Category: All

  • “પાવર ઓછો થઈ રહ્યો છે નહીં બચીએ” : દુર્ઘટના પૂર્વે પાયલોટનો આખરી સંદેશ પ્રકાશમાં આવ્યો

    “પાવર ઓછો થઈ રહ્યો છે નહીં બચીએ” : દુર્ઘટના પૂર્વે પાયલોટનો આખરી સંદેશ પ્રકાશમાં આવ્યો

    અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. તેવા સમયે એર ઈન્ડિયાના આ પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે આખરી સમયે એર ટ્રાફિક કંટ્રોલરને મોકલેલો સંદેશ પ્રકાશમાં આવ્યો છે.

    પાવર ઓછો થઇ રહ્યો છે. નહિ બચીએ જેમાં પાયલોટ સુમિત સભરવાલ વિમાન ઉડતાની સાથે જ 4 થી 5 સેક્ધડમાં, મેડે, મેડે, મેડે કહી રહ્યો છે થ્રસ્ટ નથી મળી રહ્યો, પાવર ઓછો થઇ રહ્યો છે. નહિ બચીએ.

    આટલું બોલતાની સાથે જ વિમાન હોસ્ટેલ બિલ્ડિંગ પર વિમાન પર ક્રેશ થયું હતું . હોસ્ટલ બ્લોકમાં 34 લોકોના મોત થયા છે. આ દરમિયાન કુલ મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. આ વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. જેમાંથી એક મુસાફરનો આબાદ બચાવ થયો છે.

    આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ વિમાન સંચાલન પ્રક્રિયાઓ અને અકસ્માતોને રોકવા માટે બનાવેલા માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે. આ સાથે તે ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા આપશે.

    આ અકસ્માત અંગે, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે તપાસમાં જે કંઈ બહાર આવશે તે પારદર્શિતા સાથે શેર કરવામાં આવશે.

  • દિવંગત વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાશે : પ્રાર્થના સભા માટે રેસકોર્ષમાં ચાલતી તૈયારીઓ

    દિવંગત વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાશે : પ્રાર્થના સભા માટે રેસકોર્ષમાં ચાલતી તૈયારીઓ

    અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું છે. જેમના મૃતદેહની ઓળખ માટે હાલ ડીએનએ મેચની પ્રોસેસ ચાલી રહી છે.

    જે બાદ તેમના નશ્વર દેહને રાજકોટ લાવવામાં આવશે અને રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેઓને અંતિમ વિદાય આપવામાં આવશે.ગાંધીનગરથી મૃતદેહ રાજકોટ આવ્યાં બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકીય આગેવાનો, કાર્યકરો, સબંધીઓ સહિત શહેરીજનો અંતિમયાત્રામાં જોડાશે.

    તેમજ તે બાદ રેસકોર્ષમાં પ્રાર્થના સભા યોજાશે જે અંગે રેસકોર્ષમાં યોજાનાર પ્રાર્થનાસભામાં બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા માટે  પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ અગ્રણીઓએ નિરીક્ષણ કરી તૈયારીઓ આદરી હતી.

    રાજકોટ સહિત ગુજરાતને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ વિજયભાઈ રૂપાણીના નિધનથી પડી છે. વિજયભાઈ રૂપાણી નિધન બાદ તેમના મૃતદેહની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે.

    જે સંભવત આજ સાંજ સુધીમાં પૂરી થઈ જશે જે બાદ તેમના નશ્વર દેને ગાંધીનગરના તેમના નિવાસ્થાનેથી રાજકોટ લાવવામાં આવશે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પર આવ્યા બાદ શહેર સહિત સૌરાષ્ટ્ર ભરના રાજકીય નેતાઓ કાર્યકરો સ્નહી સંબંધીઓ સહિતના શહેરીજનો તેમની અંતિમયાત્રામાં જોડાશે ગ્રીનલેન્ડ ચોકડી થી સીધા તેમના પ્રકાશ સોસાયટીમાં આવેલ નિવાસ્થાને નશ્વર દેને લઈ જવામાં આવશે.

    તેમના નિવાસ્થાને નશ્વર દેને થોડા સમય માટે દર્શનાર્થે રખાયા બાદ જ્યાંથી રામનાથ પરા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે જ્યાં આવું રાજકીય સન્માન અને ગાડો ઓનર આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

    અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી પોલીસે પણ તૈયારીઓનો આરંભ કરી દીધો છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમના અંતિમયાત્રાના રૂટને વન-વે જાહેર કરવામાં આવ્યો છે તેમ જ તેલ ઉપર પાર્કિંગ પણ લોકો કરી શકશે નહીં.

