દિવંગત આત્માઓ પ્રત્યે સન્માનનું પ્રતીક છે. આ પહેલા 2020માં પણ એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. તે દુર્ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા હતા.



























ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આ ચોમાસાના પ્રારંભિક વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ વીજળીના કડાકા અને વીજળી ગુલ થવાથી થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાજળીના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા કેટલી હતી.

અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, સેલવાસ અને બનાસકાંઠાના અંબાજી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,,ખાંભાના લાસા, ધાવડિયા અને ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જો કે લાસા ગામની શેરીમાંથી પાણી વહેતા થયા.

મધ્ય રાજકોટમાં ભારે વીજળીના કડાકા થયા હતા. રાજકોટ શહેરના નવા રાજકોટ, કાલાવડ રોડ , 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમીન માર્ગ અને તેની આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મોસમનો આ પ્રથમ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે પડ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે.

ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સારા વરસાદના પગલે ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં વાવણી કાર્ય શરૂ થશે, જે ખેડૂતો માટે રાહતરૂપ છે.



























ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરવામાં આવી છે. રવિવારે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરવામાં આવી છે. રવિવારે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.

દાહોદમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત
દાહોદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડતાં 2 લોકોનાં મોત થયાના સમાચાર છે. મુવાલિયા ગામે બે લોકો પર વીજળી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં 30 વર્ષિય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષનું વિજળી પડવાથી મોત થયું છે. ભારે પવન સાથે દાહોદમાં ધોધમાર વરસાદ ચાલું છે. શહેરના દેસાઈવાડમાં વૃક્ષ ધરાશાઈ થયું છે. લિટલ ફ્લાવર સ્કૂલની દિવાલ પણ ધરાસાઈ થવાના સમાચાર છે.

બગસરા શહેર અને તાલુકામાં વરસાદ
અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના હુલરીયા, હામાપુર, રફાળા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સિવાય અમરેલી જિલ્લાના બાબાપુર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો. ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જસદણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
રાજકોટના જસદણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાડલા, ભંડારીયા, રાણીપર, બોઘરાવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ
બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. પાળીયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

દાહોદ-છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો
દાહોદ જિલ્લાના લીંમડી,ઝાલોદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તેજ પવન ફુંકાયા બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. પાવી જેતપુર, કવાંટ, બોડેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ.

ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ
અસહ્ય ઉકળાટ બાદ ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગિરીમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ડાંગ અને સાપુતારામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક.

તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો
અસહ્ય ઉકળાટ વચ્ચે તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો. વ્યારા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર તાપીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.

દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલ્ટો
દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો છે. સેલવાસ અને તેની આસપાસના વિસ્તારમા વરસાદ વરસ્યો છે. ટોકરખાડા વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી મળી રાહત..





















તપાસ એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવી: મેડિકલ છાત્રો પાસેથી જરૂરી ઈનપુટ મેળવ્યા : એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી

અમદાવાદમાં ખોફનાક વિમાન દુર્ઘટના બાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઈબી)એ પણ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવાર તપાસ એજન્સી સાથે સંકળાયેલા અધિકારીઓએ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને ઘટનાની અનેક જરૂરી માહિતી મેળવી હતી, જોકે આથી વધુ જાણકારી શેર નથી કરાઈ. માનવામાં આવે છે કે નિશ્ચિત પ્રોટોકોલ અંતર્ગત એજન્સીઓ ઈનપુટ મેળવી રહી છે.

જેથી દુર્ઘટના સાથે જોડાયેલા કોઈ પાસા વણ સ્પર્શ્યા ન રહી જાય. તપાસ અધિકારીઓએ છાત્રો સાથે વાતચીતના આધારે જરૂરી ઈનપુટ એકત્ર કર્યા છે. ટાટા સમૂહના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, તપાસમાં મદદ માટે બ્રિટેન અને અમેરિકાથી પણ ટીમ ભારત પહોંચી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ટીમે અનેક તથ્યો મેળવ્યા છે, જેના પર મંથન ચાલુ છે.

બ્રિટનના હાઈ કમિશનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા
બ્રિટનના હાઈ કમિશનના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે જાણકારોનું કહેવું છે કે, દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટીશ નાગરિકો સાથે સંકળાયેલી જાણકારી મેળવવાની સાથે પ્લેન ક્રેશને લઈને પણ માહિતી મેળવાશે. બીજી બાજુ એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર કેમ્પબેલ વિલ્સને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

અહીં તેમણે એર ઈન્ડિયાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે તપાસમાં એર ઈન્ડિયા પૂરેપૂરો સહકાર આપશે.

તેમણે કહ્યું હતું કે, તપાસ સમય લેશે પણ અમે પૂરી પારદર્શિતા સાથે તપાસમાં સહકાર આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના 40 એન્જિનિયરો અને 100 જેટલા સેવાભાવીઓની ટીમ અમદાવાદમાં આવી ચૂકી છે.






