    છે બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા રેસ કોર્સમાં યોજવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ડીસીપી જગદીશ ભાંગરવા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના પોલીસ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ સ્થળ નિરીક્ષણ કરી બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા કઈ રીતે કરી તે અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે પ્રાર્થના સભામાં પણ સંભવત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવી શકે છે તેમજ ગુજરાત સરકારના કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ ગુજરાત ભરમાંથી કાર્યકરો ઉપરાંત શહેરીજનો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી પણ શક્યતા હોવાથી પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દિધી છે.

    પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને ભાજપના નેતાઓની ટીમ જરૂરી વ્યવસ્થામાં લાગી છે. અમદાવાદથી કોઇ સંદેશ મળે એટલે રાજકોટમાં તમામ તૈયારી કરી લેવામાં આવશે.

    આજે સવારે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, શાસક પક્ષના દંડક મનીષા રાડીયા, પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ પ્રકાશ સોસાયટી સ્થિત વિજયભાઇના નિવાસ સ્થાન ‘પુજીત’ ખાતે પહોંચ્યા હતા.

    હાલ રૂપાણી પરિવારના કોઇ સદસ્ય અહીં હાજર નથી. આજે કે કાલે સદગતનો પાર્થિવદેહ રાજકોટ લાવવાનો થાય તે પહેલા ઘરે જરૂરી વ્યવસ્થા કરી છે. લોકોની અવરજવર, દર્શન સહિતની વ્યવસ્થા કયાં કરવી તે નેતાઓએ ચકાસ્યું હતું.

    વધુમાં જાણવા મળ્યા મુજબ જો વિજયભાઇના પાર્થિવદેહને મોટર માર્ગે લાવવામાં આવે તો ગ્રીન લેન્ડ ચોકડીથી કાલાવડ રોડ અથવા રૈયા રોડ થઇને  પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે.જો વિમાન માર્ગે લાવવામાં આવે તો જુના એરપોર્ટથી છોટુનગર થઇ નિર્મલા રોડ પરથી ઘરે લાવવામાં આવશે. હજુ આવી કોઇ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી નથી.

  • મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા

    મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા

    મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા જયારે ગ્રામ્ય મામલતદાર ટીમે ત્રાજપર ચોકડી પાસે 16 જેટલા કોમર્શીયલ દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરી હતી.

    મોરબી મહાપાલિકાની ઝુંબેશ અંતર્ગત આજે જેસીબી સહિતના સાધનોની મદદથી શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

    રોડ નજીક આવેલ અનેક નાના મોટા દબાણો હટાવવામાં આવ્યા હતા તો આજે ટીમ પહોંચે તે પૂર્વે જ અનેક આસામીઓએ જાતે જ દબાણો દુર કર્યા હતા.તેમજ મોરબી ત્રાજપર ચોકડી પાસે જુના ઘૂટું રોડ જવાના રસ્તે દબાણો હટાવવામાં આવ્યા હતા

    સરકારી ખરાબાની જમીન પર ખડકી દીધેલ દબાણો ગ્રામ્ય મામલતદાર ટીમે દુર કરાવ્યા હતા સરકારી જગ્યામાં ગેરેજ, પતરાવાળી બંધ ઓરડી, શાકભાજી દુકાન અને દુકાનો સહીત 16 કોમર્શીયલ દબાણો દુર કરી અંદાજે 4 કરોડની કિમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

  • વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન: આવતીકાલે અડધો દિવસ શહેર બંધ રહેશે, ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય

    વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન: આવતીકાલે અડધો દિવસ શહેર બંધ રહેશે, ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય

    અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાત ખાસ કરીને રાજકોટ શોકમગ્ન બન્યું છે.

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાત ખાસ કરીને રાજકોટ શોકમગ્ન બન્યું છે. વિજય રૂપાણીના નિધનની ઘટનાએ રાજકીય, સામાજિક અને વ્યાપારી વર્તુળોમાં શોકની લાગણી ફેલાવી છે.

    ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન અપાયું

    વિજય રૂપાણી, જેઓ રાજકોટ (પશ્ચિમ)ના ધારાસભ્ય રહ્યા હતા અને 2016થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, તેમનું નિધન રાજકોટ માટે અપૂરણીય ખોટ છે. દિવંગત નેતા વિજય રૂપાણીના સન્માનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવતીકાલે (14 જૂન 2025) અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવાનું એલાન કર્યું છે. ચેમ્બરે તમામ વેપારીઓ અને ઉદ્યોગકારોને આ બંધમાં જોડાવાની અપીલ કરી છે. આ બંધ દ્વારા શહેરના વેપારી વર્ગે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે.

    રાજકોટની 600થી વધારે શાળાઓ રહેશે બંધ

    એટલું જ નહીં, વિજય રૂપાણીના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ રાખીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આવતીકાલે રાજકોટની 600થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    અંતિમ વિધિ રાજકોટમાં થશે

    હાલમાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સાંત્વના આપવા લોકો ઊમટી રહ્યા છે. પીએમ મોદીએ વિજય રૂપાણીના પત્ની અંજલિબેનને મળીને સાંત્વના આપી હતી. મળી રહેલા સમાચાર અનુસાર, વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. તેમના પુત્ર ઋષભ હાલ યુએસએથી રવાના થયા છે. પુત્ર ઋષભ આવતીકાલે અમેરિકાથી આવશે પછી દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે.

  • દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ

    દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ

    થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…

    થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી હતી અને આ દરમિયાન વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી, તેને થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.

    એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે ફ્લાઇટ નંબર ai 379 એરપોર્ટ પર ઉતર્યા પછી તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

    ફ્લાઇટ ટ્રેકર Flightradar24 અનુસાર, વિમાન શુક્રવારે સવારે 9:30 વાગ્યે ફુકેટ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ, તે આંદામાન સમુદ્રની આસપાસ ફર્યું અને થાઇ ટાપુ પર પાછું ઉતર્યું.

    નોંધનીય છે કે ગુરુવારે જ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને તેમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે.

  • મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે

    મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે

    મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…

    મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે બોક્સના લીધે ટાઇલ્સમાં કોઈ ડાઘ આવે તો પેકેજીંગ ઉદ્યોગકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેવો નિયમ લાગુ કરાયો છે.

    આજે કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ ઓટોપ્લાન્ટની કમ્ફર્ટ રિસોર્ટમાં પાર્થભાઈના પ્રમુખ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં જૂના તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી. મંદી અને હરીફાઈના માહોલમાં કઈ કઈ સમસ્યાઓ છે તે અંગે જરૂૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આ ઉદ્યોગની સમસ્યાઓના નિરાકરણ માટે પણ અનેક ઉદ્યોગકારોએ પોતાના મત રજૂ કર્યા હતા.

    વધુમાં બેઠક દરમિયાન કોઈ પણના જુના પૈસા બાકી હોય એવા યુનિટમાં કોઈ પણ બીજા પેકેજિંગ ઉદ્યોગે માલ સપ્લાય નહીં કરવો અને એની જાણ એકબીજા ઉદ્યોગે કરવી. તેવો નિર્ણય તમામ ઉદ્યોગકારોની સહમતીથી લેવામાં આવ્યો હતો.

    આ બોક્સ રીયુઝ પેપર માંથી બન્ને છે એટલે એ બોક્સમાં કોઈ પણ ગેરન્ટી આવતી નથી. જ્યારે બોક્સમાં તકલીફ થાય છે એના કારણે ટાઇલ્સમાં ડાઘા પડવા કે બીજા પ્રોબ્લેમ આવે તો એ પણ બોક્સ બનાવતા ઓટો પ્લાન્ટની જવાબદારી રહેશે નહીં. તેવો નિયમ આ બેઠકમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ મિટીંગમાં કમિટી મેમ્બર પાર્થભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, કલ્પેશભાઈ, હાર્દિકભાઈ, મેહુલભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

  • શહેરી આરોગ્ય કેન્દ્ર અને જી.એમ.ઇ.આર.એસ. મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો

    શહેરી આરોગ્ય કેન્દ્ર અને જી.એમ.ઇ.આર.એસ. મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો

    મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર ખાતે તા. ૧૩/૬/૨૦૨૫ ના રોજ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબી ની બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

    “રકતદાન મહાદાન” ની ઉકિત ને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પ માં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન થી વ્યક્તિગત તથા સમાજ ને થતા ફાયદા અંગે લોકોને સમજ આપવામા આવી હતી.

    ઉપરોક્ત કેમ્પ ને સફળ બનાવવામા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ સામાજીક આગેવાનો એ મહેનત કરી હતી.

  • વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧૭ થી ૧૯ જૂન દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રવેશબંધી

    વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧૭ થી ૧૯ જૂન દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રવેશબંધી

    વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે, અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા.૧૭/૦૬/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી ત્રણ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ

    વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

    આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે,

    તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા.૧૭/૦૬/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

  • યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ વ્યક્તિને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ

    યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ વ્યક્તિને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ

    મોરબી: યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વિનામૂલ્યે  કોઈપણ બ્લડની ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડે છે સાથે જ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં અનેક સેવાકાર્ય કરવામાં આવે છે.

    ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નકુલભાઈ દલાભાઈ મકવાણા નામના દિવ્યાંગ વ્યકિતને યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેબિન (દુકાન) અર્પણ કરવામાં આવી હતી. તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આ કેબિટ (દુકાન)નું ફુલહારથી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, નકુલભાઈ મકવાણા ચાલી નથી શકતા. તેઓ હેન્ડીક્રાફ્ટ સાઇકલ મારફતે ફરી રહ્યા છે. અને પરિવારની પરિસ્થિત પણ અત્યંત નબળી હોવાથી તેમણે કમાવવા માટેનો વિચાર આવ્યો હતો. જેથી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેબિન (દુકાન) આપવામાં આવતા હવે તે સ્વનિર્ભર બની દુકાન ચલાવશે.

  • દર વર્ષે એક મોટી દુર્ઘટનાનું સાક્ષી બને છે આપણું રાજ્ય ગુજરાત

    દર વર્ષે એક મોટી દુર્ઘટનાનું સાક્ષી બને છે આપણું રાજ્ય ગુજરાત

    ભૂકંપ હોય કે, પછી બ્લાસ્ટ હોય… કે પછી આગકાંડ હોય, પરંતું ગુજરાતની ધરતી પર સતત મોટી દુર્ઘટનાઓ બની રહી છે

    ગજરાતને જાણે કોઈકની નજર લાગી હોય એમ છેલ્લાં કેટલાક સમયથી હૈયુ હચમચાવી દે તેવી દુર્ઘટનાઓનું ભોગ બનવું પડી રહ્યું છે. કેટલીકવાર એ કુદરતી આપત્તિ હોય કે ક્યારેક માનનિર્મિત દુર્ઘટના હોય. પણ સંખ્યાબંધ લોકો, જીવલેણ દુર્ઘટનાના ભોગ બનીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સરકાર કે સત્તા વળતર આપીને છુટી થઈ જતી હોય છે. પરંતું જેમણે પોતાના સ્વજનો આવી દુર્ઘટનામાં ગુમાવ્યા છે, તેમનું દર્દ ક્યારેય ઓછું થઈ શક્તુ નથી. ક્યાંક બેદરકારી છે, તો ક્યાંક સરકારી નિયમોની લીપાપોતી છે. તો ક્યાંક વગદારોની મનમાની પણ છે. ક્યાંક મોટા લોકોની મનમાની કામ કરે છે. સરવાળે તમારા મારા જેવા પરિવારજનોને ભોગ બનવાનું આવે છે.

    આજે પણ તક્ષશીલા ટ્યુશન ક્લાસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોની મરણ ચીચીયારી આજે પણ ભૂલી શકાતી નથી. તક્ષશિલા ઘટના બની હતી ત્યારે સંયોગવશ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ હતા, આજે જેમણે જીવ ગુમાવ્યો છે. પરંતુ ગુજરાત સતત આવી ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. ગુજરાતની ધરતી લોહીથી ખરડાઈ રહી છે. નિયમિત રીતે આ ઘટના બની રહી છે. આ ઉપરાંત ભૂકંપ અને બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓનુ પણ સાક્ષી આ ધરતી રહી છે.

    છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમા બનતી દુર્ઘટનાઓ પર નજર કરીએ તો…

    તક્ષશિલા અગ્નિકાંડ – 22 મોત

    24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામનાર 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 6 વર્ષ પૂર્ણ થયાં છે. જોકે, આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી. 

    વડોદરા બોટકાંડ – 14 મોત

    18 જાન્યુઆરી, 2024 ના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

    મોરબીકાંડ – 135 મોત

    સરકારી આંકડા અનુસાર, મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

    રાજકોટ ગેમઝોન આગકાંડ – 27 મોત

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ 25 મે, 2024 ના રોજ બન્યો હતો. આ અગ્નિ કાંડમાં 27 લોકો તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

    અમદાવાદ પ્લેન ક્રેશ

    રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમા સવાર તમામ 240 મુસાફરોના મોત નિપજ્યા છે. તો આ દુર્ઘટનામાં બે મુસાફરોનો બચાવ થયો છે. પરંતુ મોતનો આંકડો 300 થી વધુએ પહોંચ્યો છે.

    ગુજરાત રાજ્યમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની હતી.